________________
૪૦૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
પોતાનું આયુષ્ય ત્રણ વર્ષ આઠ મહિના કહેતો હતો તો કોઈ વળી દોઢ વર્ષ કે માત્ર સાત મહિના જ કહેતો હતો.
આનું કારણ તેમને એ જાણવા મળ્યું કે જે શ્રાવક જ્યારથી ખરેખરો ધર્મ આરાધવા લાગે છે ત્યારથી જ તે તેના આયુષ્યની ગણતરી કરે છે.
સમ્યગ્દર્શનનો મહિમા
મગધ-નરેશ શ્રેણિકે પુત્ર અભયને દીક્ષા લેવાની સંમતિ આપી. અભયકુમારે દીક્ષા લીધી. પછી બીજા પુત્ર કોણિકે તોફાન કર્યું. પિતાને જેલમાં પૂર્યા. માર મરાવ્યો. બીજી બાજુ ચેડા મહારાજા સાથે બે ખૂનખાર યુદ્ધો થયાં, જેમાં એક કરોડ એંસી લાખ માનવો મૃત્યુ પામ્યા.
અને છતાં.....શ્રેણિકના મનમાં અભયની દીક્ષા બદલ પશ્ચાત્તાપ ન થયો કે વીર-પ્રભુ સર્વજ્ઞ હતા છતાં અભયની દીક્ષાના નિમિત્તે સર્જાનારા આવા ભયાનક ભાવીની પોતાને જાણ ન કર્યા બદલ પ્રભુ ઉપર તિરસ્કાર પેદા ન થયો. આ હતો સમ્યગ્દર્શનનો મહિમા !
પ્રબળ પ્રભાવક વાદિદેવસૂરિજી
આબુ પાસે આવેલા મંડાર ગામમાં વીરનાગ પોરવાડ રહેતો હતો. તેને જિનદેવી નામની પત્ની હતી. તેમને પૂર્ણચંદ્ર નામનો એક દીકરો હતો. તેમના ગુરુ મુનિચંદ્રસૂરિજી હતા. મંડાર પ્રદેશમાં જોરદાર દુકાળ પડતા ગુરુદેવે વીરનાગને મદદ કરાવીને સહકુટુંબ ભરુચ સ્થાનાંતર કરાવ્યું. કાળઝાળ ગરીબીને લીધે આઠ જ વર્ષના બાળક પૂર્ણચંદ્રને પણ મસાલાના પડીકાંની ફેરી કરવી પડતી હતી. એક દી કોઈ શેઠને ત્યાં પૂર્ણચંદ્ર ગયો. શેઠ કોઈ કામમાં હશે એટલે પૂર્ણચંદ્ર બહાર બેસીને બાળસુલભ રમત કરવા લાગ્યો. એક ખૂણે પડેલા દેખાતા કોલસા ઉપાડીને બીજી બાજુ નાખવા લાગ્યો. શેઠ બહાર આવ્યા ત્યારે તેમણે બીજા ખૂણે પડેલા કટકાને કોલસાના રૂપમાં ન જોતાં સોનાના કટકા તરીકે જોયા. શેઠ ખૂબ કિત થઈ ગયા. બાળક પાસે બધા કટકા બીજા ખૂણે નંખાવીને શેઠે પોતાનું કામ કરી લીધું. આ વાતની ગુરુદેવ શ્રી મુનિચંદ્રસૂરિજીને ખબર પડી. માતાપિતાની સંમતિ લઈને પૂર્ણચંદ્રને દીક્ષા આપવામાં આવી. તેનું નામ ‘રામચંદ્રવિજય ’ રાખવામાં આવ્યું. વિ. સં. ૧૧૫૨માં દીક્ષા થઈ. ટૂંક સમયમાં જ નૂતનમુનિ જબરા વિદ્વાન થઈ ગયા. તેમણે અનેક વાદીઓને હરાવતા આચાર્યપદારૂઢ થતાં તેમનું નામ વાદિદેવસૂરિજી રાખવામાં આવ્યું. કોઈ પ્રસંગે શાસનદેવીએ તેમને ‘યુગપ્રધાન' કહ્યા હતા.
દિગંબરાચાર્ય કુમદચંદ્રને આમણે જ હરાવેલા. વિ. સં. ૧૮૮૧માં આ વાદ થયો હતો. ‘નારી દેહે કોઈ આત્માનો મોક્ષ થઈ શકે કે નહિ?'' એ પ્રશ્ન ઉપર પ૦૦ સવાલ-જવાબો થયા હતા, પણ કુમુદચંદ્રે મચક આપી ન હતી. છેવટે વાદિવેતાલ શાંતિસૂરિજી મહારાજાની ઉત્તરાધ્યયન સૂત્રની પાઈઅ-ટીકાના આધારે નારી-મોક્ષનો વિચાર મૂક્યો કુમુદચંદ્રને તે ઉપન્યાસ ન સમજાતા તેણે લેખિત માગ્યો. પણ તોય તે ઉત્તર ન વાળી શક્યા, છેવટે તેનો પરાજય જાહેર થયો.
જૈનોએ જબ્બર વિજયોત્સવ કર્યો. રાજા સિદ્ધરાજ પણ તેમાં હર્ષભેર જોડાયા. વિજેતા આચાર્યશ્રી ગુજરાતના હોવાથી રાજાને તેમના વિજયનું ભારે ગૌરવ હતું. વિજયયાત્રામાં આચાર્યશ્રીને ટેકો દઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org