SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ] લાલભાઈની જૈનત્વખુમારી ગિરનારનો પર્વત ચડતાં અંગ્રેજ સાહેબને મુશ્કેલી પડી. તેમની સાથે ચાલતા લાલભાઈ શેઠને તેમને કહ્યું, ‘‘તમે આ પહાડ ઉપર ચડવા માટે પગથિયાં બનાવી લો. તેનો ખર્ચ અંગ્રેજ સરકાર આપશે.’’ દીર્ઘદ્રષ્ટા શેઠે તરત કહ્યું, ‘“સરકારના પૈસાની મારે જરૂર નથી, મારો એકેકો જૈન એકેકે રૂપિયો આપે તોય અગિયાર લાખ રૂપિયા થઈ જશે.'' કેવી અદ્ભુત ખુમારી, જૈનત્વની. જગસિંહ શેઠની સાધર્મિક ભક્તિ [ જૈન પ્રતિભાદર્શન દેવિગિર (હાલ મહારાષ્ટ્રમાં દોલતાબાદ)માં જગસિંહ નામના શેઠ હતા. પોતાના ૩૬૦ જૈન વાણોતર-નોકરોને પુષ્કળ ધન આપીને પોતાની હરોળના શ્રીમંત બનાવ્યા હતા. તે વાણોતરો દ્વારા હંમેશ બોતેર હજાર ટાંકનો વ્યય કરાવીને રોજ શ્રીસંઘમાં સાધર્મિક-વાત્સલ્ય કરાવતા. આમ બારેય માસ શ્રીસંઘમાં સાધર્મિક-વાત્સલ્ય ચાલતું. સારંગશેઠની નવકાર-ભક્તિ સારંગ શેઠ સુવર્ણ-ટંકોની ઝોળી ભરીને ફરતા. રસ્તે ચાલતાં, દુકાનમાં કે કોઈ પ્રસંગમાં જો કોઈ નવકાર મંત્ર બોલે તો તેને દરેક નવકાર દીઠ એક સુવર્ણ—ટંક દેતો. હાલિક ખેડૂત સમ્યક્ત્વ પામી ગયો ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવે હાલિક નામના ખેડૂતને પ્રતિબોધવા માટે ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામીજીને મોકલ્યા. ગુરુ ગૌતમસ્વામીજીની જ્ઞાનધારામાં ભીંજાઈને પાવન થયેલો ખેડૂત સમ્યક્ત્વ પામ્યો. તેણે દીક્ષા પણ લીધી. તેને વેષ આપવામાં આવ્યો. તેને લઈને ગૌતમસ્વામીજી પ્રભુ પાસે આવવા નીકળ્યા. પરમગુરુ પરમાત્માના ગુણ-વૈભવને સાંભળતાં તેની દર્શન કરવાની ઉત્સુક્તા વધવા લાગી. પણ જ્યારે ખરેખર તેણે પરમાત્માનું દર્શન કર્યું ત્યાં જ એ ચીસ પાડી ઊઠીને બોલ્યો, ‘‘આ તમારા ગુરુ! ના....તો તો મારે દીક્ષા પાળવી જ નથી....'' અને તે એકદમ ભાગી છૂટ્યો. ગુરુ ગૌતમસ્વામીજી આ દૃશ્ય જોઈ રહ્યા. પરમાત્માએ કહ્યું, ‘ગૌતમ! ભલે એણે સાધુપણું મૂકી દીધું પણ તે સમ્યક્ત્વ તો પામી ગયો! આ જ તેને મોટો ફાયદો થઈ ગયો. મેં તમને એ માટે જ મોકલ્યા હતા. બાકી મને જોઈને નાસી જવાનું કારણ મારી સાથે—મારા ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકેના ભવમાં—સિંહ તરીકેના જીવનમાં બંધાયેલું વેર છે.'' કુમારપાળની દિનચર્યા : ધર્મનિષ્ઠાની પારાશીશી ગૂર્જરેશ્વર કુમારપાળની દિનચર્યા ‘કાંઈક' આવી હતી. તેઓ મંગલપાઠથી જાગતા હતા. પછી નમસ્કાર-મંત્રનો જપ કરતા. બાદ ‘વીતરાગસ્તોત્ર' અને ‘યોગશાસ્ત્ર’ના બત્રીસ પ્રકાશોનું (દાંત બત્રીસ છે માટે?) સ્વાધ્યાયરૂપ ભાવમંજન કરતા. ત્યાર બાદ જિનમંદિરે દર્શન, ચૈત્યવંદન કરતા. પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy