SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૪૫૧ આ ભરતક્ષેત્રમાં કામપુર નામનું નગર છે. ત્યાં વિજયચંદ્ર નામનો રાજા ન્યાયથી રાજ્ય કરતો હતો. તે નગરમાં સંઘદત્ત નામના શ્રેષ્ઠીને કેશરી નામનો પુત્ર હતો. આ કેશરીમાં ચોરી કરવાની આદત હતી. શેઠે તેને ખૂબ સમજાવ્યો છતાં ન માન્યો. તેથી રાજા આગળ જઈ ફરિયાદ કરતાં રાજાએ તેને નગર બહાર કાઢી મૂકયો. ચોરીના વ્યસનવાળો કેશરી, તેને ચોરી કર્યા વગર ચેન પડતું નહીં. કોઈક દિવસ ચાલતાં ચાલતાં સરોવરમાં પાણી પીવા રોકાયો. ત્યાં કોઈક સિદ્ધપુરુષ પાદુકાના પ્રભાવથી ઊડીને ત્યાં આવ્યો. પાદુકા એકાન્તમાં મૂકી તે સરોવરમાં જેવો સ્નાન કરવા ઊતર્યો કે કેશરી તે પાદુકા લઈને ઊડી ગયો ને પિતા પાસે આવ્યો. પણે પિતાએ તેને કાઢી મૂક્યો. પછી તે જંગલમાં રહેતો ને તેના નગરમાં ગુપ્ત રીતે રોજ ચોરી કરતો. તેથી રાજા પાસે ફરિયાદ જતાં રાજાએ વન-જંગલ વિ.માં તપાસ કરી. છેવટે તેને પાદુકા વડે ઊડતો જોયો ને તેની પાદુકા અવસરે લઈ લીધી. રાજાએ તેને પકડવા સેવકોને આદેશ કર્યો અને તેની પાછળ સેવકો પડ્યા. ત્યારે તેને વૈરાગ્ય જાગ્યો કે મેં આ ભવમાં પાપ કર્યું તેથી આજે જ મારું મૃત્યુ થશે, આ સેવકો મને છોડે તેમ નથી. ત્યાં કોઈક મુનિને ઉપદેશ આપતા સાંભળ્યા : રાગ-દ્વેષને મૂકી જે જીવ શુભધ્યાનમાં રહે છે તે ક્ષણ માત્રમાં ઘોર પાપથી મુક્ત થઈ જાય છે. ત્યાં તે ધ્યાનમાં રહ્યો ને અનિત્ય ભાવના ભાવતાં ત્યાં જ કેવળજ્ઞાન થઈ ગયું. અહીં રાજા અને સેવકોએ તેને જોયો અને પકડવા માટે આવ્યા, પણ જ્યાં આગળ વધે છે ત્યાં દિવ્ય વસ્ત્રાભૂષણથી દેવતાઓ કેવળીને નમસ્કાર કરે છે. તે જોઈ રાજા આશ્ચર્ય પામ્યો. એટલામાં દેવતાઓએ તેને સાધુ વેષ આપ્યો અને સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન કર્યા. રાજા વિગેરેએ ત્રણ પ્રદક્ષિણા પૂર્વક કેવલી ભાને પૂછ્યું : આવી ભયંકર ચોરી કરનાર આપને કેવી રીતે કેવલજ્ઞાન થયું? કેવલી ભગવંતે કહ્યું કે, શુભધ્યાન અને સમ્યફ સામાયિકનું આ ફળ છે. કોડો વર્ષનાં કર્મો લાંબી તપસ્યાથી નષ્ટ ન થાય તે સમભાવથી ક્ષણમાત્રમાં થાય છે. રાજા પણ કેવલીના ગુણગાન ગાતો પોતાના સ્થાને ગયો. કેવલી પણ ભવ્ય જીવોને પ્રતિબોધ પમાડતા અનંત સુખના સ્વામી થયા. ધર્મકુમાર ) ભાવિને પણ પત્રે ભગવાન જ્યોતિષીઓની ૧૨ વર્ષ દુષ્કાળ પડવાની આગાહી સ્પષ્ટ હોવા છતાં ભાગ્યવાન ઘર્મનિષ્ઠ ધર્મકુમારના જન્મ આખા નગરના દુકાળને અલોપ કરી દીધું....એકના પુન્ય અનેકને ચિંતામુક્ત કર્યા. વાંચો ત્યારે ધર્મકુમારની ઘર્મારાધના. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કમલપુર નામનું નગર છે. ત્યાં સહસ્ત્રાક્ષ નામનો રાજા રાજ્ય કરે છે. એક વખત રાજસભામાં નિમિત્તિયો આવ્યો. તેને રાજાએ પૂછ્યું કે, તું કાંઈ જાણે છે? તેણે કહ્યું કે, હું રાજન! આ વખતે બાર વર્ષનો દુકાળ પડશે. રાજાએ તે સાંભળીને અનાજનો સંગ્રહ કરવા પ્રજાજનોને કહ્યું. પણ બન્યું એવું કે અષાઢ મહિના પહેલાં જ ધોધમાર વરસાદ પડ્યો અને સર્વત્ર આનંદ વ્યાપી ગયો. s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy