________________
૪૬૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
- ઉત્તમ આરાધના કરે છે.
પાઠશાળાના વિકાસ, અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રુતગંગાને ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાડે એ જ અભ્યર્થના.
સંપાદક
સરસ્વતિનંદનનો દરબાર વલભીપુરની વાત.
સં. ૯૮૦ પૂર્વે પાટલીપુત્ર (પટણા)માં, ઉજજૈનમાં, કુમારગિરીમાં, મંદસૌરમાં અને મથુરામાં જે રીતે સરસ્વતિનંદનો શ્રી સ્યુલિભદ્રજી, શ્રી આર્યસુહસ્તિસૂરિ, શ્રી સુસ્થિતસૂરિ, શ્રી આર્યરક્ષિતસૂરિ, શ્રી સ્કંદિલાચાર્ય આદિની નિશ્રામાં દરબાર ભરાયો હતો, વાચનાની આપ-લે થઈ હતી, આગમોની પંક્તિઓસૂત્રોની પુનરાવૃત્તિ થઈ હતી એ જ પદ્ધતિએ શ્રદ્ધાળુ શ્રમણો, જ્ઞાનપિપાસુ મુનિઓ, હૃતોપાસક સાધુઓના સરસ્વતિનંદનો વલભીપુરમાં દેવર્ધિગણી ક્ષમાશ્રમણની નિશ્રામાં ભેગા થયા હતા. ભેગા થવાનું મુખ્ય કારણ ભૂલાતાં ધૃતસાગરને, વિસ્મૃત થતાં આગમને, જ્ઞાનની આપલેની પદ્ધતિને હવે સંજ્ઞામાં વર્ણમાળામાં સ્થાપિત કરવી જરૂરી હતી. જો આમ ન થાય, તો પ્રભુ વીરનો સંદેશો ઉપદેશ જૈન દર્શનનું જ્ઞાન-- સ્યાદ્વાદ ધર્મની વિચારણાની કડીઓ તૂટી જશે. તૂટેલાને સાંધવામાં વિલંબ થશે. તો અશ્રદ્ધા, અવિશ્વાસ જન્મ લેશે. કેવળી પ્રભુનું સત્ય સાચું ત્રણે કાળનું જીવમાત્રનું નવતત્ત્વાદિનું સંપૂર્ણ જ્ઞાન અપૂર્ણ દેખાશે. જિનશાસનની શ્રુતજ્ઞાનની સંપત્તિ અવ્યવસ્થિત થતાં ઘણાં નુકસાન થશે. ત્રણ સાંધતા તેર તૂટે–તે રીતે શબ્દ શબ્દની મારામારી થવા લાગશે. --પદાર્થની ઓળખ તસ્વરૂપે થશે નહીં ભાવનાનું ભાવિ ગુંગળાઈ જશે, રૂંધાઈ-અટવાઈ જશે. જે ભાવના કારણે આત્મા ભાવિક થાય છે. જે ભાવના કારણે આરાધક સાગરને પેલે પાર સંસાર તરી જાય છે તે ભાવનાની ઓટ આવશે. ભરતી-વૃદ્ધિ આનંદ અપાવે ઓટ ક્ષય કર્મ બંધાવે. કર્મ તોડવાનું, કમરહિત થવાનું, કર્મના જોરને ઢીલું કરવાનું સાધન-શ્રુતજ્ઞાન સત્વરહિત થશે. આ ચિંતાના કારણે ભાવિના અશુભ પરિણામને ભાવિના નાગરિકો અનુભવ ન કરે તે કારણે મળેલા પ્રાજ્ઞ પુરુષોએ એકવાક્યતાથી સમ્યજ્ઞાનને શબ્દોમાં ગૂંચ્યું. શબ્દો પાના રૂપ થયા પાનાં ગ્રંથરૂપ ગૂંથાયાં અને એ ગ્રંથો એટલે જ ૪૫ આગમ. આપણે સૌ એ દીર્ઘદૃષ્ટાઓને શતશઃ વંદન કરીએ. એ શ્રુતજ્ઞાનને શ્રદ્ધા-ભક્તિથી વાંચીએ અને જીવનને ધન્ય કરીએ.
શાશ્વત તીર્થની સ્પર્શના શાશ્વત શત્રુજ્ય તીર્થની યાત્રાએ તળેટીથી નીકળેલ યાત્રિકને માર્ગમાં જે જે નાની મોટી દેરી-દેરાસર આવે છે તેનો ભાવયાત્રાની દૃષ્ટિએ શાબ્દિક પરિચય આપેલ છે.
પ્રારંભ જયતળેટીમાં : આદિનાથ-અજિતનાથ-શાંતિનાથ-ગૌતમસ્વામી-પુંડરિક સ્વામી આદિનાં પગલાં નાની નાની દેરીમાં પ્રથમ દર્શન કરી-ચૈત્યવંદન કરી, ખોનાના દેરાસરમાં દર્શન કરી, ધનવસહીટૂંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org