SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૩૫૫ સામંતોએ જૈનધર્મ અંગીકાર કર્યો અને તે સાથે તેઓએ પોતપોતાના રાજ્યમાં જઈ રથયાત્રા કાઢવાની ] શરૂઆત પણ કરી. * સમ્મતિ રાજાએ સિદ્ધાચલ, સિવંતગિરિ, ગિરનાર, શંખેશ્વર, નાંદિયા, બ્રાહ્મણવાડા વગેરે તીર્થોના સંઘ કાઢી યાત્રા કરી તેમ જ એ તીર્થસ્થાનોમાં રથયાત્રા પણ કાઢી. * આ. સ્થૂલિભદ્રસૂરિની અધ્યક્ષતામાં પહેલી આગમવાચના થઈ હતી, અને આગમાં સુરક્ષિત જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરી હતી. પરંતુ મુનિઓનું અસંગ જીવન એટલે કાયમ સમૂહરૂપે રહી શકાય નહીં અને એકધારું પઠન-પાઠન ચાલી શકે નહીં ઇત્યાદિ કારણે કંઠસ્થ જિનવાણીની રક્ષામાં અનેક અંતરાયો આવી ઊભા રહેતા. પરિણામે જિનવાણીને મુખપાઠ રાખનારા મુનિવરોની સંખ્યા ઓછી થતી જતી હતી. આથી સમ્રાટ સમ્મતિએ આ. સુહસ્તિસૂરિની અધ્યક્ષતામાં એક શ્રમણ સંમેલન મેળવી, નાનકડી ના કરાવી હતી અને મુનિવરો દૂર દૂરના ક્ષેત્રમાં વિચરે અને ત્યાં પણ આગમાભ્યાસ ચાલુ રહે એ માટે વ્યવસ્થા પણ કરાવી હતી. * સમ્રતિ મહારાજાએ અનેક જિનાલયો બનાવ્યાં અને અનેકાનેક જિનબિંબો સ્થાપ્યાં. તેમાં હમીરગઢમાં ભ. પાર્શ્વનાથનું જિનાલય, પાવાગઢમાં ભ. સંભવનાથનું, ઇડરગઢમાં ભ. શાંતિનાથનું, નાગદા (મેવાડ)માં ભ. પાર્શ્વનાથનું તેમ જ પૂર્વદિશામાં રોહનગિરિ ઉપર ભ. પાર્શ્વનાથનું, પશ્ચિમમાં દેવપટ્ટન નગરે ભ. ચંદ્રપ્રભનું, ઉત્તરે મારવાડમાં ધાંધાણી ગ્રામ ભ. પદ્મસ્વામીનું અને દક્ષિણે ઇલોરગિરિની ગુફામાં ભ. નેમનાથનું જિનાલય બંધાવ્યું હતું. આ ચારે દિશાઓના જિનાલયોથી તેમનો વિશાળ રાજ્યવિસ્તાર પણ જાણી શકાય છે. * વિક્રમના છઠ્ઠા સૈકામાં પોરવાડ મંત્રી સામત સમ્રાટ સપ્રતિનાં ઘણા દેરાસરોના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા, જેમાં હમીરગઢ, વિજાપુર, વરમાણ, નાંદિયા, બ્રાહ્મનવાડા અને મુહરીનગરી વગેરે મુખ્ય હતા. તાત્પર્ય કે આ સ્થાનોમાં સમ્મતિએ જિનાલયો બંધાવ્યાં હતાં. + રાજા સમ્મતિએ યુવરાજકાળમાં જ પશ્ચિમ અને દક્ષિણ ભારતના રાજયો જીતી અવંતીની રાજસત્તા અને કીર્તિ ખૂબ વિસ્તારી હતી. કે ભગવાન મહાવીરસ્વામીના સમયથી જૈનધર્મના પ્રચારનું કેન્દ્ર મગધ હતું. ત્યાર પછી, લગભગ ત્રણ સૈકા બાદ, સમ્રાટ સમ્મતિના સમયે (વીર સં. ૨૭૫માં) ભારતમાં જૈનધર્મની વિજયપતાકા ફરકાવવાનું મહાન કેન્દ્ર અવંતી બન્યું હતું. * સમ્રાટ સમ્રતિના સિક્કા તેના રાજ્યશાસન ઉપર સુંદર પ્રકાશ પાડે છે. આ સિક્કામાં એક બાજુ ઉપર-નીચે સM અને ટી શબ્દો લખેલા અને બીજી બાજુ ઉપર-નીચે* અને '. ચિહ્નો જોવા મળે છે. કોઈ કોઈ સિક્કામાં આ ... ચિહ્નની નીચે ક (સ્વસ્તિક) પણ જોવા મળે છે. સામાન્ય રીતે મૌર્ય સિક્કાઓમાં એક બાજુ ઉપર-નીચે ને અને ડ્રો ને બીજી બાજુ ઉપર-નીચે* .* અને ક ચિહ્નો હોય છે. જૈનો હંમેશાં દેરાસરમાં પ્રભુની સામે ચોખાની આવી નિશાનીઓ કરે છે. (‘મોર્ડન રીવ્યુ સને ૧૯૩૪ જૂનનો અંક, પૃષ્ઠ ૬૪૭.) * સમ્રાટ સમ્મતિના ધર્મકાર્યોમાં કેટલાંક એવાં ચિરંતન કાર્યો છે, જે અદ્યાપિ મૂર્તરૂપે જોવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy