SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૧૩ મુનિવરે આગળનું પદ ઉચ્ચાર્યું : યત કુક્ષિપ્રભવા એ તે વસ્તુપાળ ! ભવાદશાઃ (જેની કૂખેથી, હે ] વસ્તુપાળ ! તમારા જેવાઓનો જન્મ થયો છે). આ ખુલાસો સાંભળીને વસ્તુપાળનું શિર ઝૂકી ગયું. ( રાજા મેઘનાદની ઉદાત્ત સેવા–જીનભક્તિ ) એ રાજાનું નામ મેઘનાદ હતું; તેની રાણીનું નામ મદનમંજરી હતું. તેને ધરણેન્દ્ર દિવ્ય વસ્ત્ર આપ્યું હતું. તેના પ્રભાવથી કરોડોની કમાણી થતી હતી. આથી લાખો સોનામહોરોનું તેણે ગરીબોને દાન આપ્યું હતું. હજારો જિનમંદિરોનું નિર્માણ કર્યું હતું. તમામ જૈનોના કર માફ કર્યા હતા. કેટલાય સાધર્મિકોને કોટિપતિ બનાવ્યા હતા. હરેક પર્વતિથિએ ત્રણ હજાર રાજાઓ સાથે રાજા મેઘનાદ પૌષધ કરતા હતા. ( વર્ધમાનસૂરિજીને દેવીનો સંકેત ) જૈનાચાર્ય વર્ધમાનસૂરિજી વલ્લભીપુરમાં બિરાજતા હતા. એક વાર શૌચ માટે બહારની ભૂમિએ ગયા. ત્યાં કોઈ યુવતીને રડતી જોઈને તેમણે કારણ પૂછ્યું. તેણે કહ્યું, “ટૂંક સમયમાં જ આ નગરીનો ભંગ થવાનો છે માટે તમે બધાં જલદી નીકળી જાઓ.” “તમે ભિક્ષામાં વહોરેલું દૂધ કાલે લોહી થઈ જાય તો મારી વાત સાચી માનજો. એ દૂધ જ્યાં સુધી પાછું દૂધ ન દેખાય ત્યાં સુધી તમે ચાલ્યા જ કરજો.” અઢાર હજાર શ્રાવકો ભરેલાં ગાડાં સાથે સૂરિજીએ વિહાર કર્યો. જ્યારે સહુ મોઢેરા આવ્યા ત્યારે તે રક્તવર્ણ દૂધ શ્વેતવર્ણ થયું. આથી ત્યાં સહુએ મુકામ કર્યો ( વજસ્વામીજી અને જાવડશા ) મહુવાના ભાવડનો દીકરો જાવડશા હતો. જૈનાચાર્ય વજસ્વામીજીએ તેને શત્રુતીર્થના ઉદ્ધારની પ્રેરણા કરી હતી. તેણે કહ્યું કે, “મારાં અઢાર વહાણોનો બાર વર્ષ થયાં કયાંય પત્તો લાગતો નથી. જો આ કામ પતી જાય તો તીર્થોદ્ધારનો લાભ ચોક્કસ લઈ શકાય.” કોણ જાણે સૂરિજીએ કેવા આશિષ આપ્યા! બીજે દી અણધાર્યા વહાણોના વાવડ મળી ગયા. તેના માલની તમામ મિલકત જાવડશાએ તીર્થોદ્ધારમાં લગાવી દીધી. જાવડનું સાસરું ઘેટીમાં હતું. ( ઝાંઝણશાની દીકરી ઉપર સિદ્ધરાજનો શુભ પ્રેમ ) પેથડમંત્રીનો પુત્ર ઝાંઝણ હતો. તેની દીકરીને સિદ્ધરાજે પોતાના ખોળામાં બેસાડીને પોતાની દીકરી તરીકે જાહેર કરી હતી. એક દી દીકરીને “કાંઈક માગવા માટે સિદ્ધરાજે કહ્યું. તેણે કહ્યું, “હું જ્યાં લગી જીવું ત્યાં સુધી તમારા દરેક ગામમાંથી મને એક તોલો સોનું મળતું રહે તેવો પ્રબંધ કરવો.” આમાં દર વર્ષે તેને અઢાર લાખ, બાણું હજાર તોલા સોનું મળતું. આ તમામ દ્રવ્યનો સારા માર્ગે વ્યય કરી દેવામાં આવતો. આ દ્રવ્યમાંથી સાતસો નૂતન જિનાલયોનાં નિર્માણ પણ કરવામાં આવ્યાં હતાં. ૪૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy