________________
અભિવાદન ગ્રંથ )
[ ૩૦૭
લાગ્યા કે “ખરેખર! ધર્મનો મહિમા અદ્ભુત છે. આ જોઈ ઘણા લોકો પ્રતિબોધ પામ્યા અને ત્યારથી તેનું નામ આરોગ્યદ્વિજ પ્રસિદ્ધ થયું.
સલસ
રાજગૃહી નગરમાં કાલસૌરિક નામનો કસાઈ હતો. તે હંમેશાં પાંચસો પાડાની કતલ કરતો. તેના દુષ્કર્મથી તેણે અતિ પાપ ઉપાર્જન કર્યા હતાં. આયુષ્યના અંત સમયે તે મહા વ્યાધિથી ઘેરાયો. અષ્ટધાતુના રોગને કારણે શરીરની દરેક ઇન્દ્રિયોના વિષયો તેને વિપરીત જણાવા લાગ્યા. સુગંધી અને શીતલ લેપ તેને અશુચિમય તથા અંગાર સમ ભાસવા લાગ્યો.
તેને સુલસ નામનો એક પુત્ર હતો. તે પિતાના રોગનો આદરપૂર્વક અનેક ઉપાય કરાવતો હતો. જ્યારે કોઈપણ ઉપાય કારગત ન નિવડ્યા ત્યારે સુલસે પોતાના મિત્ર અભયકુમારની સલાહ લીધી. અભયકુમારે કહ્યું : “તારા પિતાએ ઘણા જીવોનો ઘાત કરી ઘોર પાપકર્મ ઉપાર્જન કર્યું છે. તે પાપ તેને આ ભવે જ ઉદયમાં આવ્યું છે. તેથી હું તેને કાંપની શય્યામાં સુવાડ. દુર્ગધવાળા પદાર્થોનું વિલોપન કર અને ખારું અને દુર્ગધવાળું પાણી આપ. તેથી તેને સુખ ઉપજશે.'' સુલસે તેના કહ્યા પ્રમાણે કર્યું. તેથી તેના પિતાને થોડી રાહત થઈ. પણ કાળસૌરિક થોડો કાળ જીવી મૃત્યુ પામ્યો અને સાતમી નરકે ગયો.
કાલસૌરિકના મરણ પછી સુલસે પિતાના સ્થાને આવ્યો. તેના સ્વજનોએ તેને પિતાનો ધંધો સંભાળવા કહ્યું, અને દીકરાઓ બાપનો ધંધો વધારે છે તેમ તું પણ વધાર. સુલસે પિતાએ ભોગવેલી વેદના અને દુઃખો જોયાં હતાં. તેથી તેણે બધા સ્વજનોને કીધું, “ના, હું મારા પિતા જેવું દુઃખ ભોગવવા શક્તિમાન નથી.' ત્યારે કુટુંબીઓએ કહ્યું, પાપનો ભાગ પાડીને અમારે ભાગે આવતાં પાપો અમે ભોગવીશું. પણ સુલસ એ માનવા તૈયાર ન હતો. ત્યારપછી એક દિવસે તુલસે બધા કુટુંબીઓ સમજે તે માટે તીણ કુહાડો પોતાના પગ પર માર્યો, અને જોરથી બૂમબરાડા પાડતો બોલ્યો, “મને ઘણું દુઃખ થાય છે. આ વેદના અસહ્ય છે. જલ્દી કરો, આ મારા દુ:ખનો થોડો થોડો ભાગ તો બધા ગ્રહણ કરો, જેથી મારું દુઃખ એકદમ ઓછું થઈ જાય.” ત્યારે સ્વજનો બોલ્યા, જો અમને કોઈપણ કારણથી દુઃખ ઉત્પન્ન થાય તો અમે તે ભોગવીએ. પણ એવો કોઈ ઉપાય નથી કે બીજાનું દુ:ખ કે પીડા અન્ય કોઈ લઈ શકે, માટે અમો લાચાર છીએ. તારું દુઃખ તારે જ ભોગવવું રહ્યું. - હવે સુલસે બધાને સમજાવ્યું કે, તમો મારું દુઃખ લઈ કે વહેંચી નથી શકતા, તો મારું પાપ વહેંચી લેવાની વાત શી રીતે કરો છો? માટે હું મારા બાપનો ધંધો હેજ પણ કરનાર નથી. એમ પોતાનો નિશ્ચય જાહેર કર્યો. આ સાંભળી સઘળા સગાઓ મૌન થઈ ગયા.
પછી સુલશે અભયકુમારના કહેવાથી ભગવાન મહાવીરસ્વામીની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો અને સમ્યફ પ્રકારે ધર્મપાલન કરી સ્વર્ગે ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org