SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૩૩૯ કરનારા ચોસઠ ઈદ્રોને પણ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી મહામાહણ કહેવાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓનો ત્રાસ વર્તી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં ભટકતા ભવ્ય જીવોરૂપિ પશુઓને ધર્મરૂપિ દડે સીધા માર્ગે ચલાવે છે, અને નિર્વાણ રૂપિ વાડાને પમાડે છે, માટે મહાગોપ કહેવાય છે. (૩) જેમ સાર્થવાહ, સાથેના માણસોને જંગલના ઉન્માર્ગે જતા અટકાવે અને ઇષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુ જીવોને વિષય-કષાયાદિ સ્વરૂપ ઉન્માર્ગે જતાં અટકાવે છે, અને મુક્તિરૂપ ઇષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહાસાર્થવાહ કહેવાય છે. (૪) પ્રભુદેવ સન્માર્ગથી ખસી જતા ભવ્ય જીવોને શાંતિ ભરેલાં વચનો વડે સન્માર્ગમાં લાવે છે, અને સંસાર સમુદ્રનો પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (૫) ખલાસી જેમ નાવમાં બેસાડી નિર્વિઘ્નપણે સમુદ્રના કાંઠે ઈષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીવોને ધર્મરૂપ હોડીમાં બેસાડી સંસારનો પાર પમાડે છે માટે મહાનિર્ધામક કહેવાય.” ગોશાલાનાં આ વચનો સાંભળી સદાલપુત્રે તેને પૂછ્યું, “હે દેવાનુપ્રિય, મારા ધર્માચાર્ય સર્વજ્ઞ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છો?' ગોશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સાલપુત્રે કહ્યું, “હે દેવાનુપ્રિય, તમે મારા ધર્માચાર્યના વખાણ કરો છો તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતો નથી. તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠાદિને ગ્રહણ કરો. ત્યારબાદ ગોશાલે તે પ્રમાણે કર્યું. પછી ગોશાલક “આ સદ્દાલપુત્ર મહાવીર દેવનો પરમ દઢ શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉચિત નથી' એમ વિચારી બીજે સ્થળે ચાલ્યો ગયો. એક વખત સદાલપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં ચૌદ વર્ષો વીત્યા બાદ, આનંદ વગેરેની પેઠે પૌષધશાલામાં રહ્યા હતા. આ અવસરે ચુલ્લની પિતાની જેમ તેમને દૈવિક ઉપસર્ગ થયો, તેમાં ફેર એટલો કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મનો ત્યાગ નહિ કરે તો હું તારી આ અગ્નિમિત્ર સ્ત્રીને જરૂર હણીશ.” આ વચન સાંભળી સદાલપુત્ર કોલાહલ કરી તે દેવને પકડવા ગયા, તેવામાં દેવ આકાશમાં ઊડી ગયો. કોલાહલ સાંભળીને અગ્નિમિત્રા આવી અને તેણીએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાશ્રાવક સદાલપુત્ર એક માસની સંલેખના કરવાપૂર્વક સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકે અરૂણાચલ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૮. મહાશ્રાવક મહાશતક રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક ગાથાપતિ રહેતા હતા. તેને રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. તેની પાસે ચોવીશ કરોડ સોનૈયા જેટલી ધનસંપત્તિ હતી. તેને નિધાન, વ્યાજ અને વ્યાપારમાં આઠ કરોડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. તેમની પાસે આઠ ગોકુલ હતાં. દરેક સ્ત્રીના પિતા તરફથી પણ તેમને ઘણી લક્ષ્મી અને ગોકુલ મળ્યાં હતાં. તેમણે પ્રભુની પાસે બાર વ્રતો અંગીકાર કર્યા હતાં. તેમાં પોતાની નિશ્રાનાં ચોવીશ કરોડ સોનૈયા અને આઠ ગોકુલ રાખી તેમણે બાકીના રિવતી પ્રમુખ તેર સ્ત્રીઓના) દ્રવ્યનો ત્યાગ કર્યો હતો. રેવતી પોતાની શોક્યો ઉપર પ્રબળ ઇર્ષાભાવ રાખતી હતી, એથી તેણીએ પોતાની ૧૨ શોક્યો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી નાંખી, તે તમામ સ્ત્રીઓનું દ્રવ્ય પોતે સ્વાધીન કર્યું. અને પોતે એકલી ભોગ ભોગવવા લાગી. આ તરફ તીવ્ર આસક્તિના પરિણામે તે માંસ-મદિરાનો પણ ઉપયોગ કરવા લાગી. એક દિવસ નગરીમાં અમારિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy