________________
અભિવાદન ગ્રંથ |
[ ૬૦૩
બગી, રથ, ઢોલ, બેન્ડ વગેરે તમામ સાધનો સાથે હતા. કુલ ૬ દિવસના સંઘમાં ૧૩૦ રૂપિયાનું સંઘપૂજન થયેલ. તમામ યાત્રિકોને ગરમ શાલ, વોટરબેગ, ચાંદીની માળા, રૂા. ૧૦૦ રોકડા આપવામાં આવેલ. દરેક ગામે સુંદર સ્વાગત થયેલ. સંઘવીએ દરેક ગામને ત્રણે ટાઈમ ભોજન કરાવેલ. પોતાની જન્મભૂમિ પંચેરી ગામના ૬OO અજૈનના ઘરોમાં મીઠાઈ અર્પણ કરેલ. સંઘમાળા વખતે સંઘવીના બહુમાનમાં હાર અને સાફાઓનો ઢગલો થયેલ.
સાંચોરથી જેસલમેરનો સંઘ : કલિકુંડ તીર્થોદ્ધારક આ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ. સા., પં. શ્રી રાજશેખરવિજયજી મ. સા., પં. શ્રી રનૅદુવિજયજી મ. સા. આદિ ઠાણાની પાવન નિશ્રામાં શા. માવાજી પબાજી બોથરા પરિવારે સાંચોરથી જૈસલમેરનો સંઘ કાઢેલ. દરેક ગામે સામૈયામાં બેડામાં રૂા. ૧૫૧ પુરાતા. કુલ રૂ!. ૫OOના સંઘપૂજન થયેલ. કુલ ૨00 યાત્રિકો હતા. દરેકને સંઘવી તરફથી ચાંદીની થાળી, વાટકી અર્પણ કરવામાં આવેલ. બાડમેરના દરેક જૈનોના ઘરમાં થાળી અને સાકર ભેટ કરેલ. પોતાના સમાજના ૧૫00 પરિવારોને તાંબાના બેડાં અને સાકર ભેટ કરેલ. સંઘવીના તિલકનો ચઢાવો રૂ. ૧૨ લાખમાં ગયેલ. સંઘમાળા પહેરી સાંચોર આવતાં જોરદાર સ્વાગત થયેલ. જુદા જુદા સમુદાયના ૧૨૫ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા હતી.
તવાવનગરથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ : સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન આચાર્યદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ. સા.ની શુભનિશ્રામાં તવાવ નિવાસી (હાલ બેંગ્લોર) શા. દલીચંદજી ધીરાજી સાકરિયા પરિવારે તવાવથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ કાઢેલ. તા. ૨૯-૧૧-૯૮ માગસર સુદ ૧૦ના દિવસે સંઘ પ્રયાણ થયેલ. અને પોષ વદ પાંચમ તા. ૬૧-૯૯ના માળારોપણ થયેલ. કુલ ૩૯ દિવસનો સંઘ હતો. જેમાં ૬OO યાત્રિક, ૧OO સંઘપતિ પરિવાર અને ૩૦૦નો સ્ટાફ હતો. સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા આદિ વિશાળ પરિવાર સાથે એક હાથી, બે ઘોડા, ઇન્દ્રધ્વજા, ઘોડાબગી, બેન્ડપાર્ટી, શરણાઈથી યાત્રા સંઘ શોભી રહ્યો હતો. પ્રયાણ પૂર્વે પાંચ દિવસનો મહોત્સવ રાખેલ. ત્રણે ટાઈમ આખા ગામને જમાડેલ. ગામના ચિતામણી પાર્શ્વનાથ તથા અન્ય ભગવાનને સવા લાખના સુવર્ણના હાર પહેરાવેલ. પ્રયાણ વખતે ૭0 રૂા.નું સંઘપૂજન તવાવ ગામવાસીઓ તરફથી અર્પણ થયેલ. દરેક ગામમાં જેટલાં જૈનના ઘર હોય દરેક ઘરમાં ચાંદીના સિક્કા અર્પણ કરેલ. સામૈયામાં જેટલાં બેડાં આવતાં દરેકમાં ચાંદીનો સિક્કો નાખતા. સિયાણી તીર્થમાં ૧૬૦ બેડાં સામૈયામાં હતાં. દરેક ગામે સંઘવી પરિવાર તરફથી સાધારણખાતામાં તથા વૈયાવચ્ચ ખાતામાં અને જીવદયામાં સુંદર રકમો લખાવેલ. દરરોજ સાંજે સામૂહિક આરતી થતી જેમાં એક પણ યાત્રિક બાકી ન રહે. સંગીતકાર સહ કોઈને ભક્તિભાવમાં તરબોલ બનાવતા, આરતી-દીપકના ચઢાવા સુંદર રીતે થતા અને કુમારપાળ રાજાનો ડ્રેસ પહેરી આરતી ઉતારતા. દરેક ગામે રકમ આપવા માટે યાત્રિક ટીપ તથા જીવદયાની ટીપ સુંદર થયેલ. પ્રયાણ વખતે તિલક અને હાર પહેરાવવાનો ચઢાવો સુંદર થયેલ. સંઘવી પરિવારે તવાવના સાધારણ ખાતામાં રૂા. ૫૧,૦OO અર્પણ કરેલ. આ સંઘમાં કુલ ૪૫૦ રૂ.નું સંઘપૂજન થયેલ. પ્રયાણ વખતે દરેક યાત્રિકને એક બેડીંગ, એક કાંબળો, એક બગલ થેલો જેમાં બેટરી, ચરવળો, કટાસણું, થાળી, વાટકી, બટવો, બામ, દંતમંજન, દોરી, દર્પણ વગેરે ૩૦ વસ્તુઓ અર્પણ કરેલ. દરરોજ રસ્તામાં ઉંટલારી પર બેસીને અનુકંપા દાન આપતા. હાલતાં-ચાલતી ભજન મંડળી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org