SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૩૭ ૨૩ લાખ રૂપિયા ખર્ચીને ઘણાને સહાય કરેલી તેથી કહેવાય છે કે “ગંધારના રાજીયા વાજીયા ખંભાત બંદરે ગાજીયા.” જ્યારે વસ્તુપાલમંત્રી સંઘ લઈ ગિરનાર જાય છે તે વખતે અનુપમાદેવી ભાવવિભોર બનતાં પોતાના ગળામાં રહેલા ૩૨ લાખના દાગીના પ્રભુને પહેરાવી દે છે. પછી એક કરોડ પુષ્પો વડે પૂજા કરે છે. ગિરનારથી શત્રુંજય જતા લલિતાદેવીએ ૩૨ લાખના દાગીના આદિનાથને પહેરાવી દીધા. દાનવીર જગડુશાહે ૧૦૮ જિનાલયો બંધાવ્યાં, શત્રુંજયના ત્રણ સંઘ કાઢ્યા, ભદ્રેશ્વરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ધર્મનંદન રાજાએ શત્રુંજય ઉપર યક્ષે આપેલી રસકૂપિકાથી કોટિભાર પ્રમાણ સોનુ બનાવી ૧૦ ભાઅમાણ સોનાનાં ૧OO જિનબિંબો, ચાંદીનાં એક લાખ જિનબિંબો, પિત્તળનાં નવ લાખ જિનબિંબો અને પાષાણનાં ૯૦ લાખ જિનબિંબો ભરાવીને શાસનપ્રભાવના કરી. માંડવગઢનો જાવડશાહ જે “લઘુશાલિભદ્ર” કહેવાતો તેણે પાંચ જિનાલય બંધાવ્યાં, તેમાં ૧૧ શેર સોનાની, ૨૨ શેર ચાંદીની એમ બે પ્રતિમા બનાવેલ. પ્રતિષ્ઠામાં ૧૧ લાખ દ્રવ્યનો ખર્ચ કરેલ. * ગંધારના ઇન્દ્રજી પોરવાલે હીરસૂરિજીના ઉપદેશથી ૩૬ જિનાલયો બંધાવેલાં. કૃષ્ણમહારાજાએ ગિરનારજી ઉપર સોનારૂપા અને મણિનાં મંદિરો બંધાવેલાં. દશાર્ણભદ્ર રાજાએ “વીર પ્રભુ પધાર્યા' એવી વધામણી આપનાર વ્યક્તિને સાડાબાર લાખ ચાંદીના દ્રમક અને પોતાના અંગ ઉપરનાં બધાં જ આભૂષણો ભેટ આપેલ. વઢવાણના રત્નાશેઠે વસ્તુપાલના સંઘના ૭ લાખ માણસોની સંઘપૂજા અને સાધર્મિક ભક્તિ કરેલ તથા સંઘવીને દક્ષિણાવર્ત શંખ અર્પણ કરેલ. સંપ્રતિ મહારાજાએ ભરતક્ષેત્રના ત્રણ ખંડમાં દરેક ગામમાં સાધર્મિક વાત્સલ્ય કરેલ. અને ૭00 દાનશાળા ખોલેલ. ગોવિંદચંદ્ર રાજાના પુત્ર જયન્તચંદ્ર ૧૮ લાખ સોનામહોર દીનદુ:ખીજનો પાછળ ખર્ચેલ. * મહારાજા અશોકે વટેમાર્ગુઓ માટે અડધા અડધા ગાઉના અંતરે પાણીની પરબો ખોલેલી અને તેની અન્નશાળામાં ૬OOOO બ્રાહ્મણો દરરોજ ભોજન લેતા. * દોલતાબાદના કરોડપતિ શેઠ જગતસિંહે ૭00 વસ્ત્રો, ૭00 સોનામહોરો, શ્રેષ્ઠ તાંબુલની સાથે સાધર્મિકોને આપેલ. * પુત્ર સંપતિએ કુલ સવા લાખ જિનમંદિરો બંધાવેલાં તથા છત્રીશહજાર જીર્ણોદ્ધાર કરાવેલા. * આમ રાજાએ ગોવર્ધન પર્વત ઉપર સાડાત્રણ કરોડ સોનામહોર ખર્ચીને જિનાલય બનાવ્યું હતું. તેના મૂળ મંડપમાં સવાલાખ સોનામહોર તથા રંગમંડપમાં ૨૧ લાખ સોનામહોર વાપરી હતી. * પેથડમંત્રીએ સાત કરોડ સોનામહોર, વસ્તુપાલે અઢાર કરોડ સોનામહોર અને થરાદના આભૂ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy