________________
અભિવાદન ગ્રંથ |
[ ૩૯૯
કનકપ્રભવિજયજી તે વર્ષે કોરટામાં ચાતુર્માસ હતા. તેમને જ ભારે આનાકાની છતાં—દબાણ કરીને– કોરટા સંઘે આચાર્યપદ ઉપર આરૂઢ કરી દીધા, અને કોરટાસંઘ તેમની આજ્ઞા નીચે આવી ગયો.
હજી તો પરમાત્મા મહાવીરદેવના નિર્વાણને એક સો વર્ષ પૂરાં થયાં ન હતાં ત્યાં જ આવો સંઘભેદ થયો તેનું પૂજ્ય રત્નપ્રભસરિજીને ભારે દુઃખ થયું. પોતાનું ઓસીઆનું ચાતુર્માસ પૂર્ણ કરીને વગર વિનંતીએ તેઓ કોરટા પધાર્યા અને વ્યાખ્યાનમાં વાત કાઢીને વાસક્ષેપ કર્યો. તેમણે કહ્યું, “કોરટા-સંઘને ધન્યવાદ છે કે તેણે મારો બોજ ઓછો કરી આપ્યો.' સંઘના પ્રત્યેક સભ્યની આંખે આંસુ હતાં. કનકપ્રભસૂરિ પણ રડતા હતા. સહુએ ક્ષમા માગી. જૈન સંઘની એકતા અબાધ્ય બની ગઈ. એ પછીનું ચાતુર્માસ રત્નપ્રભસૂરિજીએ કોરટામાં કર્યું અને નૂતન આચાર્ય કનકપ્રભસૂરિજીએ ઓસીઆમાં કર્યું. સર્વત્ર જયજયકાર થઈ ગયો.
( મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા
મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજા સાહેબ કાશીમાં અભ્યાસ કરીને, “ન્યાયવિશારદ'નું બિરુદ લઈને ગુરુદેવ પાસે ગુજરાતમાં પાછા ફર્યા. એક દી પ્રતિક્રમણમાં કોઈ શ્રાવકે ગુરુદેવને વિનંતી કરી કે સઝાય બોલવાનો આદેશ યશોવિજયજી મહારાજને અપાય. પણ અફસોસ! તેમને તો એકેય એવી સઝાય આવડતી ન હતી. આથી પેલા શ્રાવકે માર્મિક શબ્દોમાં કહ્યું, “તો શું તમે કાશીમાં ઘાસ જ વાઢ્યા કર્યું કે?'' બીજે દી પ્રતિક્રમણના સમયે યશોવિજયજી મહારાજે પોતે જ ગુરુદેવ પાસે સઝાયનો આદેશ માગ્યો. ખાસ્સા ત્રણ કલાક સુધી એ સજઝાય ચાલી. પેલા શ્રાવકજી થાકી ગયા. તે વખતે યશોવિજયજી મહારાજે કહ્યું, “પુણ્યાત્મા! કાશીમાં જે ઘાસ મેં વાડ્યું હતું તેના હું પૂળા બાંધી રહ્યો છું.' આ કર્ણોપકર્ણ સાંભળેલી કથા છે.
( દંડવીર્ય રાજાની સાધર્મિકભક્તિ ) એ હતા, ભરતચક્રીના વંશજ દંડવીર્ય રાજા. સાધર્મિક-ભક્તિ એમનું વ્યસન બની ગયું હતું. આંગણે જેટલા સાધર્મિકો આવે તે બધાયનું આતિથ્ય કર્યા પછી જ તે ભોજન કરતા.
એકદા દેવેન્દ્ર તેમની પરીક્ષા કરી. દેવીશક્તિથી કરોડોની સંખ્યામાં શ્રાવકો વિદુર્ગા (બનાવ્યા). જાણે કે પગપાળા તીર્થયાત્રાઓ કરતા કરતા આવતા હોય તેવી રીતે તેમણે નગપ્રવેશ કર્યો. દંડવીર્ય રાજા તમામની સાધર્મિક-ભક્તિ કરવા તત્પર થયા. પણ અફસોસ! સૂર્ય નમવા લાગ્યો તોય હજી તો ઘણોને ભોજન કરાવવાનું બાકી હતું. પ્રતિજ્ઞા મુજબ રાજા દંડવીર્યે ઉપવાસ કર્યો. અને આવું તો સાત દિવસ સુધી ચાલ્યું. સાતમા દિવસે તમામ સાધર્મિકોની ભક્તિ પૂરી થઈ એટલે રાજા દંડવીર્યે સાત ઉપવાસ બાદ સવારે પારણું કર્યું. દેવેન્દ્ર તુષ્ટમાન થયા અને તેમને દિવ્ય ધનુષ તથા કુણ્ડલ વગેરે ભેટ આપ્યાં.
( તુંગીઆ નગરીના શ્રાવકો ) એકદા ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીજી તુંગીઆ નગરીમાં પધાર્યા હતા. ત્યાંના શ્રાવકો ઉચ્ચતમ કોટિનું ધાર્મિક જીવન જીવતા હતા. તેમને જાણવા મળ્યું કે ત્યાંના મોટી ઉંમરના શ્રાવકોમાં કોઈ શ્રાવક
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org