________________
૩૫૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
આણ પ્રવર્તાવી: ઇતિહાસકારો કહે છે કે તે વખતે હિંદમાં મહાન પ્રતાપી રાજા ચંદ્રગુપ્ત જ હતો અને ત્યારે ભારત ઉન્નતિના શિખરે હતું. સમ્રાટ ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર બિંદુસાર ગાદીએ આવ્યો અને સમ્રાટ બિંદુસાર પછી તેનો પુત્ર અશોક ગાદીએ આવ્યો. સમ્રાટ ચંદ્રગુપ્ત અને બિંદુસાર જૈનધર્મી હતા. સમ્રાટ અશોક શરૂઆતમાં જૈનધર્મી હતો; પણ પછી બૌદ્ધ સાધુઓના પરિચયથી તેમ જ બૌદ્ધધર્મી રાણી તિષ્યરક્ષિતાના સહવાસથી બૌદ્ધધર્મી બન્યો; પરંતુ કલિંગના યુદ્ધમાં અસંખ્ય માનવીના સંહારથી તે દ્રવિત બની બૌદ્ધ ધર્મની કટ્ટરતા તજીને દરેક ધર્મો પ્રત્યે સમભાવી બન્યો. “રાજતરંગિણી'માં લખ્યું છે કે, “સમ્રાટ અશોક તેની પાછલી જિંદગીમાં ચાર વર્ષ જૈનધર્મી રહ્યો હતો. એણે અનેક ફરમાનો કાઢીને અહિંસાધર્મનો સુંદર પ્રચાર કરાવ્યો હતો.
સમ્રાટ અશોકનો પાટલીપુત્ર કૃણાલ હતો. તે કુમારાવસ્થામાં જ વિમાતા તિષ્યરક્ષિતાના પ્રપંચથી અંધ બનતા રાજા થવાને યોગ્ય ન રહ્યો. આથી અશોકે પોતાના બીજા પુત્રને (કૃણાલના ઓરમાનભાઈને) યુવરાજપદ આપ્યું. ત્યારબાદ કેટલાક સમયે કુણાલની પત્ની શરતશ્રીએ પુત્રને જન્મ આપ્યો. કુણાલે પિતા અશોક પાસે જઈ પુત્રજન્મની વાત કરતાં રાજા અશોક પ્રસન્ન થયો. પોતાના રાજ્યનો સાચો વારસદાર તો એ હતો જ, એટલે સમ્રાટ અશોકે પૌત્ર સમ્રતિને પણ યુવરાજ પદે સ્થાપી, કુમારભક્તિમાં અવંતી (ઉજજૈન)નો પ્રદેશ આપ્યો.
જેનધર્મનો સ્વીકાર તથા સંગીન ધર્મપ્રચાર અને ધર્મકાર્યો : સપ્રતિકુમાર રાજખટપટનો ભોગ ન થાય તે માટે અશોક તેને અવંતીમાં જ રાખતો હતો. આ અવંતીમાં યુવરાજકાળે સમ્મતિએ આચાર્ય સુહસ્તિસૂરિના મેળાપથી પોતાનો પૂર્વભવ જાણી અને તેમના ઉપકાર અને ઉપદેશથી પ્રભાવિત બની જૈન ધર્મનો સ્વીકાર કર્યો. સાથે સમ્યકૃત્વ સહિત શ્રાવકનાં બાવ્રત અંગીકાર કરીને ઉત્તરોત્તર જિનભક્તિ, આરાધનાદિમાં આગળ વધી તે પરમ અહિતોપાસક બન્યો. સાથોસાથ, જૈનધર્મનો પ્રચાર કરવામાં તત્પર બની, પોતાના સારાયે રાજ્યમાં તથા પર પ્રાંતો અને દેશોમાં પણ જૈનધર્મનો સંગીન પ્રચાર-પ્રસાર કરાવી તેમ જ જિનોપાસનાદિ કરવાની સુવિધા રાજ્યભરમાં સુલભ બનાવવા ભગીરથ પ્રયત્નો કરી, ઠેર ઠેર ધર્મસ્થાનો અને અનેકવિધ ધર્મકાર્યો સાકાર કરાવી તે જૈનધર્મનો મહાન ધર્મપ્રચારક પણ બન્યો. આમ, રાજા સમ્મતિએ પરમ હિતોપાસક અને મહાન ધર્મપ્રચારક બની જિનશાસનની અનુપમ સેવા અને પ્રભાવના કરી.
સ્થાયી અને ચિરસ્થાયી ધર્મકાર્યોની ઝાંખી: સમ્રાટ સમ્મતિએ જિનશાસનની પ્રભાવના જે તે ધર્મપ્રવૃત્તિઓ અને ધર્મકાર્યો દ્વારા કરાવી તે સર્વ વિગતો, વિસ્તારના ભયે, ગ્રંથની મર્યાદાના કારણે, અત્રે આપવી શકય નથી. તેમ છતાં અહીં ઉપરોક્ત અને નીચે આપેલ ઝાંખીરૂપ વિગતો પણ સહુ કોઈને પ્રેરણાદાયી બનશે જ, એવી શ્રદ્ધા છે.
* રાજા સમ્મતિ પોતાના સામંતો સાથે એક દિવસ રાજમહેલ પાસે રથયાત્રાનાં વંદનાસત્કાર કરી રહ્યા હતા. રાજાએ આ સમયે સામંતોનો ભાવોલ્લાસ જોઈ. તેમને જૈનધર્મ સ્વીકારવા સમજાવ્યા. આથી
૧. જ્યારે કુણાલે પુત્રજન્મની વાત પિતા અશોકને કહી સંભળાવી ત્યારે રાજા અશોકે સાનંદાશ્ચર્ય પામી પૂછ્યું : પુત્રનો જન્મ ક્યારે થયો ?' કુણાલે ઉત્તરમાં “સમ્મતિ'' (અર્થાતુ હમણાં જ) કહેતાં, કુણાલપુત્ર ત્યારથી સમ્મતિ'ના નામે ઓળખાવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org