SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૪૧ ઉપસંહાર આ દશે શ્રાવકોએ પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિનો ત્યાગ કર્યો હતો. તેમનો દેશવિરતિપર્યાય વીસ વર્ષ પ્રમાણે હતો એટલે તેઓએ નિર્મલ શ્રાવકધર્મની વીસ વર્ષ સુધી આરાધના કરી હતી. તેમ જ તેઓ સર્વ સૌધર્મ દેવલોકમાં સરખા આઉખે દેવપણે ઉપજ્યા હતા. અત્રે ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે પહેલા. છઠ્ઠા. નવમા અને દશમા એ ચાર શ્રાવકોને દૈવિકાદિ ઉપસર્ગો થયા નથી. બાકીના છ શ્રાવકોને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને સર્વલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીની સાથે પ્રશ્નોત્તર થયા અને છઠ્ઠા શ્રાવકને દેવની સાથે ધર્મચર્ચાઓ થઈ હતી. દશે શ્રાવકો વિધિપૂર્વક ઉભય ટંક પ્રતિક્રમણ, ત્રિકાલપૂજન, દાન-શીલ-તપ-ભાવ, ગુરુભક્તિ, સ્વાધ્યાય, સંયમ, જિનાજ્ઞાપાલન, પર્વદિને પૌષધાદિ ધાર્મિક ક્રિયા, નમસ્કાર સ્મરણ, પરોપકાર, યતના, સાધર્મિકવાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષાદિસમિતિ, છએ જીવનિકાયની દયા, ધાર્મિકજનોની સોબત, ઇન્દ્રિયદમન, ચારિત્રની તીવ્ર ઉત્કંઠા, સંઘની ઉપર બહુમાન, તીર્થપ્રભાવના, સદાચારી પુરુષોના ગુણગાન, નિંદાના પ્રસંગે મૌન રહેવું, આત્મસ્વરૂપની વિચારણા વગેરે વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાગર્ભિત સદ્ગુણોના પ્રતાપે જેવી રીતે ધર્મવીર બનીને આત્મોન્નતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય જીવો પણ વર્તન કરીને નિજગુણરમણતામય પરમપદને પામે એ જ હાર્દિક ભાવના! Cnc www વિશ્વશાન્તિ મૂલાધાર સમા, સત્ય-પ્રેમ અને કરુણાની ભાગીરથી ગંગાથી શ્રમણ સંસ્થાના ઈતિહાસને ઉજ્જવળ કરનાર ભગવાન મહાવીર પરમાત્માની શ્રમણ પરંપરાને અમારી લાખ લાખ વંદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy