________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૯૩
[ (૧૧) તખતગઢથી જીરાવલા મહાતીર્થનો છ'રીપાલક સંઘ
- ૨૦૪૭માં સંઘવી શ્રી પુખરાજજી છોગાજી બાગરાવાલા હાલ-તખતગઢ-વિશાખાપટ્ટનમ્ (પન્યાસશ્રી રશિમરત્ન વિ. મ.ના સાંસારિક પિતાશ્રી)એ ખૂબ જ ઉદારતાપૂર્વક તખતગઢથી જીરાવલા તીર્થનો દશ દિવસનો સંઘ કાઢ્યો. સંઘપતિની ઉદારતાના વખાણ કરતાં આજે પણ લોકો થાકતા નથી. કઢીમાં કેસર’ નાંખીને ભક્તિ કરવાનો આ સંઘનો ઉલ્લેખનીય પ્રસંગ બન્યો હતો. આ સંઘની પૂર્ણાહુતિ સાથે જ જીરાવલા તીર્થમાં પૂજ્યશ્રીની નિશ્રામાં ૩૨૦૦ આરાધકોની ઐતિહાસિક “ગિનેસ બુક ઓફ જૈનાજ'માં અંકિત નવપદ ઓળી માલગામનિવાસી શ્રી ભેરૂમલ હુકમીચંદજીએ કરાવેલ. (૧૨) ભીમથી વરકાણાતીર્થનો વિશ્વશાંતિયાત્રા સંઘ
ભીમમાં સ્થાનકવાસી પરિવારના શ્રી રોશનલાલજી ગન્ના ત્રિલોકબંધુ' પરિવારે વિશ્વશાંતિયાત્રાસંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં આયોજિત કર્યો. જેમાં ગામેગામ વ્યસનમુક્તિની સામૂહિક પ્રતિજ્ઞાઓ થઈ. (૧૩) બાલદાથી જીરાવલા તીર્થનો છ'રીપાલક સંઘ
૨૦૪૮માં બાલદામાં ઉપધાન થયું. ત્યારબાદ સામૂહિક સંઘપતિઓની યોજના કરવામાં આવી. સાત દિવસનો આ યાત્રા સંઘ બાલદાથી નીકળી અપૂર્વ શાસનપ્રભાવના સાથે જીરાવલા તીર્થમાં પરિપૂર્ણ થયો. આ સંઘમાં ૨૫૦ યાત્રિકો હતા. (૧૪) માલગામ (રાજ.)થી શત્રુંજય મહાતીર્થનો ઐતિહાસિક છ'રીપાલક સંઘ
શ્રી માલગામથી શત્રુંજયગિરિરાજના છ'રી પાલકસંઘમાં પાદવિહાર કરતા પૂ. આચાર્ય શ્રી ગુણરત્નસૂરિજી મ.સા. અને યાત્રિકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org