________________
અભિવાદન ગ્રંથ ]
[ ૪૬૩
સુંદરીઓ આ વાત સાંભળી મૂચ્છિત થઈ ગઈ. જ્યારે ભાનમાં આવી ત્યારે કહેવા લાગી કે તમાર પ્રેમ એટલો બધો છે કે અમો એક દિન પણ તમારા વગર નહીં રહીએ. માટે કાલે પૌષધ કરવાનું માંડી વાળો.
રાજાએ કહ્યું કે એક ક્ષણિક સુખ ખાતર મારી પ્રતિજ્ઞા ન તોડું. સુંદરીઓએ કહ્યું કે તમોએ વચન આપ્યું તેનું શું? માટે ધર્મ છોડી દો. નહીંતર આત્મહત્યા કરીશું. રાજા વિચારે છે કે આ ચંડાળની કન્યા લાગે છે, આ વિદ્યાધર કન્યા નથી. જે ધર્મમાં અંતરાય ઊભો કરે ને આત્મહત્યા કરે. સુંદરીઓએ કહ્યું કે અમો પ્રાર્થના કરીએ છીએ કે આવતી કાલે પૌષધ કરવાનું માંડીવાળો. તમોએ અમને અમારું કહ્યું માનવાનું વચન આપ્યું હતું તે પાળો ને નહીં તો જિનેશ્વરની સમક્ષ જે વચન તમે અમને આપ્યું હતું તે જિનાલય તોડી નાંખો.
રાજા આ સાંભળતાં જ મૂચ્છિત થઈ ગયો ને ભોંય ઉપર પડી ગયો. ઉપચાર કરતાં તે ભાનમાં આવ્યો અને બોલ્યો કે ખરેખર તમો અધમ દેખાવ છો. સુંદરીઓએ કહ્યું કે તો તમારા પુત્રનું મસ્તક છેદીને આપો. રાજાએ પુત્રનું મસ્તક છેદને જીવહિંસા કરવાની ના પાડી ને પોતાનું મસ્તક તલવારથી છેદવા જતાં ખડ્ગ સ્થંભિત થયું. ફરી બીજું ખડ્ગ લીધું ને તે પણ સ્થંભિત થઈ ગયું. પોતાનું મસ્તક છેદવામાં સફળ ન થયો. તેથી બંને રંભા-ઉર્વશી મૂળ સ્વરૂપે પ્રગટ થઈ બોલી.
રાજન! તારા દૃઢ નિયમને ધન્ય છે. તારા મહિમાથી અમારું મિથ્યાત્વ નાશ થયું. ત્યાર પછી સૂર્યયશા અરીસામાં પોતાના પિતાની જેમ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
*****
Jain Education International
મારા માવાન
For Private & Personal Use Only
www.jainelibrary.org