SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૩૨૯ ભગવાન શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયેલા દસ શ્રાવકો લેખક : આચાર્ય શ્રીમદ્ વિજયપરસૂરિજી મહારાજ અવિચ્છિન્ન પ્રભાવશાળી, ત્રિકાલાબાધિત શ્રી જૈન દર્શન, બીજાં બધાં દર્શનોમાં અગ્રેસર ગણાય છે, તે સર્વશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીઓને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે. જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાનો અધિકાર જરા પણ ટકી શકતો નથી. જૈનદર્શન સર્વોશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન; અને આપેક્ષિકવાદને માન્ય રાખે છે તેથી સ્યાદ્વાદ દર્શન' તરીકે વિવિધ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે ઘૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે તેમ સ્યાદ્વાદ દર્શનનો ગુરુગમથી મધ્યસ્થ દૃષ્ટિએ વધુ ને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જીવો નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂર્વે અનંતા ભવ્ય જીવો સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવાં અનેક દષ્ટાંતો મળી શકે છે. જુઓ સાધુઓમાં–ગણધર શ્રી ગૌતમસ્વામી, સિહ અણગાર, રોહક મુનિવર, અતિમુક્ત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવંતી સુકુમાલ વગેરે; સાધ્વીઓમાં-ચંદનબાલા, મૃગાવતી વગેરે; શ્રાવકોમાં–૧ આનંદ, ૨ કામદેવ, ૩ ચુલનીપિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, ૬ કુંડકોલિક, 9 સદ્દાલપુત્ર, ૮ મહાશતક, ૯ નંદિનીપિતા, ૧૦ તેતલીપિતા-શંખશતક વગેરે; અને શ્રાવિકાઓમાં--રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકોને આત્મોન્નતિનો માર્ગ લાવી શકે એ ઈરાદાથી, તેઓના જીવનની ટૂંક બીના અહી જણાવી છે. ૧. શ્રી આનંદ શ્રાવક જિનાલયાદિ ધર્મસ્થાનોથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહદ્ધિક વ્યાપારી (શ્રાવક) રહેતા હતા. તે બાર ક્રોડ સોનૈયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડ્યા હતા. એક ભાગના ચાર ક્રોડ સોનૈયા નિધાનમાં દાટેલા હતા. બીજા ચાર ક્રોડ સોનૈયા વ્યાજમાં તથા બાકીના ચાર ક્રોડ સોનૈયા વ્યાપારમાં રોકેલા હતા. તેમને ચાર ગોકુલ હતાં. તેમને નિર્મલ શીલ, વિનય વગેરે ગુણોને ધરનારી શિવાનંદા નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઇશાન ખૂણામાં કોલ્યાગ ૧. દશ હજાર ગાયોનું એક ગોકુલ ગણવું. એવા ચાર ગોકુલ (૪૦ હજાર ગાયો)ના સ્વામી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy