________________
અભિવાદન ગ્રંથ 7
[ ૪૦૭
કુમારવિહારની ચૈત્યપરિપાટી કરતા. પછી ગૃહમંદિરમાં ભોજન-નૈવેદ્ય ધરીને જમતા. સાંજે ઘર-દેરાસરમાં અંગરચના સામે આરતી, દીવો અને પ્રભુભક્તિ કરતા. રાત્રે મહાપુરુષોના જીવન ઉપર ચિંતન કરતા સૂઈ જતા. તેઓ આઠમ ચૌદસે એકટાણું કરતા; સવાર-સાંજ સામાયિક કરતા; તેમાં સંપૂર્ણ મૌન રાખતા.
( કુમારપાળને હેમચન્દ્રાચાર્યજીનો ઠપકો ) પોતાને મુનિ-જીવનનો યોગ અને ક્ષેમ (રક્ષા) પ્રાપ્ત થાય તે માટે ગૂર્જરેશ્વર તમામ સાધુ-ભગવંતોને ખૂબ ઉત્સાહથી વંદન કરતા. પણ એક દી શિથિલતાવાળા સાધુનેય તેમણે વંદન કર્યું. નાડોલના કોઈ યુવરાજે આ જોયું. તેણે વાંધો લીધો અને કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજને જણાવ્યું. તેઓએ ગૂર્જરેશ્વરને તેમ કરવાની ના પાડી. ગૂર્જરેશ્વરે ફરી તેવી ભૂલ નહિ થવાની ખાતરી આપી.
( વિમળમંત્રીની પ્રામાણિકતા )
જ્યારે મંત્રીશ્વર વિમળે આબુના પહાડ ઉપર જિનાલય બાંધવા માટે બ્રાહ્મણો પાસે જમીન માંગી ત્યારે તેમણે કહ્યું, “જોઈએ તેટલી જમીન સોનામહોરો પાથરીને લઈ લો.” - સોનામહોરો ગોળ હતી. તે જો પથરાય તો દરેક બે ગોળ સોનામહોરની વચ્ચે થોડી થોડી જમીન સોનામહોર વિનાની રહી જાય. અને તે મફતમાં લઈ લીધી કહેવાય. એ વિચારથી વિમળે ગોળ સોનામહોરોને ઓગાળીને ચોરસ બનાવી. અને પછી અડોઅડ સમગ્ર જમીન ઉપર ગોઠવીને જમીનની ખરીદી કરી. એક મહોરના જો ૨૫ રૂપિયા ગણવામાં આવે તો તે જમીનની કિંમત ૪ કરોડ, પ૩ લાખ, ૬૦ હજાર રૂ. થઈ હતી એમ કહી શકાય.
( અનુપમા દેવી : ષદર્શનમાતા ) ચંદ્રાવતી નગરીના શેઠ ધરણિગની દીકરી અનુપમા હતી. તેનું સગપણ તેજપાળ સાથે થયું હતું. તેના કદરૂપાપણાની તેજપાળને ખબર પડતાં તેણે સગપણ તોડવા ઘણા નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા, પણ લગ્ન તો થઈને જ રહ્યું. તેનાં પનોતાં પગલાં થતાં જ ઘરમાં સર્વ પ્રકારે ઉન્નતિ થવા લાગી, વળી દરેક વાતમાં એમની સલાહ ખૂબ જ ઉપયોગી નિવડવા લાગી તેથી અનુપમાદેવી સૌને પ્રિય થઈ પડ્યા. સૌ કોઈ તેમને ‘પદર્શન-માતા' કહેતા.
( સાજનૂએ હવેલીનો બનાવેલો ઉપાશ્રય ) ચોર્યાસી હજાર સોનામહોર ખર્ચીને તૈયાર કરાવેલા નવા વિશાળ પ્રાસાદમાં સાન્તનૂ મંત્રી વાદિદેવસૂરિજીને લઈ ગયા. દરેક માળ ચડતા ગયા, પણ સૂરિજી સાવ મૌન રહ્યા. તેમની સાથે આવેલા આચાર્ય માણેકચંદ્રસૂરિજીએ તે મૌનનું કારણ જણાવતાં સાન્તનૂને કહ્યું કે, “તમારું ઘર આરંભ-સમારંભનું ઘર છે. તેની અનુમોદના અમારાથી ન થાય. હા..જો આ ઉપાશ્રય તરીકેનું મકાન હોત તો જુદી વાત હતી.'
આ સાંભળીને તે જ ક્ષણે સાન્ત– મંત્રીએ તે મકાનને ઉપાશ્રય તરીકે જાહેર કરી દીધું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org