________________
૪૧૦ ]
L[ જૈને પ્રતિભાદર્શન
છે.
તેને ખૂબ ધન્યવાદ આપ્યા. ઝાંઝણ તેમને પોતાના રસોડા ઉપર લઈ ગયો. ત્યાં જોયું તો હજી બીજી હજારો માણસ જમી શકે તેટલી મીઠાઈ ભરપૂર પડી હતી.
( હેમચન્દ્રસૂરિજી અને સુવર્ણસિદ્ધિ) એક વાર ગૂર્જરેશ્વર કુમારપાળને વિચાર આવ્યો કે જો પુષ્કળ ધનની સગવડ થાય તો પુષ્કળ લોકોને ધન આપીને જૈનધર્મી બનાવી શકાય. આ વિચાર તેમણે હેમચંદ્રસૂરિજી મહારાજા પાસે મૂક્યો. તેમણેય તે વાતમાં સંમતિ દર્શાવીને કહ્યું કે, “આપણા ગુરુદેવ દેવચંદ્રસૂરિજી મહારાજા પાસે સુવર્ણસિદ્ધિના પ્રયોગનો પાઠ છે. તે મેળવી લેવાય તો આ ભાવના પૂરી થાય. તે માટે ગુરુદેવને અહીં આમંત્રણ આપીને બોલાવવા જોઈએ. હાલ તેઓ ગામડાઓમાં વિચરે છે.” કુમારપાળ ગુરુદેવ પાસે પહોંચી ગયા. તેણે માત્ર એટલી જ વાત કરી કે, “આપના શિષ્ય આપને યાદ કરે છે. આપ પાટણ પધારો તો અમને ખૂબ આનંદ થાય.” કોઈ અસાધરણ કામ હોવાની કલ્પના કરીને ગુરુદેવે પાટણ પધારવાની સંમતિ આપી. તેઓ એકાએક આવી ગયા, અને હેમચંદ્રસૂરિજી મહારાજાને પૂછ્યું કે,
તને વળી મારું શું કામ પડ્યું? તું જ હવે ક્યાં ઓછો સમર્થ છે?'' આ વખતે ગૂર્જરેશ્વર પણ ત્યાં જ બેઠા હતા. સૂરિજીએ ગૂર્જરેશ્વરની જૈનધર્મનો વિશાળ ફેલાવો કરવાની ભાવના જણાવી. આ સાંભળતાં જ ગુરુદેવ ઉદાસ થઈ ગયા. ગૂર્જરેશ્વરને વિદાય આપીને તેમણે પોતાના શિષ્યને કહ્યું, “તમે બંનેએ આ કેટલો અનુચિત વિચાર કર્યો? જો ધનથી જ ધર્મ ફેલાવી શકાતો હોત તો પરમાત્મા મહાવીર દેવ પાસે દેવેન્દ્રો હાજરાહજૂર હતા. તે પરમકૃપાળુએ જ તેમના દ્વારા આ કામ કેમ ન કરાવ્યું? જે ધર્મ ધનથી થાય તેમાં ધનનું જ મહત્ત્વ વધે; ધર્મનું કદાપિ નહિ.” “આવો વિચાર પણ અરિહંત-દેવની આશાતનારૂપ બની જાય. માટે ઝટ તેનું પ્રાયશ્ચિત્ત કરી લેવું.” ગુરુદેવની આ વાતથી સૂરિજીની આંખો ખૂલી ગઈ. તેમના જેવાથી આવી ભૂલ થઈ ગઈ તે બદલ તેમની આંખે આંસુ આવી ગયાં. ગુરુદેવનાં ચરણોમાં પડીને તેમણે ખૂબ પશ્ચાત્તાપ કર્યો. ગૂર્જરથરને પણ શાસ્ત્રદષ્ટિ સમજાવીને એ વિચારથી પાછા ફેરવ્યા. ( શ્રેણિક અને ભદ્રામાતા : અનુમોદનાનો આલાદ )
જ્યારે ધનાઢ્ય શાલિભદ્ર દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે માતા ભદ્રા શાનદાર વરઘોડો કાઢવા માટે જરૂરી રાજની સામગ્રી લેવા મગધપતિ શ્રેણિક પાસે ગયાં. શાયિક સમ્યક્ત્વના માલિક રાજા શ્રેણિક શાલિભદ્રની દીક્ષાની વાત સાંભળીને અચંબો પામી ગયા. શ્રેણિક મનોમન બોલ્યા, એ ભોગીને ધન્ય છે. હું તો ભોગરૂપી કાદવનો કીટ છું. આવો સુકોમળ શાલિભદ્ર દીક્ષા લે છે? અહો....ધન્યવાદ.
“માતા ભદ્રા! તમારા સુપુત્રનો મહોત્સવ તો હું જ કરીશ. વરઘોડો હું કાઢીશ. આ બધો લાભ મારે જ લેવાનો છે.” મગધપતિએ ભદ્રાને કહ્યું. રાજસભા સમેટી લેવાઈ. શાલિભદ્રને ઘેર જઈને મગધપતિએ ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. દીક્ષાના દિવસે મગધપતિએ જાતે શાલિભદ્રને સ્નાન કરાવ્યું.
પીઠી પણ મગધપતિએ જ ચોળી. અને વરઘોડામાંય છડી ધારણ કરીને ઉઘાડે પગે મગધપતિ શાલિભદ્રની | પાલખીની આગળ ચાલવા લાગ્યા. વીપ્રભુના નામનો મગધપતિ જયજયકાર કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org