________________
૩૮૮ ]
[ જૈન પ્રતિભાદર્શન (મંડપ પોરવાડનો મંત્રીવંશ અને તેમનાં સુકૃત કાર્યો :
મંડપ પોરવાડ ગુજરાતના રાજા ભીમદેવનો ભંડારી હતો. તેના વંશજમાં ચંપ્રસાદ રાજા કર્ણદેવનો મંત્રી અને તેના પુત્રો શૂર અને સોમ રાજા સિદ્ધરાજના મંત્રી હતા. મંત્રી-ખજાનચી સોમ દાની, સદ્ગુણી, ગુરુ આજ્ઞાપાલક અને ધર્માત્મા હતો. તેણે સં. ૧૨૫૪માં પાટણમાં આ૦ પૂર્ણભદ્ર પાસે પંચતંત્ર' ગ્રંથનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેના વંશજમાં આસરાજ (અશ્વરાજ) પાટણમાં રાજકાર્યમાં નિયુક્ત હતો. તેણે સાત તીર્થોની સાત વાર યાત્રા કરી હતી. એક વખત તે માલાસણ ગયો. ત્યાં તેણે મલધારીગરછના આ0 હરિભદ્રસૂરિ પાસેથી પ્રાસંગિક રીતે શેઠ આભૂ પોરવાલની પુત્રી બાલવિધવા કુમારદેવીને સુલક્ષણા જાણી, તેની સાથે લગ્ન કર્યા. ત્યાંથી તે સુંદલાક (સોપારક) ગયો. તેને સંતાનમાં ચાર પુત્રો અને સાત પુત્રીઓ હતાં.
તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુણિગ હતું. તેનું યુવાવસ્થામાં જ મૃત્યુ થયું. તેની ઇચ્છા આબુ તીર્થમાં એકાદ દેરી બનાવવાની હતી અને તેણે અંતિમ સમયે આ વાત પોતાના લઘુબંધુ વસ્તુપાલ આગળ વ્યક્ત પણ કરી. વસ્તુપાલ-તેજપાલે ગુજરાતના મંત્રી બન્યા પછી એ ભાવનાને ચરિતાર્થ કરી. આજે આબૂદેલવાડામાં બલુસિગવસહી' નામનું દર્શનીય ભવ્ય જિનમંદિર ઊભું છે તેનું શ્રેય આ લુણિગની ભાવનાને ફાળે જાય છે. આસરાજનો બીજો પુત્ર મલ્લદેવ મહાજનમાં વડો હતો. ત્રીજો પુત્ર વસ્તુપાલ ગુજરાતનો કુશળ મહામાત્ય અને પ્રખર વિદ્વાન હતો. તેનાં પત્ની લલિતાદેવીને જયંતસિંહ નામે પુત્ર હતો. તે સં. ૧૨૭૯માં ખંભાતનો દંડનાયક બન્યો હતો. આસરાજનો ચોથો પુત્ર તેજપાલ પણ ગુજરાતનો કુશળ મહામંત્રી હતો.
તેનાં ધર્મપત્ની અનુપમાદેવી એક જાજરમાન સન્નારી હતાં. તેનામાં અજબની કાર્યશક્તિ અને સૂઝ-બૂઝ હતી. સ્વભાવે તે શાંત, સરલ અને ઉદાર હતી. સહુને છૂટે હાથે દાન આપતી હતી. આથી એ પર્શનમાતા તરીકે ખ્યાતિ પામી હતી. સ્થાપત્યકલામાં વિખ્યાત અને દર્શનીય એવા આબૂના ‘લુણિગવસહી' જિનપ્રાસાદનું ભગીરથ નિર્માણ તેને જ આભારી બન્યું હતું. તેણે નંદીશ્વર તપનાં ઉજમણામાં જિનપ્રાસાદ પૂરો ન થાય ત્યાં સુધી એકાસણી કરી વામદેવ સલાટ દ્વારા શત્રુંજય તીર્થ પર નંદીશ્વર જિનપ્રાસાદ બંધાવ્યો અને એ જ તીર્થમાં અનુપમ સરોવર બનાવ્યું હતું. સં. ૧૨૯૨માં તેણે પંચમીતપનું ઉજમણું કર્યું ત્યારે ૨૫ સમવસરણ બનાવ્યાં. શત્રુંજય તીર્થની તળેટીમાં ૩૨ વાડીઓ અને ગિરનાર તીર્થની તળેટીમાં ૧૬ વાડીઓ બનાવી હતી. તેજલપુરમાં જિનાલય, પોષાળ અને તેની જોડે કુમાર સરોવર બંધાવ્યું હતું. ઝાઝરિયા ગામમાં જિનપ્રાસાદ, વાવ અને તળાવ બંધાવ્યાં હતાં. તેણે લુણિગવસહી'ના નિભાવ માટે ડાક અને ડમાણી ગામ અપાવ્યાં હતા. તપોધનના ઉપકરણો માટે તે તે નામનાં પાત્ર, દોરૂ, ઝોલી, દાંડા વગેરે ગામ આપ્યાં હતાં. (વસ્તુપાલ-તેજપાલની વિસ્તૃત વિગતો આ પ્રસ્થમાં અન્યત્ર આપવામાં આવેલ છે.) શેઠ છિદક (છાડા) અને તેનો વંશ :
તે પાટણનો વીશા પોરવાડ જ્ઞાતિનો જૈન હતો. મોટો વેપારી હતો. ૯૯ લાખ સોનૈયાથી ધનસમ્પન્ન હતો. તેણે મંત્રી વાહડના (ઘર) દેરાસરના ગોખમાં ભO અજિતનાથની પ્રતિમા ક. સ. આ. હેમચંદ્રસૂરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org