SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] ★ દંડનાયક સજ્જને ૧૨૫ ક્રોડ સુવર્ણ મુદ્રાનો વ્યય કરી ગિરનાર તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો. * રાજા સિદ્ધરાજ જ્યારે ખંડણી લેવા ગુજરાત આવ્યા ત્યારે દંડનાયક સજ્જને પ્રશ્ન કર્યો : મહારાજ! શું જોઈએ છે? તીર્થરક્ષાનું પુણ્ય કે નશ્વર ધન? ★ વંથલીના સાકરીયા શેઠે ગિરનાર તીર્થના ઉદ્ધારમાં વપરાયેલ રાજા સિદ્ધરાજનું ધન આપી લાભ લેવાનું વચન દંડનાયકને આપ્યું. પણ રાજાએ ધન ન લેતાં છેવટે રત્નજડીત હારથી પ્રભુની આભૂષણ પૂજા કરી ધન્ય બન્યા. * ★ ★ ★ ★ * ★ * ૪. અલ્લાઉદ્દીન ખીલજીએ શત્રુંજ્ય તીર્થનાં મંદિરો તોડવા પ્રયત્ન કર્યો, તે અવસરે તીર્થરક્ષાના દાદાજી બારોટના આહ્વાનથી સુજાતા, અમર, અર્જુન જેવા ૫૦ યુવકોએ બલિદાન આપ્યાં. [ ૪૬૯ પાટણના મહામંત્રી બાહડદેવે પિતા ઉદયનની અંતિમ ભાવના મુજબ શત્રુંજ્ય તીર્થનો (કાષ્ટાનાં મંદિરો જોઈ) ઉદ્ધાર કરી પરિકર વિનાનું મુખ્ય આદીશ્વર ભ.નું જિનપ્રાસાદ ૩ કરોડના ખર્ચે બંધાવ્યું. સગર ચક્રવર્તીના ૬૦ હજાર પુત્રોએ અષ્ટાપદગિરિ-તીર્થની રક્ષા કરવા બલિદાન આપ્યું. શત્રુંજયાવતાર નામે ૭૨ જિનાલયવાળું વિશાળ જિનમંદિર માંડવગઢના મંત્રી પેથડ શાહે બાંધ્યું. વસ્તુપાલ-તેજપાલે આબુ-દેલવાડાનાં જગપ્રસિદ્ધ દેરાસર બંધાવ્યાં. આ જિનમંદિરમાં લલિતાદેવી અને અનુપમાદેવીના દેરાણી-જેઠાણીના કલાત્મક ગોખલા સુપ્રસિદ્ધ છે. તારંગા તીર્થમાં વિશાળ મંદિર બાંધી તેમાં ભગવાન અજિતનાથ પ્રભુની વિશાળ પ્રતિમા કુમારપાળ રાજાએ પધરાવી. અનુપમાદેવી અને લલિતાદેવીના ૩૨ લાખ સુવર્ણના દાગીનાનો દાનનો વરસાદ જોઈ, દાસી શોભનાએ પણ પોતાનો, પોતાની ભક્તિ ભાવના છૂપાવ્યા વગર, આભૂષણો આદીશ્વર ભગવાનના ચરણે સિદ્ધગીરીમાં ધર્યા. પાટણમાં એક દિવસના નિર્ધન પાલિસ શ્રાવક ધર્મબેન હસુમતિની પ્રેરણાથી પૂ.આ. શ્રી વાદિદેવસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી, તેઓશ્રીના શુભ હસ્તે વિશાળ મંદિરમાં વિશાળ મૂર્તિની સ્થાપના--પ્રતિષ્ઠા કરાવી ધન્ય બન્યો. સત્સંગ કરવાથી (સાધુ સંગથી) કટે કોટી અપરાધ * માત્ર દર્શનથી ઇલાચીકુમાર કેવળી બન્યા. * વંદનથી કૃષ્ણજીના ૪ નારકીનાં દુઃખ ટળ્યાં. * સેવાથી બાહુબલી બળવાન થયા. * સત્સંગથી શ્રેણિક સમ્યક્ત્વ પામ્યા. * દાનથી શાલિભદ્ર ઋદ્ધિ પામ્યા. * વહોરાવવાથી-નયસાર સમ્યક્ત્વ પામ્યા. * મુનિવેષ પહેરવાથી ચારણ સંયમી થયા. * ગુરુ પાસે મોકલવાથી હિરભદ્ર બ્રાહ્મણ તરી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy