________________
૩૪૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
ઘોષણા થઈ, આથી રેવતીને માંસ મળી શક્યું નહિ. ત્યારે તેણીએ ખાનગી રીતે પોતાના પિયરના નોકરોની પાસે મંગાવીને ખાવા માંડ્યું.
મહાશતક દેશવિરતિ ધર્મની આરાધના કરતા કરતા ચૌદ વર્ષ વીત્યા બાદ પોતાના વિડેલ પુત્રને કુટુંબાદિનો ભાર સોંપીને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા તેવામાં મદોન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને ભોગ ભોગવવા માટે આકરો અનુકૂલ ઉપસર્ગ કર્યો, તોપણ તે ધર્મધ્યાનથી જરાપણ ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને ચાલી ગઈ. તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની આરાધના કરીને આનંદ શ્રાવકની માફક શરીરને શુષ્ક બનાવી દીધું. અવસરે શુભ ધ્યાનાદિ સાધનોના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રગટ થયું. આ જ્ઞાનથી તે લવણ સમુદ્રમાં પૂર્વે, દક્ષિણ અને પશ્ચિમમાં એક એક હજાર જોજન પ્રમાણ ક્ષેત્રની બીના જાણવા લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી.
એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસર્ગ કર્યો, ત્યારે ક્રોધમાં આવીને તે અવધિજ્ઞાનીએ કહ્યું ‘હે રેવતી, શા માટે આ પ્રમાણે ચીકણાં કર્મ બાંધે છે? આવા પાપને લઈને જ તું સાત દિવસમાં અહીંથી મરીને પહેલી નરકમાં ઉપજીશ.' પોતાના પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસો કાઢવા લાગી અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઈ.
આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે મહાશતકને ઘેર શ્રી ગૌતમસ્વામીને મોકલીને કહેવરાવ્યું : ‘હે શ્રાવક, તમારે ક્રોધાદિની આલોચના લેવી જોઈએ.' મહાશતકે પોતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલોચના લીધી. છેવટે તે એક માસની સંલેખના કરી સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાવતસક વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમ સુધી સુખ ભોગવી ત્યાંથી અવીને મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે.
૯. મહાશ્રાવક નંદિનીપિતા
શ્રાવસ્તી નગરીમાં નંદીનીપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમનાં ગોકુલ અને દ્રવ્ય સંપત્તિની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. તેમણે પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. અનુક્રમે તેની આરાધના કરતા કરતા જ્યારે ચૌદ વર્ષ પૂરાં થયાં, ત્યારે તેમણે પુત્રને કુટુંબનો ભાર સોંપ્યો, અને પૌષધશાલામાં આવી વિવિધ ધર્મક્રિયા કરવાપૂર્વક સર્વ પ્રતિમાઓની આરાધના કરી. છેવટે તે સમાધિમરણે મરણ પામી અથેર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની બીના પૂર્વની માફક જાણવી.
૧૦. મહાશ્રાવક તેતલીપિતા
શ્રાવસ્તી નગરીમાં તેતલીપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને ફાલ્ગુની નામે સ્ત્રી હતી. તેમની સમૃદ્ધિ અને વ્રતાદિની બીના પૂર્વની માફક જાણવી. અવસરે તે પોતાના પુત્રને કુટુંબનો ભાર સોંપી પૌષધશાલામાં આવીને પ્રતિમાવહન કરવા લાગ્યા. આ વગેરે બીના શ્રી આનંદ શ્રાવકની માફક જાણવી. છેવટે અંતિમ આરાધના કરીને મહાશ્રાવક તેતલીપિતા કીબ વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org