________________
અભિવાદન ગ્રંથ ]
[ 306
એક વખત તે કોઈ જંગલમાંથી પસાર થતો હતો. ત્યાં તેની પાછળ એક ગાંડો હાથી પડ્યો. તેનાથી બચવા તેણે દોડવા માંડ્યું. દોડતા દોડતા તે એક ખાડામાં પડી ગયો. મૂછ આવી ગઈ. ભાનમાં આવતાં તે સહસા જ બોલી ઉઠ્યો, “અરે પોટીલા! તું ક્યાં છે? શું તને મારી આ હાલતની કોઈ જ દયા નથી આવતી? મોત પણ મને સાથ નથી આપતું. હું હવે કોના શરણે જાઉં?' તે સાંભળતાં જ પોટીલાદેવે પ્રગટ થઈ તેને કહ્યું : “તેટલીપુત્ર, હું તો તારી સાથે જ છું. પણ તું મને જુએ છે જ કયાં?” અને પછી તેણે બધી દેવલીલાથી તેટલીપુત્રને કેવી કેવી રીતે બચાવ્યો છે તે જાહેર કર્યું. આ સાંભળી તેટલીપુત્ર બોલી ઉઠ્યો. “ક્ષમા કરો દેવ! અજ્ઞાનતાના કારણે મને કંઈ ખબર ન પડી. હવે હું પ્રથમ શ્રાવકવ્રતનું પાલન કરીશ અને પછી હું દીક્ષા લઈશ. પરંતુ તે પહેલાં મારા ઉપર એક ઉપકાર કરો. મને આ ખાડામાંથી બહાર કાઢો અને મારા પર કનકધ્વજ પ્રસન્ન થાય તેમ કરો.”
દેવતાએ તેટલીપુત્રને ખાડામાંથી બહાર કાઢ્યો અને તેના પર કનકધ્વજને પ્રસન્ન પણ કરાવ્યો. તેટલીપુત્ર શ્રાવકનાં બાર વ્રતનું પાલન કરવા લાગ્યો. એક જ્ઞાની ભગવંતના સંપર્કમાં આવતા તેટલીપુત્રે પોતાનો પૂર્વભવ પૂક્યો. ગુરુએ કહ્યું “તું મહાવિદેહ ક્ષેત્રે પુંડરિકીણી નગરીમાં મહાપા નામે રાજા હતો. ગુરુની પ્રેરક દેશનાથી તે દીક્ષા લીધી. અનુક્રમે તું ચૌદ પૂર્વધારી થયો. પ્રાંતે એક માસનું અનશન કરીને મહાશુક્ર દેવલોકે દેવતા થયો. ત્યાંથી આવીને તું તેટલીપુત્ર તરીકે જન્મ્યો છે.
પૂર્વભવ જાણી તેણે ચારિત્ર અંગીકાર કર્યું. વિશુદ્ધ આરાધના કરતાં કાળક્રમે તે મુક્તિને પામશે.
( રતિસુંદરી ) સાંકેતપુરમાં જિતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તે જ નગરમાં મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી, શ્રેષ્ઠિની પુત્રી ઋદ્ધિસુંદરી અને પુરોહિતની પુત્રી ગુણસુંદરી નામે હતી. આ ચારે સખીઓ સુંદર અને રૂપવાન હતી. શ્રાવકધર્મ પાળનારી હતી. દરરોજ દહેરાસરે-ઉપાશ્રય એકઠી મળતી. ધર્મગોષ્ઠી કરતી. ધર્મક્રિયા કરતાં ચારેએ પરપુરુષ ત્યાગનો નિયમ લીધો હતો.
નંદપુરનો રાજા રાજપુત્રી રતિસુંદરીને પરણ્યો. ઘણાંને ઘેલું કરે તેવું રતિસુંદરીનું રૂપ અને લાવણ્ય હતું. આ વાત હસ્તિનાપુરના રાજાએ સાંભળી. તેણે નંદપુરના રાજા પાસે દૂત મોકલીને રતિસુંદરીની માંગણી કરી. નંદપુરના રાજાએ દૂતને કહ્યું કે ““એક સાધારણ માણસ પણ પોતાની પત્ની બીજાને આપતો નથી, તો હું શી રીતે મારી પત્નીને આપું? માટે તું તારા સ્થાને ચાલ્યો જા.” તે સાંભળી દૂતે જઈને પોતાના રાજાને આ હકીકત કહી. તેથી રાજાએ નંદપુર પર ચડાઈ કરી. યુદ્ધમાં હસ્તિનાપુરના રાજાનો જય થયો.
હસ્તિનાપુરનો રાજા રતિસુંદરીને બળજબરીથી લઈને પોતાના નગરમાં આવ્યો. પછી તેણે રતિસુંદરીને મનાવવા કોશિશ કરી ત્યારે રતિસુંદરીએ કહ્યું કે “મારે ચાર માસ સુધી શીલવ્રત છે.” તે સાંભળી રાજાએ ધાર્યું કે ચાર માસ પછી તો તે માટે જ આધીન છે ને. ક્યાં જવાની છે? એમ વિચારી રાજા દિવસો નિર્ગમન કરવા લાગ્યો. રતિસુંદરી હંમેશાં તેને પ્રતિબોધ આપવા લાગી, પણ રાજાનો રાગ તેના ઉપરથી જરા પણ ઓછો થયો નહીં. રતિસુંદરી તે દરમ્યાન તાપૂર્વક ધર્મની આરાધના કરતી રહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org