________________
૪૧૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
જિનપૂજા કરતો દેખાડ્યો. આ દશ્ય જોતાં અજયપાળ સમસમી ઊઠ્યો. પણ વચ્ચેથી નહીં ઊઠવાની શરતને આધીન હોવાથી લાચાર બનીને બેસી રહ્યો.
બીજા અંકમાં એની વૃદ્ધાવસ્થા દેખાડી. બાપ મરણપથારીએ પડ્યો. ત્રણે પુત્રોને બોલાવ્યા. જિનમંદિરની રક્ષા કરવાનું કહ્યું અને પરમાત્માની સદૈવ ભક્તિ કરવાની પ્રેરણા કરી. પહેલા બે પુત્રોએ તો પિતાજીની આજ્ઞાને વધાવી લીધી. પરંતુ સૌથી નાના નાસ્તિક પુત્રે તેમ કરવાની ઘસીને ના પાડી દીધી; એટલું જ નહિ પરન્તુ ગુંડા જેવા પોતાના મિત્રોને તે લઈ આવ્યો અને પિતાએ નિર્માણ કરેલ ગગનચુંબી જિનમંદિરને ખતમ કરવા માટે શિખર ઉપર ચડીને પોતાના જ હાથે પહેલો ઘા કર્યો.
આ દશ્ય જોઈને કમકમી ઊઠેલા પિતાએ પથારીમાંથી બેઠા થઈને ભારે ઉશ્કેરાટથી રાડ નાખતાં કહ્યું, “ઓ કર્મચંડાલ! પેલો અજયપાળ પણ તારા કરતાં સારો કે જે કુમારપાળના મૃત્યુ બાદ તેનાં બનાવેલાં મંદિરો તોડે છે; અને તું મારા જીવતાં જ મારું જિનમંદિર ખતમ કરવા તૈયાર થયો છે!”
નાટકનું આ દશ્ય જોતાં રાજા અજયપાળ કંપી ઊઠ્યો. સિંહાસનેથી એકદમ ઊભા થઈ જઈને એણે બૂમ પાડીને કહ્યું, “ઓ રામલાલ બારોટ! બસ કર....બહુ થયું....આ દશ્ય મારાથી જોવાતું નથી.
આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે એક પણ મંદિરનો કદાપિ નાશ કરીશ નહિ.” અને....... તારંગાતીર્થના શિખર ઉપર ફરફરતી ધજા અભયવચન પામી ગઈ. શ્રીસંઘે રામલાલ બારોટનું વીરોચિત સમ્માન કર્યું.
( પારસમણિ શેઠ હઠીસિંહ અમદાવાદમાં આવેલી હઠીસિંહની વાડી, તે જ આ હઠીસિંહ શેઠ!
શેઠની ખ્યાતિ પારસમણિ તરીકેની હતી. કેટલાક તો તેમને પારસમણિ જ કહેતા. એક દિવસ ગામડાની અભણ બાઈએ આ સાંભળ્યું, અને એણે વિચાર કર્યો કે, “જો શેઠ પારસમણિ હોય તો તેમને લોખંડનો ટુકડો અડાડવાથી તે જરૂર સોનું થઈ જવું જોઈએ. લાવ, હું પરીક્ષા કરું. જો સાચું હશે તો મારી ગરીબી પણ ફેડાઈ જશે.”
તે બાઈ શેઠના ઘરે પહોંચી ગઈ. શેઠના એ પડતીના દિવસો હતા. પત્નીએ બાઈની સઘળી વાત સાંભળી અને અંદરના ખંડમાં બેઠેલા શેઠને વાત કરી. શેઠ વિચારમાં પડી ગયા. છતાંય ગરીબ બાઈને પોતાની પાસે બોલાવી પોતાની પત્નીનું બધું જ ઘરેણું તે બાઈને ભેટ ધરી દીધું. બાઈ આનંદવિભાર બનીને ચાલી ગઈ. શેઠ ખરેખર પારસમણિ પુરવાર થયા.
( ખુમારીવંતા વિરાચાર્ય ) સિદ્ધરાજ જયસિંહ જેમને ભારે બહુમાનથી સત્કારતો હતો એવા એ જૈનાચાર્ય નામે વીરાચાર્ય. કોણ જાણે કેમ, એક દી સિદ્ધરાજે ભરસભામાં વીરાચાર્યજીને કહ્યું કે, “આપના મુખ ઉપર જે તેજ છે તે આપને મળતાં રાજ સન્માનને આભારી છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org