________________
અભિવાદન ગ્રંથ 7
[ ૪૪૧
સત્તાવીશ દેરીના નામથી ઓળખાતું બાવનજિનાલય દર્શનીય છે. શ્રાવકોનું અત્રે પણ ઘણું મોટુ યોગદાન રહ્યું છે. ઉદેપુર : મેવાડની રાજધાની અને શક્તિશાળી રાણાઓની પરંપરા નગરીની વિશિષ્ટતાની સાક્ષી પૂરે છે. મહારાજા શ્રેણિક આવતી ચોવીશીમાં પ્રથમ શ્રી પદ્મનાભ તીર્થંકર થવાના છે. તેની સુંદર પ્રતિમાજી મૂલનાયક તરીકે અત્રે બિરાજમાન છે. ડુંગરપુર : ડુંગરપુરના રાજવી શાબાશાહના સમયમાં ગોપીનાથ ને સોમદાસ મંત્રીઓ હતા. તેમણે અહીં તથા બીજી ઘણા સ્થળે જિનમંદિર બંધાવ્યાના ઉલ્લેખો મળે છે. ભારતની પ્રાચીન ઐતિહાસિક નગરી ઉજજૈન જ્યાં રાજવી ચંપ્રદ્યોત, સંપ્રતિ, વિક્રમાદિત્ય થયા હતા. ક્ષિપ્રા નદીને કાંઠે આવેલ આ નગરીમાં અવંતી પાર્શ્વનાથજી મૂળનાયક તરીકે બિરાજમાન છે. રાજા ભોજના સમયમાં કવિ ધનપાલ તેમજ શોભનમુનિ આ નગરીનાં રત્નો હતાં. શ્રીપાલ રાજાની નવપદ આરાધનાભૂમિ પણ આજ ભૂમિ છે. અત્રેના મહાકાલમંદિર સાથે આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકરજીનું નામ સંકળાયેલું છે. માંડવગઢના સંગ્રામ સોની મંત્રીએ છૂટે હાથે લક્ષ્મીનો ઉપયોગ કરી મક્ષી, માંડવગઢ, ધાર, મંદસોર વગેરે સ્થળે ૧૭ જેટલાં જિનમંદિરો બંધાવ્યાં હતાં. ગિરિતીર્થ માંડવગઢમાં મંત્રી પેથડ શાહ, ઝાંઝણ શાહ, સંગ્રામસોની વગેરે પ્રભાવક પુરુષો થયા હતા. એક સમયે અત્રે ૩૦ જિનમંદિરો હતાં. ભોજરાજાએ સંસ્કૃત વિદ્યાલય અહીં સ્થાપ્યું હતું. રાજગૃહીનગરી : મગધની રાજધાની જ્યાં પ્રભુ મહાવીરે બાર ચાતુર્માસ કયા ત્યાંના આદર્શ રાજવીઓ અને શ્રેષ્ઠીઓના આદર્શ પરિચયો મળે છે. શ્રેણિક-અભયકુમારથી પ્રતિષ્ઠિત આ ભૂમિ મેતાર્ય મુનિ, શાલીભદ્ર, ધન્ના શેઠ, મેઘકુમાર, નંદિષેણ, અર્જુન માળી, કયવન્ના શેઠ, જેબૂસ્વામી, પ્રભાસ, શય્યભવસૂરિ, પૂણીયો વગેરે નામાંકિત મહાપુરુષોની જન્મભૂમિ છે. ધન્ય ભૂમિ અને ધન્ય ત્યાંના જિનભક્તો. જગતભરમાં પંકાયેલુ કલકત્તાનું બદરીદાસ બાબુનું કાચનું જિનાલય જોવાલાયક છે. સં. ૧૯૨૩માં તેની પ્રતિષ્ઠા થઈ. હીરા-માણેક, પન્ના, રત્ન-મણિથી સુશોભિત આ મંદિર ભારતભરમાં અજોડ અને અનુપમ છે. લખનૌ શહેરમાં ભ. મહાવીરસ્વામીનું શિખરબંધી દેરાસર સં. ૧૯૧૨માં ઝવેરી ઈદરચંદજી ખેમચંદજીએ બંધાવેલ. શિલ્પકલાના ઉત્તમ નમૂના અત્રે જોવા મળે છે. હસ્તિનાપુરએ અયોધ્યા જેટલી જ પ્રાચીન નગરી છે. ઋષભદેવ ભગવાનના ૨૧મા પુત્ર હસ્તિકુમારે આ નગરી વસાવી હતી શ્રેયાંસકુમારને હાથે ઋષભદેવ પ્રભુના વરસીતપનું પારણું અહીં થયું હતું. મલ્લિનાથ ભગવંતે છ રાજાઓને અહીં પ્રતિબોધ કર્યા હતા. અહીં જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા સુરત-રાંદેરના
વીરચંદભાઈ ઝવેરીએ કરાવેલ. * કુમારગિરિ (ખંડગિરિ) જે દક્ષિણ ભારતની પ્રાચીન નગરી અંતરીક્ષની સમકાલીન ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org