SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ) [ જૈન પ્રતિભાદર્શન પ્રતિષ્ઠા કરવાનું જાહેર થયું ? જાણે એમનું મોત માતમરૂપ નહિ, પણ માંગલિકરૂપ હોય તેમ જરા ય ખેદ ધર્યા વિના એમના પુત્ર ખીમચંદભાઈએ પ્રતિષ્ઠાની કાર્યવાહી આગળ ધપાવી. આવી ઐતિહાસિક પ્રતિષ્ઠા પ્રસંગે, મુંબઈથી પાલીતાણાનો સંઘ કાઢીને પ્રતિષ્ઠા કરવાનો મનોરથ ખીમચંદભાઈને જાગ્યો. તે મુજબ સંવત ૧૮૯૩ના પોષ સુદિ સાતમના શુભ દિને શાહી ઠાઠ-માઠ સાથે, સંઘ સાથે, સમુદ્રમાર્ગે પ્રયાણ કરવા ખીમચંદભાઈ નિસર્યા. એ શોભાયાત્રાના વર્ણનમાં જણાવ્યા મુજબ માઈલ લાંબો એ વરઘોડો હતો અને એમાં હાથીની અંબાડીએ વિરાજેલ ખીમચંદભાઈ તથા તેમના ધર્મપત્ની દીવાળીબેનને નિહાળવા અંગ્રેજ અધિકારીઓ સહિત સમગ્ર મુંબઈ ઊમટી પડ્યું હતું!બરાબર એ જ દિવસે મોતીશાહની પનોતી પ્રતિભા અને વિરલ વ્યક્તિત્ત્વની સ્મૃતિ કરાવતી અનોખી ઘટના ઘટી : પ્રતિષ્ઠા અંગેના પ્રયાણના જૂજ દિવસો પૂર્વે, મોતીશાહના પરમ મિત્ર અને મુંબઈના વિખ્યાત મહાનુભાવ સર જમશેદજી બેરોનેટે ખીમચંદભાઈને વિનંતિ કરી હતી કે, “પ્રતિષ્ઠા અંગે પ્રયાણ કરવાના સમયે સંઘસહિત મારા ગૃહાંગણે “પગલાં” કરો અને એ પ્રસંગે મોતીશાહ શેઠની મૈત્રીના દાવે મારે એક લાખ રૂ. તમને ધરવાની ભાવના છે...” ખીમચંદભાઈ તો જમશેદજીને ત્યાં જવા ખુશી હતા. કિંતુ કેટલાક શંકાશીલ જનોએ વહેમના કારણે વિરોધ કર્યો કે પ્રતિષ્ઠા-પ્રયાણના મંગલ પ્રસંગે વિધર્મીના ઘરે જઈએ તો અશુભ લેખાય!! આથી ખીમચંદભાઈએ ક્ષમાયાચનાપૂર્વક પગલાં' અંગે અશક્તિ દર્શાવી હતી..... સર જમશેદજી જેવી મહાન વ્યક્તિ માટે તો આ ઘટના અપમાન જેવી ગણાય. આમ છતાં એ અપમાનને વિસરી જઈને, મોતીશાહના વિરલ વ્યક્તિત્ત્વને જ યાદ કરીને, જમશેદજી બેરોનેટ પ્રયાણના એ દિવસે બંદર પર ઉપસ્થિત થયા અને ખીમચંદભાઈના હાથમાં એ યુગની અતિ માતબર કહી શકાય એવી એક લાખ રૂ. ની રકમ ભેટ ધરી!!! આ ઘટનામાં જેમ સર જમશેદજીની દરિયાવદિલીનાં દર્શન થાય છે તેમ મોતીશાહ શેઠના વિરલ વ્યક્તિત્ત્વની એમના અંતર પર અંકિત થયેલી અમીટ છાપ પણ પ્રતિબિંબિત થાય છે. સંઘસહિત પ્રયાણ કરીને ખીમચંદભાઈ પાલીતાણા આવ્યા અને ભવ્યાતિભવ્ય મહોત્સવપૂર્વક સંવત ૧૮૯૩ના મહા વદિ બીજના પૂર્વનિશ્ચિત શુભમુહૂર્ત “મોતીશાહની ટુંકમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરી. મોતીશાહનું પ્રારંભેલ કાર્ય એમણે પૂર્ણ કર્યું. મોતીશાહ ભલે તે સમયે ક્ષરદેહે ઉપસ્થિત ન હતા, કિંતુ અક્ષરદેહે તો અવશ્ય જનજીભે ઉપસ્થિત હતા. અરે! એ સમયે જ નહિ, આજે પણ એ મહામાનવ ઘરઘરમાં લોકકંઠે ગવાઈ રહ્યા છે કે : “લાવે લાવે મોતીશાહ શેઠ હવણ જલ લાવે રે, નવરાવે મરુદેવા નંદ, પ્રભુ પધરાવે રે... સકળ સંઘને હરખ ન માય, હવણજળ લાવે રે.” - * * * * * !! રોજ 1 મંગા. Als E હUS जिनोपायक नवयहोना चित्री तेना चिसो ते ते तीर्थको ના મી सावधानीमनिसद्धतजी ।मिनाथजी ।भत्विनाथजी ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy