________________
૪૯૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
સતી મદનરેખા પતિ મૃત્યુ ક્ષણે ય સ્વસ્થ થઈ, બંધાવ્યું સમાધિ સાધના ભાતું
પ્રાણ ભોગે શીયલ રહ્યું, મદરેખા સતી ચરણે ઝૂકે માથું. દમયંતી સતી પ્રભુ ટીલડીઓ રચી પૂર્વ ભવે, પામ્યા કપાળે સ્વયં મણિ તેજ;
નળ પત્ની દમયંતી સતી, દુઃખ ભોગ્યા માણી સુખસેજ. સતી સુંદરી ચકી પત્ની થઈ નરકે ના જવા, કીધાં બીલ સાઈઠ હજાર વર્ષ
આદીશ સુતા સતી સુંદરી, તુમ ચારિત્ર સુણી થાય હૈયે હર્ષ. સીતા સતી રામપ્રિયા સીતા સતી, રાખી અખંડ શીલ ટેક;
તેથી જ જગજન આજે ય કરે, અહોભાવ અભિષેક. રાજીમતી
નવ ભવ નેહને સાચવ્યો, બની સાધ્વી નેમીશ્વર પાસ;
સાચી મતિ રાજીમતી, તમે પામ્યા શિવપુર વાસ. સાધ્વી મૃગાવતી શોધતાં નિજ દોષ તમે, આણ્યો ન ગુરુણી પ્રતિ રોષ;
ધન્ય મૃગાવતી શિષ્યા તમે, પામ્યા કેવલ કરી કર્મ શોષ. સતી કલાવતી કિધા અખંડ નદી દેવતાએ, શીયલ થકી જસ હાથ;
સતી શિરોમણિ કલાવતી, ધર્મ કીધો નિજ નાથ. પુષ્પચૂલા કેવલી તોય આચાર્યની, કીધી વૈયાવચ્ચ અપાર;
પુષ્પચૂલા સ્વયં તરી તમે, અર્ણિકાપુત્રને કીધા પાર. પદ્માવતી
શ્રી કૃષ્ણ પટ્ટરાણી ઠાઠને, પામ્યા પદ્માવત્યાદિ આઠ;
નેમિ વચને જાગી અંતે, તમે કર્મોને મારી લાઠ. બહપિદત્તા
ડગ્યા ન દુઃખ ડુંગર મહીં, ન ખોયું શીલનું હીર;
ઋષિદત્તા અજબ ચરિત્રા તમે, સતી થયા અતિ ધીર. અનુપમાદેવી
પરબ તમે પરમ પ્રેરણા તણા, વસ્તુપાલ તેજપાલ પરિવાર;
અનુપમ સતી અનુપમા, આજે વિચરો મહાવિદેહ મોઝાર. જૈન ધર્મથી ભારે પ્રભાવિત થયેલા શીલભદ્ર રાજવીઓ) પુંડરિક રાજા રસના રસભોગી ભાઈ મુનિ થતાં, રાજ્ય ત્યાગી દીક્ષા લીધી;
ધન્ય કંડરિક બંધુ પુંડરિક થઈ, અનાસક્ત સાધના કીધી. દશાર્ણભદ્ર રાજા વીર સ્વાગત અભિમાનને તોડવા, ઈન્દ્ર દર્શાવી ઋદ્ધિ,
દશાર્ણભદ્ર તેથી ય વધ્યા, લઈ સંયમ અગી દિલ શુદ્ધ બુદ્ધિ. કુમારપાલ રાજા પુષ્ય પૂજાએ પુનઃ પ્રભુ મળ્યા, મળ્યા ફરી એ જ ગુરુદેવ;
પદ્મનાભ ગણધર થઈ તરી જશો, પરમહંતુ કુમારપાલ ભૂદેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org