________________
અભિવાદન ગ્રંથ ]
[ ૫૯૫
અમ કરેલ. મજુરોએ પણ અમનો લાભ લીધેલ હતો. સંઘવી શ્રી ભેરૂમલજી હુકમીચંદજીને “દાનવીર' પદ પ્રદાન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રીશ્રી દલસુખભાઈ ગોધાણી, જૈનરત્ન શ્રી લાલભાઈ લોકસભાના સભ્યશ્રી જે. વી. શાહ આદિ અગ્રણીઓ ઉપસ્થિત હતા. પૂ. ગુરુદેવશ્રી લિખિત એક ગ્રંથનું વિમોચન થયું.
* દર અઠવાડિયે રાજસ્થાન-ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકારો...નૃત્યકારો.
* દરરોજ સંઘપૂજનોનું લાંબુ લિસ્ટ...* મુસલમાનો દ્વારા સ્વાગત * મંડારમાં મુસ્લિમ યુવાનોને સંબોધન કે અજાન-નમાજ અને વજુનો સાચો અર્થ પૂજય રશ્મિરત્ન વિજયજીએ સમજાવ્યો.
* દરરોજ વાનગીઓમાં જાત-જાતના ફરસાણો, મેવાની મિઠાઈઓ, ફુટ્સ વગેરે ભક્તિમાં બનાવાતી છતાં ૩૦૦-૪૦) આયંબિલ લગભગ દરરોજ થતાં.
* ઉપરિયાલા તીર્થમાં ૧૫00 આયંબિલનો રેકોર્ડ થઈ ગયો અને એ જ દિવસે ચમત્કાર સર્જાયો : મૂળનાયક ભગવાનની જમણી બાજુની દેરીમાં પ્રભુને અમીઝરણાં સાંજે શુરુ થયા તે બીજા દિવસે સવાર સુધી સહુએ નજરોનજર આ ચમત્કાર નીહાળ્યો.
* બીજા જ દિવસે સંઘ બજાણા પહોંચ્યો. વ્યાખ્યાન ચાલુ જ હતું ને સમાચાર આવ્યા કે બજાણાના માત્મા અમીસ્નાનમાં છે. કેસરવર્ણી અમીથી પ્રભુ રેબઝેબ હતા. સ્થાનકવાસી ૭-૮ સાધ્વીભગવંતોએ આ દશ્ય કલાકો સુધી જોયું ને એમના મસ્તકો ડોલવા લાગ્યા...અજ્ઞાનીને છોડી પ્રભુને પત્થર કહેવાની હિંમત કોણ કરી શકે? અસ્મલિત અમીનો પ્રવાહ ચાલુ હતો. શ્રદ્ધાળુઓએ ડબ્બી ભરવાનું ચાલુ રાખ્યું. આજે પણ બજાણા દેરાસરમાં અમીઝરતાં પ્રભુની છબી મંડાએલી છે.
* “રંગપુરમાં રંગાણા'' ધોધમાર વરસાદમાં પાણી ઢીંચણ સુધી આવી ગયું. સાધુ-સાધ્વી ભગવંતો તો રંગપુરના ઘરોમાં પહોંચી ગયા. ઘણા યાત્રાળુઓ ચાલીને વલ્લભીપુર પહોંચ્યા. અમુક યાત્રાળુઓને વાહનથી પહોંચાડવામાં આવ્યા. વાહનનો ભાંગો લાગી ન જાય તે માટે અમુક બાલ-યાત્રિકો પણ અંધારી રાતમાં વરસતા વરસાદે વલ્લભીપુરની વાટ પકડી.
તમામ યાત્રિકોનો સામાન “ “સબ સલામત” રીતે બીજા દિવસે સહુના હાથમાં પહોંચી ગયો. સ્ટાફની એકે-એક વ્યક્તિએ આખી રાત કામ કરી સંઘવી તારાચંદજીના શ્રીમુખે “મારા વ્હાલા વીરસૈનિકો''નું બિરુદ લીધું. તમામ યાત્રિકોએ શાબાશી પાઠવી.
વલ્લભીપુરમાં પં. શ્રી પ્રદ્યુમ્ન વિ. મ.નું મિલન થયું. મુનિવર્ય શ્રી રશ્મિરત્નવિજયજી મ. સા. (હાલ પંન્યાસજી)એ બીજા દિવસે સવારે સ્નાત્રપૂજાની રનિંગ કોમેંટ્રી આપી સહુને થાક ભૂલાવી ભક્તિયોગમાં લીન કર્યા. સ્ટાફને અભિનંદન આપવાને ટાણે સિરોહી (રાજ.)ની વિધાયિકા સુશ્રી તારા ભંડારી પધારેલ. એમને વક્તવ્યમાં કહ્યું કે, આ ભૂકોબા (સંઘવી ભેરૂમલજીનું હુલામણું નામ) ઘણાને માટે પ્રાતઃ સ્મરણીય છે. હું પણ આવા દાનેશ્વરીને સવારે યાદ કરી ગુણની યાચના કરું છું. સાંજે પુલ ઓળંગીને ખેતરમાં સિદ્ધગિરિ વંદના--સાચા હીરામોતી અને સોના પાના ફૂલડાથી નાચતા-ગાતા વધામણા કર્યા.
પાલીતાણામાં હજારોની મેદની. પ્રવેશનું અદ્ભુત સામૈયું. રાજસ્થાની સાફાઓની ભરમાર... હાથી...ઘોડા...બેંડોની રમઝટ. અનેક ગુરુભગવંતોનું મિલન. સંઘવી ભેરુ વિહારનું ઉદ્ઘાટન, શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org