SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૪૩૯ | * આચાર્ય તુલસીજી (તેરાપંથી)એ શત્રુંજયગિરિની પ્રશંસા કરી તેથી તેમના એક ભક્ત દાદાના ચરણમાં મહામૂલ્યવાન એક મણિની ભેટ ધરી, જે આજે પણ પેઢીમાં વિદ્યમાન છે. * જ્યારે હેમચન્દ્રાચાર્યનો અગ્નિસંસ્કાર થયો ત્યારે હજારો લોકો એકત્રિત થયા અને રાખ લેવા માટે એટલી મોટી પડાપડી થઈ કે જ્યાંથી લોકો માટી ઉઠાવવા માંડ્યા--ત્યાં મોટો ખાડો પડી ગયેલ, જેનું નામ હેમખાડ પડી ગયું. * મુંબઈ-મલબાર હિલ ઉપર વાલકેશ્વરમાં આવેલું શ્રી આદીનાથપ્રભુનું ભવ્ય મંદિર બાબુ અમીચંદ પન્નાલાલે બંધાયેલ છે. જૈન, જૈનેતર અને વિદેશીઓ પણ ખાસ દર્શનાર્થે આવે છે. * મુંબઈ નગરીના પ્રવેશદ્વાર સમા અગાસીનું મુનિસુવ્રતસ્વામીનું મંદિર શેઠ મોતીશાહે સં. ૧૮૯૨માં બંધાવેલ છે. મુંબઈ-ભાયખલાનું ભવ્ય મંદિર પણ મોતીશાહ શેઠની ભક્તિનું પ્રતીક છે. શત્રુંજયાવતાર જેવું આ તીર્થરૂપ બન્યું છે. * મુંબઈ પાસે થાણાનું હજારો વર્ષ જૂનું પ્રાચીન-મુનિસુવ્રતસ્વામીનું જિનાલય શ્રી નવપદજીના અનન્ય ઉપાસક શ્રીપાલ મહારાજાની સ્મૃતિ કરાવે છે. શ્રીપાલ-મયણાના જીવનપ્રસંગો તાજા થાય છે. સુરત ગોપીપુરામાં આવેલા હાથીવાળા દહેરાસરમાં સં. ૧૬૭૮માં શ્રી રત્નચંદ્રગણિએ પ્રાણપ્રતિષ્ઠા કરાવેલી. અમદાવાદના નગરશેઠના પૂર્વજ શાંતિદાસ શેઠે ચિંતામણિ મંત્રની આરાધના અત્રે કરી હતી. * નર્મદા નદીના કાંઠે આવેલ પ્રાચીન ભૃગુકચ્છ(ભરૂચ) જ્યાં આર્ય--કાલકસૂરિ, આર્ય ખપૂટાચાર્ય વગેરે આચાર્યો વગેરેએ આવી, આ ભૂમિને પાવન કરી છે. શાંતુ મહેતા અને અંબડ મંત્રીનો શકુનિકા વિહારમાં ઉલ્લેખ મળે છે. ધવલ શેઠનો પણ અત્રે ભેટો થયો હતો. શ્રીપાલ રાજા આ ભરૂચ નગરીમાં આવ્યાનો ઉલ્લેખ મળે છે. * ભરૂચ પાસે કાવી તીર્થમાં સાસુ વહુની સ્પર્ધાથી બે ભવ્ય જિનમંદિરોનું નિર્માણ થયું. આ. સેનસૂરીશ્વરજીએ આ બન્ને દેરાસરની સં. ૧૬૪૯ અને ૧૬૫૫ માં પ્રતિષ્ઠા કરી હતી. * ભરૂચ પંચતીર્થીમાં આવેલ ગંધારની જાહોજલાલી એક સમય પૂરબહારમાં હતી. સં. ૧૮૧૦માં હરકોર શેઠાણીએ આ ક્ષેત્રનો જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખો મળે છે. સિદ્ધરાજના સમયમાં પ્રાચીન નામ દર્ભાવતી હાલ ડભોઈ તરીકે પ્રસિદ્ધ છે. વીર ધવલના મંત્રી તેજપાળે ૧૭૦ દેવકુલિકા સહિત અત્રેના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. માંડવગઢના પેથડ શાહે સં. ૧૩૨૦ લગભગમાં શ્રી ચંદ્રપ્રભુજીનું મંદિર બનાવેલું હતું. * વડોદરાના ઘણાં જિનમંદિરો પૈકી દાદા પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર વસ્તુપાલે કરાવેલો. સજ્જનમંત્રીએ અહીં મોટી રથયાત્રા કાઢી હોવાના ઉલ્લેખો મળે છે. * હેમચન્દ્રાચાર્ય અને કુમારપાળનો જ્યાં ભેટો થયો તે ખંભાતના પ્રાચીન મંદિરો પણ યાત્રા કરવા લાયક છે. ઉદયન મંત્રીએ અત્રે ઉદયનવસહી નામનું જિનમંદિર બંધાવ્યું હતું. * જૈનપુરી તરીકે પ્રખ્યાતિ પામેલા અમદાવાદમાં સં. ૧૯૦૩ માં શેઠ હઠીસીંગે ૮૪ દેરી સહિતનું મંદિર બંધાવ્યું--સરસપુરમાં શેઠ શાંતિદાસે ચિંતામણિ પાર્શ્વનાથનું બાવન જિનાલય મંદિર બંધાવેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy