________________
૧૩૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
* ધર્મ દુર્લભ છે તેનો પુરાવો આજે કલિકાળ છે, છેવટ્ટુ સંઘયણ હુંડક સંસ્થાન છે. શરીર હાઈબ્રીડનાં થઈ ગયાં, મનોબળ ઢીલાં થઈ ગયાંના બહાનાં કાઢી ‘બહાનાસમ્રાટ’ પ્રમાદી બની જાય છે. પરંતુ વીતરાગ શાસન પરિણત કરનાર પુણ્યશાળીઓ ન્યાય-નીતિ ને કર્મની પ્રધાનતા સમજીને સમાધિભાવ કેળવે છે, પાપથી પાછા હટે છે, સંતોષમાં સુખ અનુભવે છે કે કરાડના ચંદ્રકાન્તકાકા નામે સેવાભક્તિ કરનારા સુશ્રાવકે પૂજય ગુરુવેરના કહેવાથી સાધર્મિક જૈનને સાંગલીમાં અઢી લાખ રૂપિયા શિલ્પીઓને લાખ રૂપિયા નથી આપ્યા, વ્યાપારમાં સ્થિર થવા, પણ કર્મયોગે તે ભાઈને નુકસાની ભેટમાં આવી ગઈ. સુશાવકને જાણકારી મળતા બીજા ૨ લાખ લઈને સાધર્મિકના આંગણામાં પહોંચી ગયા ને કહે, નિરાશ ન થા. પ્રયત્ન કર. સાધર્મિક પણ ધર્મશ્રદ્ધાના સહારે દેવગુરુ કૃપાએ સ્થિર થયો, સુખી થયો ને દૂધ ધોઈને દેવા મુક્ત થયો. કર્મની થીયરી કથનીમાં આવે પણ, કરણીમાં દેખાડનારાં આજે છે.
* અમરાવતીમાં સ્વસ્તિક ટી વાળા અરવિંદભાઈની ઑફિસમાં નોકરે ચોરી કરી, પકડાઈ ગયો. શેઠે બાજુમાં બોલાવી પાપ-પ્રશ્ચાત્તાપ કરાવીને ઉપરથી લારી અપાવીને વ્યાપારમાં સ્થિર કર્યો. મારી સાથે ઉપધાનમાં માળારોપણનું સ્થાને જતાં લારીવાળો તેને પગે પડ્યો. આથી બીજા ભાવિકે કહ્યું, ગુરુજીને નહિ ને તને કેમ નમે છે? તો કહે, ઉપકારીનો ઉપકાર ન ભૂલવો એ સદ્ગુણ છે. પાપીનો નહિ પાપનો તિરસ્કાર કરી પાપીને પ્રેમથી પ્રતિબોધો. * અમરાવતીમાં મ્યુનીસિપલ ઑફિસર શ્રી મંગલચંદજી સંગોઈ જે સુખી શ્રીમંતાઈમાં ધર્મને અવગણતા હતા. પત્નીને મંદિરે મોકલે પણ પોતે બહાર સ્કૂટર પર બેઠા રહે. પણ મંદિરમાં ન જતા. વરસાદ આવવાથી નાછૂટકે પત્નીએ કહ્યું, પલળવા કરતાં અંદર પ્રવચનમાં બેસો. કોઈ પુણ્યબળે જિનવાણીનું અમૃત પીધું ને ટર્નીંગ પોઈન્ટ આવી ગયો. પર્યુષણમાં આ દિન ચૌવિહારી અઠ્ઠાઈ–પૌષધ સાથે કરી પછી ત્રણે ઉપધાન બે વર્ષમાં કરવા ભાગ્યશાળી બન્યા ને પ્રતિદિન પૂજા-પાઠ– પચ્ચકખાણના અંતરથી આરાધક બનવા પામ્યા છે. પુણ્યશાળીઓની આરાધના જોતા શિર ઝૂકી જાય છે. નિમિત્ત બનવાથી ખુશી થાય છે. * શેરબજારના ધંધામાં ૨૫ વર્ષનો છોકરો મુકેશ ફસાઈ ગયો ને લોકોનાં લેણાં ચૂકવવાં મુશ્કેલ થયાં પણ શેરબ્રોકર ઉદારદિલ સજ્જન નીકળ્યા, જેણે યુવાનને ધર્મમાં સ્થિર રહેવા ને મુંઝાયા વિના સર્વિસ ચાલુ રખાવી ને પોતે બધાને ચૂકતે રકમ આપી ને યુવાનને આનંદિત કર્યો. ધર્મ સમજનારા મળી જાય છે. સહાય સર્વ કરો.
* જન્મ હરિજન કર્મ જૈન : જામનગરમાં ત્રીશ લોકોને જૈનધર્મમાં સ્થિર કરનાર બેન્ક મેનેજર હજારો રૂપિયોનો પગાર મેળવનારા અરજુનભાઈ મકવાણા જન્મ હરિના જન કહેવાય તેવા ચુસ્ત વ્રતધારી શ્રાવક છે. પોતાના પરિવારમાં જૈનધર્મની સુવાસ ફેલાવી. મારી પાસે ઉપધાનતપની આરાધના કરી, નવકાર મંત્રની અનુજ્ઞા મેળવતાં ભાગ્યશાળીને જોઈ અનેરો આનંદ થતો હતો. ઘરમાંથી ટી.વી., ફ્રીઝ, ફેન અને અભક્ષ્ય અનંતકાયનો બહિષ્કાર કરનાર, પૂજા-પાઠ–પચ્ચક્ખાણના આગ્રહી છે. ચંદ્રજિતવિજયજી મ.ના પ્રવચનોથી ધર્મને પામી ગયા છે. સંયમના અભિલાષી છે. શિક્ષિત–સંસ્કારી શ્રાવક છે. આ મેનકા ગાંધી રાત્રિભોજન ત્યાગી છે. અહિંસાની અઠંગ ઉપાસિકા છે. * અબ્દુલ સુલેમાન જાનવરના પાલક છે. પાલક પુત્રોને ન મારે તેમ સંતમુખે શ્રવણ કરીને સ્વ પિતા ઈબ્રાહીમખાનને પણ માંસ, મછલી, ઈંડા ને દારૂના ત્યાગી બનાવ્યા. ને પોતાના સાથી ૧૩૦ પુણ્યાત્માઓએ મહાવીર જન્મોત્સવના ઈદ હોવા છતાં હિંસક વ્યાપાર વ્યવહારનો ત્યાગ કર્યો છે. જૈનો અહિંસક જીવન જીવવા સ્વધર્મને ચુસ્તપણે પાળે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org