________________
અભિવાદન ગ્રંથ 7
[ ૫૫૯
s
પણ લગભગ એક મહિના સુધી. બહુ અભુત કહેવાય એવું આ મહાન કાર્ય હતું. સંઘ જામનગરથી ગિરનાર આવ્યો ત્યાં શ્રી નેમનાથ પ્રભુની સૌએ ભક્તિભાવપૂર્વક યાત્રા કરી. ત્યારબાદ ક્રમશઃ પાલીતાણા આવ્યા અને શ્રી આદીશ્વરદાદાના દર્શન-પૂજન કરી સૌ પાવન બન્યા. સંઘપતિ શ્રી સૌભાગ્યચંદભાઈએ મુનિશ્રી નેમવિજયજીના પવિત્ર હસ્તે તીર્થમાળ પહેરી.
R
શાસનસમ્રાટશ્રીના સંઘના સામૈયાનું એક દૃશ્ય
વિ. સં. ૧૯૫૪માં મુનિશ્રી નેમવિજયજીએ સ્તંભતીર્થ (ખંભાત)માં શેઠશ્રી અમરચંદ પ્રેમચંદ તથા એમના પુત્ર શેઠશ્રી પોપટભાઈ અમરચંદની વિનંતીથી ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ બાદ પૂજ્યશ્રીની ધર્મદેશનાના પ્રતાપે શેઠશ્રી અમરચંદભાઈએ ખંભાતથી સિદ્ધગિરિનો છ'રીપાલિત યાત્રા સંઘ પૂજ્યશ્રીની નિશ્રામાં કાઢ્યો.
વિ. સં. ૧૯૫૫ની શરૂઆતમાં પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલ આ તીર્થયાત્રા સંઘમાં, આજથી બરાબર ૧૦૦ વર્ષ પૂર્વે, લગભગ ૭૦૦થી ૮૦૦ યાત્રિકો જોડાયા હતા.
વિ. સં. ૧૯૫૮નું ચાતુર્માસ પરાવર્તન વિદ્યાશાળાના ટ્રસ્ટી આગેવાન શ્રાવક ઝવેરી છોટાલાલ લલ્લુભાઈએ કરાવ્યું અને ત્યારબાદ અમદાવાદથી સિદ્ધગિરિનો છ'રીપાલિત સંઘ તેઓએ મુનિશ્રી નેમિવિજયજી મહારાજની નિશ્રામાં કાઢ્યો. આ સંઘમાં બે હજાર યાત્રિકો હતા; એટલું જ નહિ ૯૬ વર્ષ પહેલાં આ સંઘ સાણંદ-વીરમગામ-વઢવાણ-લીમડી-બોટાદ-વલ્લભીપુર થઈ પાલીતાણા પહોંચ્યો હતો. અને આવા લાંબા રસ્તે પૂજ્યશ્રીના સાધુપર્યાયના ૧૫ જ વર્ષમાં આવો વિશાળ સંઘ તેમની નિશ્રામાં હતો.
વિ. સં. ૧૯૬૦નું ચોમાસું પૂજ્યશ્રીએ અમદાવાદમાં કર્યું. ત્યારબાદ શેઠ વાડીલાલ જેઠાભાઈએ પૂજ્યશ્રીના ઉપદેશથી અમદાવાદથી સિદ્ધાચલજીનો છ'રીપાલિત સંઘ કાઢ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org