________________
અભિવાદન ગ્રંથ ]
| ૩૬૫
દિગમ્બર સિવાયનાને ઉપર યાત્રાએ જવા દેતા ન હતા. તેઓએ આ સંઘને પણ રોક્યો. પરિણામે યુદ્ધની તૈયારી બન્ને પક્ષમાં થવા લાગી; પરંતુ આ. બપ્પભટ્ટિસૂરિએ દરેકને શાંત પાડ્યા અને જણાવ્યું કે, આ ધર્મકાર્યમાં મનુષ્યોનો સંહાર ન શોભે. અમે આચાર્યો મળીને નિર્ણય લાવીશું. પ્રથમ તો બંને પક્ષના આચાર્યો વચ્ચે શાસ્ત્રાર્થ થયો, તેમાં દિગમ્બર આચાર્યો હાર્યા. છેવટે ‘અંબિકાદેવી મારફત આ તીર્થનો નિર્ણય કરવો' એમ નક્કી થયું. તેમાં પણ નિર્ણય શ્વેતામ્બર તરફી સ્પષ્ટ રીતે મળતાં પરાજિત દિગમ્બરો ત્યાંથી ચાલ્યા ગયા, ગિરનાર તીર્થ પહેલાંની જેમ શ્વેતામ્બર તીર્થ બન્યું અને આમરાજાનો સંઘ ગિરનાર તીર્થની ક્ષેમકુશળતાપૂર્વક ભાવભક્તિથી યાત્રા કરવા સદ્ભાગી બન્યો. ત્યાંથી દામોદર, માધોપર, શંખોદ્વારના બેટ-દ્વારકા, પ્રભાસ પાટણ-સોમનાથ વગેરેની પણ યાત્રા-દર્શન કરી સંઘ સાથે આમરાજા પણ ધન્ય બની ગયો.
આમરાજાનો પૌત્ર મહાપ્રતાપી રાજા ભોજ પણ આ. બપ્પભટ્ટિસૂરિનો અન્નય રાગી હતો. આચાર્યશ્રી કાળધર્મ પામતાં તેને ખૂબ આઘાત લાગ્યો હતો. તેમની પાટે આ. ગોવિંદસૂરિને સ્થાપી, તેમના ઉપદેશથી રાજા ભોજે અનેક ધર્મકાર્યો કરી જૈનશાસનની પ્રભાવના કરી હતી.
રાણી નીતાદેવી :
ઝાલા રાણા વિજયપાલની પત્ની રાણી નીતાદેવીએ આ. ધર્મઘોષસૂરિના પ્રશિષ્ય શ્રી વિદ્યાકુમાર મુનિના ઉપદેશથી ‘યોગશાસ્ત્ર'ની પ્રત લખાવી હતી. તેણીએ પાટડીમાં ભ. પાર્શ્વનાથનું જિનાલય અને ઉપાશ્રય કરાવ્યાં હતાં.
ચિત્તોડનો પ્રતિભાશાળી રાજા અલ્લટરાજ ઃ—
ચિત્તોડના સિસોદિયા વંશનો પ્રતિભાશાળી રાજા અલ્લટરાજ જૈનધર્મી હતો. તે અનેક જૈનાચાર્યોના ઉપકારથી ધન્ય બન્યો હતો, તેમાં આ. વાસુદેવસૂરિ પ્રાયઃ પહેલવહેલા હતા. સૂરિજી મુનિપણામાં હહ્યુંડી પધાર્યા અને તેમણે ત્યાં રહ્યા રહ્યા જ અલ્લટરાજની રાણીનો રેવતી દોષ શમાવ્યો. પરિણામે અલ્લટરાજે તેઓશ્રીને શ્રદ્ધાથી વાંઘા, જૈન મુનિના માર્ગાદિની તેમની ધર્મવાણી સાંભળી, તેમને આચાર્યના સ્થાને આરૂઢ કર્યા, અનેક શ્રાવકો કરી આપ્યા અને હત્થેડીના રાજા વિદગ્ધરાજને પણ તેમની સેવા કરવા સૂચવ્યું. આ ઘટના વિ. સં. ૯૭૩ પહેલાં બની છે. પછી તો અલ્લટરાજે બીજા વિદ્વાન આચાર્યોને પણ પોતાની રાજસભામાં નિમંત્રી ખૂબ સન્માન્યા છે. આચાર્ય નન્નસૂરિ (નંદક સૂરિ)ને તે ગુરુ તરીકે માનતો હતો. તેની રાજસભામાં આ. મલ્લવાદીના વડીલ ગુરુભાઈ આ. જિનયશસૂરિએ પ્રમાણ ગ્રંથનું વ્યાખ્યાન કર્યું હતું. અલ્લટરાજની તલપાટકની સભામાં આ. પ્રદ્યુમ્નસૂરિએ દિગમ્બરાચાર્યને શાસ્ત્રાર્થમાં જીતી પોતાનો શિષ્ય બનાવ્યો, જેની યાદગીરીમાં ચિત્તોડના કિલ્લામાં જૈન વિજયસ્તંભ બન્યો છે.
આ વિજયસ્તંભનો જીર્ણોદ્ધાર પોરવાડ સંઘપતિ કુમારપાળે કરાવ્યો હતો. વિ. સં. ૧૪૮૫માં આ સ્તંભ પાસેના ભ. મહાવીરસ્વામીના જિનાલયનો જીર્ણોદ્વાર સંઘપતિ ગુણરાજે ચિત્તોડના રાણા મોકલસિંહની આજ્ઞાથી કરાવ્યો અને આ. સોમસુંદરસૂરિના હાથે તેમાં ભ. મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. રાજા અલ્લટે આહડમાં ભ. પાર્શ્વનાથનું દેરાસર બનાવી તેમાં આ. યશોભદ્રસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
જૈ. ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org