________________
અભિવાદન ગ્રંથ ]
પૂર્વકાળના ધર્મપ્રેમી જૈન-જૈનેતરોનાં સુકૃત કાર્યોની પ્રભાવક પરંપરા [ શ્રમણોપાસકોની ગૌરવગાથાનો ઇતિહાસ ]
પ્રેષક : પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજ સંકલન : વિનોદભાઈ ગુલાબચંદ શેઠ
[વિદ્વર્ય સ્વ. પૂજ્ય મુનિરાજશ્રી દર્શનવિજયજી, શ્રી જ્ઞાનવિજયજી અને શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટીમહારાજ)નાં ભારે પરિશ્રમ, વ્યાપક વિહાર અને તલસ્પર્શી સંશોધન-અવલોકનપૂર્વક સંપાદિત થયેલા તથા જિજ્ઞાસુઓને દીવાદાંડીરૂપ બનેલા ‘જૈન પરંપરાનો ઇતિહાસ' નામના ગ્રંથના ચાર ભાગમાં, ૨૯૦૦ ઉપરાંત પૃષ્ઠો પર, ચરમ તીર્થંકર શ્રી મહાવીરસ્વામીના સમયથી ૨૪ સૈકા સુધીનો આધારભૂત કડીબદ્ધ ઈતિહાસ આલેખવામાં આવ્યો છે. તેમાં શ્રમણભગવંતોને કેન્દ્રમાં રાખીને, તેઓના ઉપદેશ અને પ્રભાવથી રાજામહારાજાઓ, મંત્રી-મહામાત્યો, વિદ્વન્દ્વનો, શ્રેષ્ઠીવર્યો તથા શ્રદ્ધાવંત શ્રાવક-શ્રાવિકાઓ વગેરેએ જૈનધર્મનાં પ્રચાર-પ્રસાર, પ્રભાવ તેમ જ પ્રભાવનામાં અર્પેલ યોગદાનની અને તેમનાં નાનાં-મોટાં ધર્મકાર્યોની
અનેકવિધ વાતો વણી લીધી છે. આ રીતે તેમાં
શ્રમણોપાસકોની ગૌરવગાયાનાં વીરનિર્વાણ સં. ૧ ચી પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી મ. સં. ૨૪૦૦ સુધીના ઇતિહાસની પણ ઝાંખી થાય છે. તેમાંની કેટલીક વિગતોનું સંકલન સ્વ. ત્રિપુરીમહારાજના અનન્ય કૃપાપાત્ર પૂ. મુનિરાજશ્રી ભદ્રસેનવિજયજી મહારાજની પ્રેરણાથી ‘જૈન' પત્રના પૂર્વ તંત્રી, તજજ્ઞ વિનોદભાઈ ગુલાબચંદ દેવચંદ શેઠે સારી જહેમત લઈ કરી આપતાં, પ્રસ્તુત ‘જૈન પ્રતિભા-દર્શન' ગ્રંથને અનુરૂપ આ વિસ્તૃત લેખ પ્રગટ કરતાં કૃતકૃત્યતા અનુભવું છું. વિશેષ, જૈન પરંપરાના ઇતિહાસના માધ્યમે આ શ્રમણોપાસકોની ગૌરવગાયાનો ઝાંખીરૂપ ઇતિહાસ પણ સહુકોઈને આપણા ભવ્ય ભૂતકાળની ગરિમાનું દર્શન કરાવવા સાથે પ્રેરણારૂપ બનશે અને બનો એ જ અભ્યર્થના.
—સંપાદક)
Jain Education International
For Private & Personal Use Only
[ ૩૪૩
www.jainelibrary.org