SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૪૦૫ વિરક્ત હતા. તેઓ ધારત તો તમામ રોગોને પોતાના જ ઘૂંક વગેરેથી મટાડી શકત. ફરી તે બે દૈવો વેદ્યનું રૂપ લઈને આવ્યા. સાથે ઉત્તમ ઔષધો પણ લઈને આવ્યા હતા. તેમણે સનતમુનિને ઔષધપ્રયોગ કરવાની વિનંતી કરી. પણ તેમણે તો તેમના ૧૫૮ કર્મપ્રકૃતિ રૂપ ૧૫૮ આંતરરોગો મટાડવાનું કહ્યું. બાહ્ય રોગો તો કર્મક્ષય કરતા હોવાથી સંપત્તિરૂપ હતા. તેને મટાડવાની તેમને લેશ પણ જરૂર જણાઈ ન હતી. કર્મરોગને મટાડવાનું અસામર્થ્ય દર્શાવીને દેવો દેવલોકમાં ચાલ્યા ગયા. સનમુનિએ સાતસો વર્ષ સુધી જઘન્યથી છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કર્યો હતો. પારણામાં માત્ર ચણાની કાંજી અને બકરીના દૂધની છાશ જ લેતા. કારમો દાહ, આખા શરીરે ભયંકર ખંજવાળ, આંખમાં તીવ્ર શૂળ, પેટમાં અસહ્ય વેદના, ભયંકર કોટિનો દમ વગેરે ચોવીસેય કલાક રહેતા હતા. ( અવંતીસુકુમાળ એ નગરીનું નામ અવંતી હતું. ત્યાં ભદ્રા નામની શેઠાણી હતી. તેને “અવંતી-સુકુમાળ” નામે પુત્ર હતો. ભદ્રા અનેકવાર મહાત્માઓને વિનંતી કરીને પોતાના બાજુના ઘરે ઉતારો આપતી. એક વાર આર્યસુહસ્તિ મહારાજ સપરિવાર પધાર્યા. કોઈ રીતે મુનિઓ પાઠ કરતા તેમાં નલિની ગુલ્મ વિમાનનું વર્ણન આવ્યું. આ વર્ણન અવંતી-સુકુમાળે સાંભળ્યું. મનથી ઊહાપોહ કરતાં તેને જાતિ-સ્મરણ જ્ઞાન થયું અને પોતે તે જ વિમાનેથી અહીં આવેલ છે તે જાણવા મળ્યું. તેણે ગુરુદેવને તે જ વિમાને પાછા જવાનો ઉપાય પૂછ્યો ત્યારે ગુરુદેવે કહ્યું કે, “તે માટે તો દીક્ષા લેવી જોઈએ. પણ દીક્ષા લઈને મોક્ષે જ શા માટે ન જવું? આવા સ્વર્ગનાં સુખ તો મોક્ષ-સુખ પાસે બિંદુ જેટલાંય નથી!” કુમારે કહ્યું, “આપની વાત તદ્દન યથાર્થ છે. મને ખૂબ જ માન્ય છે. પરંતુ હાલ મારો ઉત્સાહ આ વિમાનમાં જ જવા બાબતમાં છે. એ માટે હું ઉત્તમ કોટિનું સંયમ પાળવા માટે તૈયાર છું.'' અને....કુમારે દીક્ષા લીધી. ખરેખર...સંકલ્પ મુજબ તે નલિનીગુલ્મ વિમાનમાં ટૂંક સમયમાં જ જન્મ પામ્યા. ( જગડ શ્રાવકની ઉદારતા ) ગૂર્જરેશ્વર કુમારપાળ છ'રિ' પાળતો સંઘ લઈને શત્રુજ્ય પહોંચી ગયા. સંઘમાળ પહેરવાનો સમય આવ્યો. નૈતિક રીતે તો ઉછામણી બોલ્યા વિના પણ ગૂર્જરેશ્વર સંઘમાળ પહેરવાને અધિકારી હતા; પરંતુ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવા માટે તેમણે ઉછામણી બોલાવવાનું શરૂ કરાવ્યું. ગૂર્જરેશ્વર અને તેમના મંત્રી વાભટ્ટ સામસામા આવી ગયા. લાખ સોનામહોરના કૂદકા ચાલવા લાગ્યા. ત્યાં એકાએક પાછળની હરોળમાંથી કોઈ બોલ્યું, “સવા કરોડ સોનામહોર.” અને સહુની નજર તે તરફ ફરી. સાવ સાદા અને મેલાં જેવાં કપડાંધારીને સહુએ જોયો. જરાક શંકા પડતાં ગૂર્જરશ્વરે તેને પોતાની પાસે બોલાવ્યો. એણે જગડ’ તરીકેની પોતાની ઓળખ આપી અને તરત જ ચીંથરે વીંટેલું એક રતન કાઢીને આપ્યું, જેનું મૂલ્ય પૂરા સવા કરોડ સોનામહોર હતું. બાદ આ જ સંઘે ગિરનાર તરફ પ્રયાણ કર્યું. ત્યાં પણ સંઘપતિની માળ પહેરવાની ઉછામણી બોલાઈ. એનો પણ લાભ સવા કરોડ સોનામહોર બોલીને એ જ જગડ શ્રાવકે લીધો ! અને વળી એક રત્ન આપી દીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy