________________
અભિવાદન ગ્રંથ /
[ ૫૬ ૧
વિ. સં. ૧૯૭૬ના ઉદયપુર ચાતુર્માસ પછી શ્રી અર્જુન લાલજી ફતેહલાલજી લુણાવતે ઉદયપુરથી રાણકપુરનો સંઘ કાઢ્યો અને અહીં રાણકપુર તીર્થમાં પૂજયશ્રીએ ભોંયરામાંથી પ્રાચીન જિનબિંબો બહાર કઢાવી સાફ કરાવી ફરતી દેરીઓમાં પરોણા બિરાજમાન કરાવ્યાં.
વિ. સં. ૧૯૭૬માં જ તેઓશ્રી જાવાલ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશથી શા. મનરૂપમલજી ગુલાબચંદજી તથા શા. મુલચંદજી વનાજીએ જાવાલથી શ્રી સિદ્ધગિરિનો સંઘ કાઢ્યો. આ સંઘ માર્ગમાં જીરાવાલાજી ત્રણ દિવસ રહ્યો. ત્યાંથી અચલગઢ-આબુ થઈ કુંભારીયાજી આવ્યો. આ તીર્થનો વહીવટ દાંતા મહાજન હસ્તક હતો, તે શેઠ આ. ક. પેઢીને સોંપાવ્યો અને નવોદિત શિલ્પી સોમપુરા શ્રી પ્રભાશંકર ઓઘડભાઈ પાસે જીર્ણોદ્ધાર શરૂ કરાવ્યો. આ જીર્ણોદ્ધારમાં પૂજ્યશ્રીના ઉપદેશથી જાવાલ સંઘે તત્કાલ રૂા. ૭૦ હજાર આપ્યા.
ત્યાંથી તારંગા-સિદ્ધપુર-મેત્રાણા થઈ સંઘ ચારૂપ આવ્યો. અહીં એક નાનકડા ઘરમાં પ્રાચીન પ્રતિમાજી બિરાજમાન હતા. સંઘને શિખરબંધી ભવ્ય જિનાલય બંધાવવા પૂજ્યશ્રીએ ઉપદેશ આપ્યો અને આ છ'રીપાલિત સંઘમાં જિનાલય માટે સુંદર રકમની ટીપ થઈ અને વહિવટદારોએ એમાંથી સુંદર જિનાલય બંધાવ્યું. ત્યાંથી સંઘ પાટણ થઈ શંખેશ્વર તીર્થે આવ્યો સંઘપતિએ અહીં પૂજયશ્રીના હસ્તે તીર્થમાળ પહેરી. અહીં અમદાવાદનો સંઘ વિનંતિ કરવા આવતા તેઓશ્રી ભોયણી-સેરીસા થઈ અમદાવાદ આવ્યા અને સંઘ ઉપાધ્યાયશ્રી દર્શનવિજયજી મ.ની નિશ્રામાં પાલીતાણા ગયો.
શેઠશ્રી તારાચંદ સાકળચંદ પટવાનો ખંભાતથી પાલીતાણાનો સંઘ (વિ. સં. ૧૯૮૫) શ્રી શત્રુંજયની યાત્રા
પુનઃ શરૂ થયા બાદના આ પ્રથમસંઘનું પાલીતાણા પ્રવેશનું દશ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org