________________
અભિવાદન ગ્રંથ ]
[ ૩૦૫
નાખ્યાં અને પંચમુષ્ટિ લોન્ચ કરી સ્વયંમેવ દીક્ષા લઈ ચાલતા થયા. ખૂબ તપ, જપ, સંવર કરી કૈવલ્યજ્ઞાન પામી દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ મોક્ષપદને પામ્યા.
( શ્રમણભદ્ર ) ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતો. તેણે શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ધર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યો. આ ઉપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા શ્રમણભદ્ર દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી ખૂબ જ ઉંડાણથી ધાર્મિક અભ્યાસ કર્યો. ગુરુની આજ્ઞાથી એકલ વિહાર પ્રતિમા અંગીકાર કરી. એકદા તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશોમાં વિહાર કરતાં શરદસ્તુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રીને વિષે પ્રતિમા ધારણ કરીને રહ્યા. ત્યાં સોયના જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી ચૂસવા લાગ્યા. ડંખવામાં મશગુલ એવા ડોસોએ લોહી ચૂસી લેતાં સુવર્ણના વર્ણ જેવા તે મુનિ લોહના વર્ણ જેવા શ્યામ થઈ ગયા. તે ડાંસના ડંખથી મુનિના શરીરમાં મહા વેદના થતી હતી. તો પણ ક્ષમાધારી તે મુનિ તેને સમતાપૂર્વક સહન કરતા રહ્યા. તેમને ડાંસોને ઉડાડવાનો લેશ પણ પ્રયત્ન કર્યો નહીં, અને મનથી વિચારતા રહ્યા આ વ્યથા મારે માટે શી ગણત્રીમાં છે? આથી અનેકગણી વેદના તો નરકમાં મેં અનંતવાર સહન કરી છે. નારકીમાં
ન થતી વેદનાનું સંપૂર્ણ વર્ણન જ્ઞાનીઓ પણ કરવા સમર્થ નથી. અને આત્મા શરીરથી ભિન્ન છે, તો મારે શરીર પર મમતા શા માટે કરવી? આ શુભભાવ ભાવતા તે મુનિ મહાવ્યથાને સહન કરતા રહ્યા. તે ડાંસોના કરડવાથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું તેથી તે જ રાત્રીએ તે મુનિ કાળ કરી સ્વર્ગે ગયા.
( કુંતલાદેવી )
અવનીપુરના જિતશત્રુ રાજાને કુંતલા નામની પટ્ટરાણી હતી. જિતશત્રુને કુંતલા ઉપરાંત બીજી ઘણી રાણીઓ હતી. કુંતલા જિનધર્મની અનુરાગી હતી. તેના ઉપદેશથી બીજી પણ તેની શોક્યો જિનધર્મમાં શ્રદ્ધાવાન થઈ.
આ શોક્યોએ ભેગી થઈ જિનેશ્વર ભગવાનનાં ચૈત્યો કરાવ્યાં. એ જોઈ કુંતલાને ઓછું આવ્યું. તેને થયું મેં તેમને જૈન ધર્મ બતાવ્યો અને તેઓ મારાં પહેલાં દહેરાસર બંધાવે? આમ વૈષ અને અભિમાનથી તેણે એ બધાય કરતા ભવ્ય એવું ચૈત્ય તૈયાર કરાવ્યું અને બધાને પાછળ પાડી દેવાના ભાવથી એ પોતે બંધાવેલ જિનચૈત્યમાં જિનભક્તિ કરવા લાગી. તેની આવી ઉત્કટ ભાવનાની બીજી રાણીઓ તેની અનુમોદના કરતી.
પૂર્વના અશુભ કર્મના ઉદયથી કુંતલાને ઉગ્ર વ્યાધિ થયો અને તે વ્યાધિથી તે મૃત્યુ પામી. મત્સરપણાથી જિનભક્તિ કરી હોવાથી મરીને તે કૂતરી થઈ. પૂર્વભવના અભ્યાસથી એ કૂતરી તેના જ બંધાવેલ જિનચૈત્યમાં સતત બેસી રહેતી.
એક સમયે ત્યાં કેવળી ભગવંત પધાર્યા. શોક્યોએ તેમને કુંતલીની ગતિ વિષે પૂછ્યું. કેવળીએ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org