________________
360]
[ જૈન પ્રતિભાદર્શન
શેઠ ભીમાશાહ તથા દીવાન સુંદરજી અને ગજરાજ :
કુંભલમેરુ દુર્ગના શેઠ ભીમાશાહ પોરવાડે આબૂ-દેલવાડામાં ભ0 આદીશ્વરનું વિશાલ જિનાલય બંધાવ્યું, જે ‘પિત્તલહર મંદિર” અથવા “ભીમાશાહનું મંદિર’ નામે પણ ઓળખાય છે. અમદાવાદના મહમદ બેગડાના દીવાન ગુર્જર શ્રીમાલી સુંદરજી અને તેના પુત્ર ગજરાજ દીવાને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી અને ભ૦ 28ષભદેવની ૧૦૮ મણ ધાતુની પ્રતિમા બનાવી, વિ. સં. ૧૫૧પમાં આવે લક્ષ્મીસાગરસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓએ આ ઉપરાંત સોજિત્રા અને અમદાવાદમાં જિનમંદિરો બંધાવ્યાં હતાં અને ગ્રંથભંડારો સ્થાપ્યા હતા. દીવાન સહસા પોરવાડ અને આબુ-અચલગઢ તીર્થ :
માંડવગઢના બાદશાહ ગ્યાસુદીનના દીવાન સંઘવી સહસા પોરવાડે આબૂ-અચલગઢના મોટા શિખર ઉપર સં. ૧૫૫૪માં ચૌમુખજીના મંદિરનો પાયો નાખ્યો હતો અને સં. ૧૫૬૬માં સં. સહસાનાં પત્ની સંસારદે અને અનુપમાદે; પુત્રો ખીમરાજ, દેવરાજ; પૌત્રો જયમલ, મનજી વગેરે પરિવારે આO જયકમલસૂરિ આદિ ચતુર્વિધ સંઘ સાથે અચલગઢ પધારી, ચૌમુખજીના ભવ્ય મંદિરમાં ભO ઋષભદેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. કાવી તીર્થ અને નાગર જૈનોનો ઉજ્વલ ઇતિહાસ :
જૈન મહાજનની ૮૪ જ્ઞાતિઓ છે, તેમાં નાગર પણ એક જ્ઞાતિ છે. એ જ રીતે ગચ્છોમાં પણ નાગરગચ્છનો ઉલ્લેખ જોવા મળે છે. મેત્રાણા એ મધ્યકાળમાં નાગરગચ્છનું જૈન તીર્થ હતું. ગુજરાતનું કાવી તીર્થ પણ નાગર જૈનોના ઉજ્જવલ ઇતિહાસનું પ્રતીક છે. તેનો ઇતિહાસ આ પ્રકારે છે–
નાગર જ્ઞાતિ, દશા શાખા અને ભદ્રસિયાણી ગોત્ર તો વ્યાપારી ગાંધી દેપાલ શાહ વડનગરમાં રહેતો હતો. તેના વંશમાં થયેલ બાડક વડનગરથી નીકળી ખંભાત આવીને વસ્યો. ત્યાં તે પરિવાર અને ધનથી. સમ્પન્ન બન્યો. તેમ જ જગદ્ગુરુ આ૦ હીરવિજયસૂરિના ઉપદેશથી જૈનધર્મમાં દઢ થયો. તેણે કાવીમાં જૂનાં જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવતા પૂર્વ-પશ્ચિમમાં ૯૦ ફૂટ અને ઉત્તર-દક્ષિણમાં ૬૧ ફૂટ પરિમાણ ભૂમિમાં બાવન જિનાલયવાળો ભ૦ ઋષભદેવનો ‘સર્વજિતપ્રાસાદ' બનાવ્યો અને પોતાના ત્રણ પુત્રો-- કુંઅરજી, ધર્મદાસ તથા વીરદાસને સાથે રાખી આO વિજયસેનસૂરિના વાસક્ષેપથી તેમના શિષ્યોના હાથે સં. ૧૬૪૯માં પ્રતિષ્ઠા કરાવી.
બાહુકના પુત્ર કુંઅરજીને તેજલદે નામે પત્ની હતી અને કાનજી નામે પુત્ર હતો. શેઠ કુંઅરજી ગાંધીએ કાવી તીર્થમાં “રત્નતિલક' નામે બીજું વિશાળ મંદિર બંધાવ્યું. ઉપરાંત, શેઠ કુંઅરજી વગેરે ત્રણે ભાઈઓએ “સર્વજિપ્રાસાદ'માં આ0 વિજયસેનસૂરિના હાથે સં. ૧૬૫૬માં ભO ઋષભદેવની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી. “રત્નતિલકપ્રાસાદ'માં ભ0 ધર્મનાથના પરિકરમાં કુંઅરજીના પુત્ર કાનજી ગાંધીનું નામ મળે છે. કારણ, શેઠ કુંઅરજીએ પોતાનાં પત્ની તેજલદે અને પુત્ર કાનજીના નામે આ પરિકરની તેમ જ ભ0 શાંતિનાથ અને ભ૦ સંભવનાથની પ્રતિમાની અંજનશલાકા કરાવી હતી. કાવી તીર્થમાં આજે ભO ઋષભદેવ અને ભ0 ધર્મનાથનાં બે ગગનચુંબી વિશાળ મંદિરો ઊભાં છે, જે નાગર જૈનોની કીર્તિ ગાઈ રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org