SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૦૩ ધનવાન હતો. તેની પાસે ચાર ક્રોડ સોનામહોરો જમીનમાં, અને ચાર ક્રોડ ઘરવખરીમાં રોકાયેલી હતી. ઉપરાંત તેને ત્યાં ૪૦ હજાર ગાયોના ચાર ગોકુળ હતાં. તે ઘણો બુદ્ધિમાન અને વ્યવહારકુશળ હોવાથી સૌ કોઈ તેની સલાહ લેતું. તેને શિવાનંદા નામની સ્વરૂપવાન પત્ની હતી. ૭૦ વર્ષની ઉંમર થતાં સુધી તે જૈન ધર્મ અને તેના તત્ત્વોથી અજાણ હતો. એક વખત ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. હજારો લોકો ત્યાં જતાં હોવાથી તે પણ પ્રભુની દેશના સાંભળવા ગયો. પ્રભુએ આનંદને સાધુનું આબેહૂબ સ્વરૂપ સમજાવ્યું. આનંદને જિજ્ઞાસા બુદ્ધિ જાગી અને પ્રભુ પાસે તેણે સમજપૂર્વક શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યો. ઘેર આવી તેને પોતાની પત્નીને વ્રત અંગીકારની વાત કરી અને તેને પણ તે વ્રત કરવા ઉપદેશ્ય. એટલે તેણે પણ પ્રભુ પાસે જઈ બાર વ્રત અંગીકાર કર્યા. પતિ-પત્ની શ્રાવકધર્મનું સુંદર રીતે પાલન કરતાં સુખપૂર્વક સમય વિતાવવા લાગ્યાં. કેટલોક કાળ વિત્યા પછી આનંદને ઉગ્ર તપશ્ચર્યા કરવાનો ભાવ જાગ્યો. એટલે તેણે સગાસંબંધીઓને ભેગા કરી, જમાડી તેમની હાજરીમાં ગૃહકાર્યનો ભાર પોતાના મોટા પુત્રને સોંપ્યો અને પોતે શ્રાવકની અગિયાર પ્રતિમાનું વહન કરવા લાગ્યા. આવા આકરા તપથી તેમનું શરીર ઘણું દુર્બલ થઈ ગયું. એક વખત પૌષધ વ્રતમાં તેઓ ધર્મચિંતન કરતા હતા ત્યારે તેમને અવધિજ્ઞાન થયું. તે વડે તેમણે પૂર્વદિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી જોયું. અને પશ્ચિમ તથા દક્ષિણમાં એટલું અને ઉત્તરમાં ચુલહિમવંત અને વર્ષધર પર્વત જોયા : ઊંચે સૌધર્મ દેવલોક અને નીચે પ્રભા નરકનો વાસ જોયો. આ બધું જોઈ તેમને ખૂબ પ્રસન્નતા થઈ અને પ્રભુ મહાવીરના દર્શનની જિજ્ઞાસા થઈ. ભાગ્યવશાત્ પ્રભુ મહાવીર તે જ ગામમાં પધાર્યા. ગૌતમ મુનિ ગોચરીએ નીકળ્યા. લોકોના મોઢે આનંદના અવધિજ્ઞાનની વાત સાંભળી. શ્રી ગૌતમ આનંદની પૌષધશાળામાં ગયા. ગૌતમ મુનિને આવતા જોઈ આનંદ વિધિપૂર્વક વંદન કર્યું અને પછી વિવેકપૂર્વક પૂછ્યું : મહારાજ! શ્રાવકને સંસારમાં રહેતા થતા અવધિજ્ઞાન થાય? ગૌતમે જવાબ આપ્યો : થાય. આનંદ કહે, પ્રભુ! મને તે થયું છે. હું લવણ સમુદ્રમાં ૫૦૦ ધનુષ્ય સુધી તથા સૌધર્મ દેવલોક તથા રત્નપ્રભા નરક દેખું છું. આ સાંભળી ગૌતમસ્વામી સંશયમાં પડ્યા. તેમને કહ્યું : આનંદ! તમે જુઠું બોલો છો. એટલું દેખી શકાય નહીં, એટલે મૃષાવાદનું પ્રાયશ્ચિત લો. આનંદે કહ્યું : દેવ! હું યથાર્થ કહું છું. આપ ભૂલ્યા છો, માટે આપને જ પ્રાયશ્ચિત લેવું ઘટે. શ્રી ગૌતમને આ વાત હૈયે ન બેઠી. તેઓ સંશયાત્મક બની “બહુ સારું' કહી પાછા વળ્યા, અને પ્રભુ મહાવીર પાસે આવી બનેલી વીતક કહી સંભળાવી. પ્રભુ મહાવીરે કહ્યું : આનંદનું કથન સત્ય છે અને તમારી સમજ ખોટી છે. આ સાંભળતા જ આશ્ચર્ય સાથે શ્રી ગૌતમે પ્રાયશ્ચિત લીધું અને શ્રાવક આનંદ પાસે આવી પોતાની ભૂલની માફી માગી. આનંદ શ્રાવકે ૨૦ વર્ષ શ્રાવકવ્રત પાળ્યું. મરણાંતે એક માસનું અનશન કર્યું અને વિશુદ્ધ પરિણામે | કાળધર્મ પામી તેઓ સૌધર્મ નામના પહેલા દેવલોકમાં ગયાં. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈ મોક્ષમાં જશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy