________________
૫૪૮]
L[ જૈન પ્રતિભાદર્શન
| મુનિએ ચકોર પક્ષીની વાત કરી. જૈન દર્શનનું આ ઊંડાણ જાણીને ધનપાળનો દ્વેષ ઓગળી ગયો. હવે તે જૈન ધર્મની સન્મુખ થયો. ક્રમશઃ જૈનધર્મનો કટ્ટર શ્રાવક બન્યો.
એકવાર તેણે આદિનાથ પ્રભુનું કાવ્ય બનાવ્યું, ને રાજા ભોજને સંભળાવ્યું. તે સાંભળીને પ્રભાવિત થયેલા ભોજે ધનપાળ પાસે પ્રસ્તાવ મૂક્યો કે, “આ કાવ્યમાં જ્યાં “આદિનાથ' લખ્યું છે ત્યાં “શંકર' મૂકી દે, વિનીતા’ નગરીના સ્થાને ધારાનગરી મૂક અને ભરતરાજા” ને બદલે “ભોજ રાજા' મૂક.
આ સાંભળીને ધનપાળ ગંભીર બની ગયા. તેમણે કહ્યું કે, ““તમારામાં અને તેમનામાં તો આસમાન-જમીનનું અંતર છે. આ મારાથી કદી બની શકશે નહિ. કયાં ઐરાવત અને ક્યાં ગધેડો? હું કાંઈ તમારો ભાટ નથી!”
આ સાંભળીને ઉશ્કેરાયેલા ભોજે તે ગ્રંથને ત્યાં ને ત્યાં તાપણામાં નાખીને ભસ્મીભૂત કરી નાખ્યો. ધનપાળ સભા છોડીને, ગ્રંથ બળી ગયાના અસહ્ય આઘાત સાથે ઘેર પહોંચ્યો.
પણ, તેમની દીકરી તીલક રોજેરોજ રચાતો ગ્રંથ વાંચી લેતી હતી. એક જ વારના વાચનથી તેને કાંઈ પણ કંઠસ્થ થઈ જતું. આથી તેણે આખો ગ્રંથ પિતાજીને લખી આપ્યો. તેનું નામ અમર કરવા માટે ગ્રંથનું નામ ‘તીલક મંજરી' રાખ્યું જે આજે પણ ઉપલબ્ધ છે.
( તીર્થરક્ષક શેઠ શાંતિદાસ શેઠ શાંતિદાસના પૂર્વજો મેવાડના સિસોદીયા વંશના ક્ષત્રિયો હતા. તેમનો ઇતિહાસ પમસિંહ ઠાકુરસિંહથી પ્રાપ્ત થાય છે. શાંતિદાસ શેઠ એ પદ્મસિંહની છઠ્ઠી પેઢીએ થયેલા સહસ્ત્રકિરણના પુત્ર હતા. શાંતિદાસનો જ્યારે વેપારકાળ આવ્યો ત્યારે વેપારના વિષયમાં હીરાની જેમ ઝળકી ઊઠ્યા હતા. દેશવિદેશમાં તેમનો વેપાર હોવા છતાં ધર્મને તેમણે જીવનનું એક અંગ બનાવ્યું હતું. પરમાત્માનાં દર્શન કર્યા વિના મોંમા પાણી પણ કદી નાખતા નહિ.
વ્યાપારમાં આગળ વધતાં વધતાં દિલ્હીના મોગલ બાદશાહ અકબરના ઝવેરી તરીકે સ્થાપિત થયા. તે વખતે તેમની ઉંમર માત્ર પચ્ચીસ વર્ષની હતી. બાદશાહ અકબરના પુત્ર સલીમને કારણે તેની માતા જોધાબાઈ જોડે અકબરને અણબનાવ થયો. ત્યારે ગુસ્સામાં દિલ્હીનો ત્યાગ કરીને જોધાબાઈને અમદાવાદમાં આશ્રય આપી તેની ભારે આગતા-સ્વાગતા કરી હતી. આથી જોધાબાઈએ શાંતિદાસને પોતાનો ભાઈ ગણ્યો હતો. સલીમ શાંતિદાસને જોહરીમામાં કહેવા લાગ્યો.
અંતે પિતા સાથે સલીમનું સમાધાન થયું. જોધાબાઈ પુનઃ દિલ્હીમાં આવી ગઈ. બાદશાહ અકબરે શાંતિદાસની ઉપર ખુશ થઈને અમદાવાદના નગરશેઠ તરીકે નિમ્યા.
એક વખત મુક્તિસાગરજી મહારાજની પ્રેરણાથી પંદર હજાર માણસોનો શત્રુંજય તીર્થનો સંઘ શાંતિદાસે કાઢ્યો, જેમાં અકબરે તમામ સગવડો પૂરી પાડી હતી.
એક વખત અમદાવાદમાં સુંદર જિનાલયનું નિર્માણ કરવાની શેઠને ભાવના જાગી. બાદશાહ અકબરની સંમતિ મેળવીને, નવ લાખ મુદ્રાનો ખર્ચ કરીને મેરુતું પ્રાસાદ નિર્માણ કર્યું. મૂળનાયક તરીકે ચિંતામણિ પાર્શ્વનાથને બિરાજમાન કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org