SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન નામનું એક પરું હતું. અહીં આનંદ શ્રાવકનાં સગા-સંબંધિજનો અને મિત્રો રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં તપલાશ નામનું ચૈત્ય હતું. ત્યાં એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યા. આ અવસરે વિશાલ પર્ષદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ઘણા ખુશી થયા, અને સ્નાન કરી–શુદ્ધ થઈને પોતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા, અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય જીવોનો ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે-- भवजलहिम्मि अपारे, दुलहं मणुअत्तणंपि जंतूणं ।। तत्थवि अणत्थहरणं, दुलहं सद्धम्मवररयणं ॥१॥ અર્થ—આ સંસાર સમુદ્રમાં ભટકતા જીવોને મનુષ્યપણું પામવું દુર્લભ છે, કારણ કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુક્તિપદ મળી શકે છે. અને દર્શનાદિ ત્રણેની સમુદિત આરાધના મનુષ્યગતિમાં જ થઈ શકે છે, તેમાં પણ અનર્થનો નાશ કરનારું (અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત) જૈનધર્મરૂપી (ચિંતામણિ, રત્ન મળવું વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિયાદિ કષ્ટો જરૂર નાશ પામે. એમ ધર્મરૂપી ચિંતામણિરત્નની આરાધના કરનારા ભવ્ય જીવોનાં પણ આ ભવમાં અને પર ભવમાં, તમામ દુઃખો નાશ પામે છે અને તેઓ જરૂર વાસ્તવિક સુખનાં સાધનો સેવીને અખંડ અવ્યાબાધ પરમ સુખનો અનુભવ કરે છે. જે દુર્ગતિમાં જતા જીવોને અટકાવે અને સદ્ગતિ પમાડે, તે ધર્મ કહેવાય. આના ૧ સર્વવિરતિધર્મ અને ૨ દેશવિરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનું જોર ઘટે, તેમ તેમ જીવ દેશવિરતિ, સર્વવિરતિ આદિ ઉત્તમ ગુણોને સાધી શકે છે. નિર્મલ ત્યાગધર્મની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણોનો આવિર્ભાવ થઈ શકતો નથી, આથી જ તીર્થંકરાદિ અનંતા મહાપુરુષોએ આ પંચ મહાવ્રતમય સર્વવિરતિની આરાધના કરી પરમ પદ મેળવ્યું છે. આ ઉત્તમ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીવોએ યથાશક્તિ દેશવિરતિ ધર્મની આરાધના કરવી જોઈએ. દેશવિરતિની નિર્મલ યોગથી આરાધના કરનારા ભવ્ય જીવો મોડામાં મોડા આઠમે ભવે તો જરૂર મુક્તિપદ પામે છે. આવી નિર્મલ દેશના સાંભળીને આનંદ શ્રાવકને શ્રદ્ધા ગુણ પ્રકટ થયો. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે બીના કહી છે, તે નિઃશંક અને સાચી છે. પોતાના મિથ્યાત્વ શત્રુનો પરાજય થવાથી ખુશી થઈને તેમણે પ્રભુદેવને કહ્યું: “હે પ્રભો, આપે ફરમાવેલો ધર્મ મને રૂચ્યો છે, હું ચોક્કસ માનું છું કે—સંસાર કેદખાનું છે. અને ખરૂં સુખ સર્વસંયમની આરાધના કરવાથી જ મળી શકે છે. પરંતુ મોહનીય કર્મની તથા પ્રકારની ઓછાશ નહિ થયેલી હોવાથી હાલ હું ચારિત્રધર્મ અંગીકાર કરવાને અસમર્થ છું. જેથી હું બાચ્ચતરૂપ દેશવિરતિ ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું.' પ્રભુદેવે કહ્યું : બહાર્દ સેવાકિય ! આ કેવો કાયવો હે દેવાનુપ્રિય, જેમ સુખ ઉપજે તેમ કરો, (આવા ઉત્તમ કાર્યમાં) વિલંબ કરશો નહિ! પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે શ્રાવકનાં બારે વ્રત ૨. આથી સમજવાનું મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભોમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય. દેશનાશ્રવણથી શ્રદ્ધા પામેલા જીવોની ગણતરીમાં આનંદ શ્રાવકને જરૂર ગણવા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy