________________
૩૧૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
સાવ સહેલી રીત છે. ધર્મમય જીવન જીવો. વિરતિ આદરો. ભોજનના નિયમો રાખો. સ્વાદની લોલુપતા છોડો. એટલે મન સાજુ અને તન પણ સાજુ. બધાએ સારા વાના થાય.''
પ્રવરદેવે તરત ગુરુ મહારાજ પાસે પ્રતિજ્ઞા કરી. ખાવા-પીવામાં તેને નિયમ કર્યો કે, એક અન્ન, એક વિગઈ, એક શાક અને ઉકાળેલું પાણી વાપરીશ. એ સિવાય બધું ત્યાગ. આ નિયમ તે બરાબર પાળવા લાગ્યો. પરિણામે ધીરે ધીરે રોગ ઓછો થવા લાગ્યો. જેમ જેમ સારું થતું ગયું તેમ તેમ તેની ધર્મ ઉપર શ્રદ્ધા વધવા લાગી. પક્ષવાળા સાત્વિક ભોજનને લીધે તે નિરોગી થઈ ગયો અને ધર્મનો અભ્યાસ કરી તેના મર્મ અને માહાત્મ્યનો જ્ઞાતા બન્યો. પરિણામે નિષ્પાપ વૃત્તિથી ન્યાયપૂર્વક તે વ્યાપાર કરતા કરોડાધિપતિ બન્યો. અતિ ધનાઢ્ય હોવા છતાં તે એક જ અન્ન આદિના નિયમ પ્રમાણે જ જમતો. સુપાત્ર દાનમાં સદા તત્પર રહેતો. જેમ જેમ વધારે લાભ મળતો ગયો તેમ પોતાની જાતને ધન્ય માનતો અને ભોગોપભોગથી સદા વિમુખ રહેતો ને સારી રીતે દાનમાં ધન વાપરતો રહ્યો.
વરસાદ ન વરસતાં ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. પ્રવ૨દેવે તે સમયે હજારો મુનિરાજોની ચઢતા અને લાખો લોકોની ગુપ્ત રીતે ભક્તિ કરી. આમ, જીવનપર્યંત અખંડપણે વ્રત પાળી અંતે મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર જેવી ઋદ્ધિવાળો સામાનિક દેવ થયો.
દેવભવમાં અલ્પ આયુષ્ય બાકી રહેતા તેને વિચાર આવ્યો કે, જ્ઞાન, દર્શન આદિ ગુણથી સમૃદ્ધ એવા શ્રાવકના કુળમાં દાસ થવું સારું, પણ મિથ્યામતિથી મુગ્ધ બુદ્ધિવાળા ચક્રવર્તી થવું નકામું છે. અંતે આવી શુભ ભાવનામાં દેવ આયુ પૂર્ણ કરી તે આ નગરીમાં શુદ્ધબોધ શ્રાવકની પત્ની વિમળા નામની શ્રાવિકાના ઉદરે ઉત્પન્ન થયો. દુષ્કાળનાં બધાં જ બાહ્ય ચિહ્નો દેખાતાં હતાં. પણ શુભ યોગમાં પ્રવ૨દેવનો જીવ શુદ્ધબોધ શ્રાવકને ત્યાં જન્મ્યો. અને આ પુણ્યવાનના જન્મે અને શુભ યોગે દુષ્કાળ જેવો યોગ નાશ પામ્યો.
ગુરુમુખેથી આ વચનો સાંભળી રાજા ઘણું અચરજ પામ્યો. મારા રાજ્યમાં આવા પુણ્યશાળીનો જન્મ થયો છે, તો તે પુણ્યશાળીનાં દર્શન તરત જ કરવાં જોઈએ. એમ સમજી રાજા રાણી તથા પરિવાર સાથે શુદ્ધબોધ શેઠને ત્યાં ગયો. તેજસ્વી અને સુંદર પુત્રને જોઈ રાજા ઘણો જ પ્રસન્ન થયો. બાળકને ખોળામાં લઈ રમાડતા રાજા બોલ્યો : ‘હે બાળ! તું ખરેખર મૂર્તિમાન ધર્મ જ છે. તેથી તું દુષ્કાળનો પણ નાશ કરનારો થયો. હું (રાજા) તારું નામ ધર્મ ઘોષિત કરું છું. અને હવેથી આ રાજ્યનો રાજા તું છે. તારા પ્રતાપે આખી પ્રજાનું હિત થશે. હું તારા રાજ્યનો રક્ષક કોટવાળ થઈને રહીશ.' રાજાએ રાજમહેલમાં આવી ધર્મરાજાના નામે રાજ્ય ચલાવવા માંડ્યું. વખત જતાં ધર્મ યુવાન થયો એટલે તેને વિધિસર રાજા બનાવવામાં આવ્યો. ઘણી રાજ્યકન્યાઓ સાથે લગ્ન કર્યાં. ધર્મરાજાના પુણ્યપ્રતાપે સદૈવ સુકાળ રહ્યો. સર્વત્ર આનંદ વર્તાઈ રહ્યો.
સમ્યક્ત્વ બાવ્રતના ધારક ધર્મરાજા વિવિધ ભોગો ભોગવી દીક્ષા લઈ, શુદ્ધ ચારિત્ર પાળી તે જ ભવે કેવળી થયા. પ્રાણીમાત્ર પર અસીમ ઉપકાર કરી મુક્તિ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org