________________
અભિવાદન ગ્રંથ ]
[ ૩૩૭
ઉપસર્ગ થયો હતો તેમ અહીં પણ તેમ થયું હતું, તેમાં તફાવત એટલો હતો કે–આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી. તોપણ તે ચલાયમાન થયા નહિ. છેવટે દેવે કહ્યું : “હે ચુલ્લશતક, જો તું આ ધર્મને નહિ છોડે તો તારી અઢાર ક્રોડ સોનૈયા પ્રમાણ તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાંખીશ. જે જોઈને તને ઘણું આર્ત રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે.” આ પ્રસંગે ચુલ્લશતકે કોલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહુલાએ આવીને સત્ય બીના જણાવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રી આનંદાદિની માફક જાણવી. અંતિમ સમયે શ્રાવક ચુલ્લશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણસિદ્ધ વિમાનમાં ચાર પલ્યોપમના આયુવાળા દેવ થયાં. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬. મહાશ્રાવક કુંડકોલિક
કાંડિત્યપુરની અંદર કંડકોલિક નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને પુષ્પા નામની સ્ત્રી હતી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને ગોકુલો હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે આનંદાદિની જેમ તેમણે દ્વાદશત્રુતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. તે એક વખત મધ્યરાતે પોતાની અશોકવાડીમાં પૃથ્વીશિલાપટ્ટક પર આવ્યા. ત્યાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિંતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયો. તેણે તેનાં મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે– “અરે કંડકોલિક, ગોશાલ અને મંખલિ પુત્રે કરેલી ધર્મપ્રરૂપણા સારી છે. કારણ કે તેમાં ઉદ્યમાદિક કંઈ પણ નથી. તે એમ કહે છે કે--જીવો ઉઘમ કરે, છતાં પુરુષાર્થની સિદ્ધિ થતી નથી, માટે સર્વ ભાવ નિયત છે. શ્રી વીપ્રભુની પ્રરૂપણા સારી નથી, કારણ કે તે ઉદ્યમ વગેરેને સ્વીકારે છે.' આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કંડકોલિકે યુક્તિપૂર્વક પ્રશ્ન ર્યો “હે દેવ, જો એમ હોય તો તને આજે દેવતાઈ ઋદ્ધિ મળી છે તે ઉદ્યમાદિક સાધનોની સેવનાથી મળી કે તે વિના મળી? એ કહે.” દેવે જણાવ્યું : “હે કુંડકોલિક, ઉદ્યમાદિક સાધનોની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામ્યો છું.' કુંડકોલિકે કહ્યું : “જો ઉદ્યમાદિ સાધનો સિવાય તને આ ઋદ્ધિ મલી હોય તો તેવા બીજા જીવોને તેવી ઋદ્ધિ કેમ મલતી નથી? ઉદ્યમા વિનાના જીવોને તારા (ગોશાલાના) મતે દેવપણું મલવું જોઈએ. પણ તેમ તો નથી. અને જો તું એમ કહીશ કે--મને ઉદ્યમાદિથી આ ઋદ્ધિ મલી, તો પછી ગોશાલાનો મત સારો છે' એમ તારાથી કહી શકાય જ નહિ.” આથી દેવ નિરૂત્તર બન્યો. એટલે મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્ર જ્યાં હતું ત્યાં મૂકીને સ્વસ્થાને ગયો.
કેટલોક સમય વીત્યા બાદ પ્રભુ મહાવીરદેવ સપરિવાર કાંડિત્યપુર પધાર્યા. આ બીના જાણી મહાશ્રાવક કુંડકોલિક પગે ચાલીને પ્રભુદેવની પાસે આવ્યા. બાકીની બીના કામદેવની માફક જાણવી.
જ્યારે કુંડકોલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સભામાં પ્રભુએ દેવને નિરૂત્તર કરવાની બીના જણાવવાપૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક કંડકોલિકે એ રીતે દેશવિરતિ ધર્મની ચૌદ વર્ષો સુધી આરાધના કર્યા બાદ પ્રતિભાવહન કર્યું અને અંતે એક માસની સંલેખના કરીને સમાધિમરણ પામીને પહેલા દેવલોકમાં અરૂણધ્વજ વિમાનની અંદર ચાર પલ્યોપમના આઉખે દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org