SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ [ જૈન પ્રતિભાદર્શન [ ફળીભૂત થતી નથી. જ્યારે પ્રચંડ શ્રદ્ધાનું પૂર ઉમટે છે એટલે શક્તિનો જથ્થો જમા થાય છે. મનની કાયરતા ઊડી જાય છે. માટે નિરાશાને ખંખેરી નાખવી જોઈએ. કહ્યું છે. અંધકાર હૈ' તો પ્રખર પ્રકાશ ભી હૈ, ઔર વિનાશ હૈ તો નવ વિકાસ ભી હૈ, નિરાશ હોનેકી કોઈ ભી બાત નહિ, પતન હૈ ઉત્થાન કા અવકાશ ભી હૈ. અને ધર્મના પ્રભાવે ધન મળ્યું, શક્તિ મળી ને આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થયો. એ કારણે જ ગુમાવેલું રાજ્ય--કિલ્લો અને ઉદયપુર નગરને પણ પુનઃ જીતી લીધું. સંસ્કૃતિના રક્ષક મહારાણા પ્રતાપે રાજ્ય પ્રાપ્ત કર્યા પછી પણ વિચાર્યું કે..આ જે કંઈ છે તે || પાર્શ્વનાથના પ્રભાવે જ છે. અને ઉપકારીના ઉપકારને જો ભૂલી જવાય તો મારા જેવો નગુણો કોઈ નહિ. આમ વિચારીને યત્કિંચિત ઋણ અદા કરવા મેવાડની ખમીરવંતી ને પુન્યવંતી ધરા ઉપર શ્રી નાગફણી પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય બનાવ્યું. આપણે તો ગુણીયલજનોના ગુણનું જ કીર્તન કરવાનું છે..... અને એવા ગુણો જીવનમાં ઉતારવાની કોશીષ કરવાની છે. ( મંત્રીશ્વર માહણસિંહ ) આ વિશ્વમાં મહાપુરુષો મોતીના દાણાની જેમ ચારે તરફ વેરાયેલા છે. તેમના ગુણોને નિરખવા માટે અંતરદષ્ટિ ઉઘાડવી પડે છે. જે અનેક પ્રકારની શાસનપ્રભાવનાની સાથે-સાથે સ્વનિયમનું પાલન પણ પ્રાણાતે કરતા.... એવા મહામાનવની કોણ સ્તવના ન કરે. “તલવાર કી કિંમત માન સે નહિ ધારસે હોતી હૈ કપડાં કી કિમત રંગસે નહિ તાર સે હોતી હૈ કહીં ભી દેખો મહત્ત્વ મૂલ કા હોતા હૈ છિલકે કા નહિ આદમી કી કિંમત પૈસે સે નહિ સદાચાર સે હોતી હૈ” દિલ્હીની ધર્મનગરીમાં મંત્રી સ્થાને પહોંચેલ માયણસિંહ પૂર્ણ સદાચારી અને ન્યાયપ્રિય મંત્રીશ્વર હતા. મંત્રી જેવા ઉચ્ચ પદે પહોંચવા છતાં એમનામાં ગજબની સમતા હતી. ધેર્ય, નમ્રતા અને સરળતાના ગુણોથી વિશાળતાને પ્રાપ્ત કરી શક્યા. જવાબદારી વધવા છતાં પોતાના ધર્મ અને ન્યાયથી જરાય ચલિત થયા ન હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy