________________
૪૫૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
ગુરુ મ. કહ્યું કે, હે રાજન! અભિનવશેઠે દ્રવ્યથી ભક્તિ કરી. ભાવથી તો જીરણ શેઠે ભક્તિ કરી છે. જો તે વધુ શુભ ભાવમાં હોત અને દુંદુભિનાદ ન સાંભળ્યો હોત તો તેને થોડી વારમાં કેવલજ્ઞાન થાત. આ સાંભળીને રાજન દ્રવ્ય અને ભાવભક્તિમાં લીન થયા.
જીરણ શેઠ બારમા દેવલોકે ગયો. ક્રમે કરી મોક્ષે જશે.
ત્રિવિક્રમ રાજા
ભૂલ...કેવી ભૂતાવળ સર્જે છે તેની દાસ્તાન એટલે આ કથા. મુનિ થયા પછી થયેલી ભૂલો કેટલા ભવોના વેરના વાવેતર કર્યા તે માટે વાંચો જરૂર આ કથાનક.
શ્રાવસ્તી નગરીમાં ત્રિવિક્રમ રાજા પ્રતાપી અને ન્યાયી રહેતો હતો. તે એક વખત વનમાં ફરતો હતો, ત્યારે એક પક્ષીની કર્કશવાણી સાંભળી. ધનુષ્યબાણ ચડાવીને તેને વિંધ્યું. પછી દયા આવવાથી તેને બચાવવા બાણ ખેંચીને તેનો ઉપચાર કર્યો છતાં તે પક્ષી મરી ગયું. રાજાને ઘણો પશ્ચાત્તાપ થયો. ત્યાં જ આગળ જતાં એક મુનિ મલ્યા. તેમને અહિંસાદિ ધર્મોપદેશ આપતાં રાજાએ કોઈને પૂછ્યા વગર તરત દીક્ષા લીધી અને મહા તપસ્વી થયા. તેમને તેજો લેશ્યા લબ્ધિ ઉત્પન્ન થઈ.
પેલું જે પક્ષી હતું તે મરીને ભીલ થયેલ. તેને આ મુનિવરને જોઈને ક્રોધ ઉત્પન્ન થયો. મારવા માટે જ્યાં જાય છે ત્યાં મુનિવરે તરત તેજોલેશ્યા મૂકી તેને બાળી મૂક્યો. ભીલ મરી સિંહ થયો. પાછો તેને મુનિવરનો ભેટો થયો ને ક્રોધથી મારવા ગર્યા, ત્યાં પાછી તેજોલેશ્યા મૂકીને મુનિવરે સિંહને ભસ્મસાત્ કરી નાંખ્યો. તે મરીને હાથી, પછી જંગલી સાંઢ, પછી સર્પ, અને છેવટે બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો.
દરેક ભવે મુનિવરનો ભેટો થાય ને તેજોલેશ્યા મૂકીને તેને ભસ્મ કરી દેતા. તે જ બ્રાહ્મણ મરીને કર્મક્ષીણતાએ--યથાપ્રવૃત્તિકરણે મહાબાહુ નામનો રાજા વારાણસી નગરીમાં થયો.
કોઈક વખતે રાજમાર્ગે પસાર થતાં એક મુનિરાજને જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનાં સાત ભવો જોયા ને પોતાની જાત ઉપર ધિક્કાર થયો.
મુનિના પાપનું કારણ જાણી મુનિને શોધવા પોતાને સદ્બોધ મળે તે ઉદ્દેશથી શ્લોક રચ્યો.
શ્લોક---વિજ્ઞાઃ શવરઃ સિંહો, દ્વીપી સ૩: ળી વિઘ્નઃ । અંત્યર્થપૂરળત્તસ્ય સક્ષ્યમિત્યુપોષણેત્ । । એટલે કે પક્ષી, ભીલ, સિંહ, હાથી, સાંઢ અને બ્રાહ્મણ આ અર્ધ શ્લોકની જે પૂર્તિ કરી આપશે તેને રાજા લાખ સુવર્ણમુદ્રાઓ આપશે.
નગરમાં ઉદ્ઘોષણા કરાવી. હજારો લોકો સાંભળે છે. ઘણા દિવસ ગયા છતાં કોઈ પાદપૂર્તિ કરનાર ન મલ્યું. એક દિ તે જ નગરમાં તેજોલેશ્યાવાળા મુનિવર આવ્યા. કોઈક રબારીએ તે મહાત્મા પાસેથી શ્લોકનો અડધો ભાગ મેળવીને રાજા પાસે સંભળાવ્યો.
યેનામી નિહતાઃ હોપાત, સ યં મવિતા દૂહા । અર્થ---ક્રોધથી જેમણે આ હણ્યા તેમનું શું થશે. આ પ્રમાણે રાજાએ સાંભળીને ગોવાળને પૂછ્યું કે સાચું બોલ, શ્લોક બરાબર છે; પણ આ તારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org