________________
મ
1 : - રજતજી
- E
i
'શિલ્પ સૌંદર્યકલાનું ચત્ર તત્ર સર્વત્ર દર્શન,
સોંદર્યકલાની સાથે | સંસ્કાર - સરસ્વતીનું સંમિલન માત્ર આ ભારતવર્ષની ધર્મભૂમિમાંજ સભર પડ્યું છે. આંખ ભરી ભરીને નિહાળવા ગમે તેવા મનમોહક સૌંદર્યધામોની હારમાળા અહીંજ છે તો શિલ્પ સ્થાપત્યકલાને જિવંત રાખનારા આરસપહાણના સેંકડો જિનમંદિરો અને મૂર્તિઓ ખરેખર તો આપણને આ યુગનું દર્શન કરાવે છે.
જેનોએ કળાના નિર્માણને ધર્મ માની પ્રોત્સાહન આપ્યું અને પોતાની સંપત્તિ ઉત્તમ સર્જન કળામાં સમર્પિત કરી. ચિત્ર શિલ્પ સ્થાપત્યકળાનું આવું વિપુલ સર્જન અને સંવર્ધન વર્ષોથી થતું આવ્યું છે. તેનું દર્શન આપણને તાડપત્રોમાં, પ્રાચીન હસ્તપ્રતોમાં, લાકડા કે આરસમાં, પિત્તળ કે પંચધાતુમાં, હીરા પડ્યા કે સ્ફટિકમાં, ગ્રંથ ભંડારો કે મ્યુઝીયમોમાં, જિન મંદિરોની દિવાલો કે છત ઉપર, થાંભલા કે ગોખલામાં, પ્રવેશ દ્વારે કે પરિકરમાં, આ શિલ્પ સૌંદર્ય કલા યત્રતત્રસર્વત્ર જોવા મળે છે. અત્રે બતાવાયેલાચિત્રો ઉપરથીજ જૈન શિલ્પકળાની વિશિષ્ઠતાનો ખ્યાલ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org