________________
૪૮૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
* રોગ જાય તો ઋષિ થઈશ. કોણ? અનાથીકુમારને રોગે હેરાન કર્યા. ‘જો રોગ જાય તો દીક્ષા
સવારે લઈશ” એ દઢ ભાવનાએ રોગી મટી યોગી થયા. રંગરાગમાં ડૂબેલાએ વૈરાગીની પરીક્ષા કરી. કોણ? દૈવી સુખમાં મગ્ન એવા શકેન્દ્ર નમિરાજર્ષિના
વૈરાગ્યની પરીક્ષા કરી. * અવાજ સાંભળી કોણ જાગી ગયું? પત્નીઓ ચંદન ઘસતી હતી. કંકણનો અવાજ પણ અસહ્ય થયો.
જ્યાં અવાજ બંધ થયો ત્યા નમિરાજર્ષિ ચાલી નીકળ્યા. * પતિ મોક્ષે ગયા જ્યારે પત્ની નરકે! આમ કેમ? બાર ચક્રવર્તીમાંથી (પતિ) આઠ મોક્ષે ગયા પણ
વિષયોના કારણે પત્નીઓ નરકે ગઈ. * જમ્યા ચોથા આરામાં મોક્ષે ગયા પાંચમા આરામાં? ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જંબૂસ્વામી વગેરે. * કમ (ઓછું) ખાવામાં કોને વાંધો હતો? ૩ દિવસના ભૂખ્યા પ્રતિના (પૂર્વભવ ભિખારી) જીવને. * ગમ ખાવામાં કોને વાંધો હતો? સુર્ઘકાચાર્ય બાળમુનિની હત્યા જોઈ ન શક્યા. ગમ ન ખાતા
નિયાણું કરી અગ્નિકાય દેવ થઈ વેર લીધું. * નમ (વંદન–નમન) ખાવામાં કોને વાંધો હતો? બાહુબલી ૯૮ ભાઈઓને ન નમ્યા તેથી ૧૨
મહિના મોડા કેવળજ્ઞાન પામ્યા. * મોહને મારી મોક્ષ કોણે મેળવ્યું? મરૂદેવા માતાએ પુત્રમોહને મારી વૈરાગ્યથી કેવળજ્ઞાન ને મોક્ષની
પ્રાપ્તિ કરી. * વચનથી પડ્યા ને વચનથી કોણ તર્યા? વેશ્યાના વચનથી અરેણિક મુનિ પડ્યા ને માતાના
વિલાપથી અરણિક તરી ગયા. * બે અશ્રુબિંદુથી કોણ ભીંજાઈ ગયાં? પત્ની સુભદ્રાનાં બે અશ્રુબિંદુ જોઈ ધનાજી સંયમના પંથે
સંચર્યા. પિતાનાં કટુ વચન મધુર સમજી કોણ ચાલી નીકળ્યાં? પિતા શ્રેણિકનું ‘જા, તારું મોટું કાળું કર” વચન સાંભળી અભયકુમાર સંયમના પંથે ચાલી ગયા. માતાને રાજી કરવા ક્યા પુત્રે ફરી જ્ઞાનસાધના શરૂ કરી? રૂદ્રસોમા માતાને રાજી કરવા આર્યરક્ષિત પુત્ર પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા જંગલમાં ચાલી નીકળ્યા. અડગ શ્રદ્ધાની સામે ક્રોધી કોણ શાંત થયા? સુદર્શન શેઠની અડગ શ્રદ્ધા જોઈ મહાપાપી અર્જુનમાળી પણ શાંત થઈ ગયા. ચેલાઓએ વચન ન પાળ્યું તો શું થયું? અષાઢાચાર્યે ૪ ચેલાઓને દેવગતિનો અનુભવ કહેવા
આવવાનું કહ્યું. પણ ન આવ્યા તેથી આચાર્યની ભાવનાનું પતન થયું. * પ્રભો! ૮૪ હજાર સાધુની ભક્તિ કરવી છે. લાભ આપો. કોણે કહ્યું? વિમલસ્વામી કેવલીએ
જિનદાસને સાધુના બદલે વિજય શેઠ-શેઠાણીની ભક્તિ કરી પુણ્ય ઉપાર્જન કરવા પ્રેરણા આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org