SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ] [ જૈન પ્રતિભાદર્શન આચાર્યશ્રીને પૂછ્યું, “ગુરુદેવ! આ મારા ભાઈ મહાસેનને ભયંકર જીલ્ડા રોગ થયો હતો તેનું કારણ શું? એને એવું કયું પાપકર્મ બાંધ્યું હશે?” આચાર્યદેવે કહ્યું : કુમાર! એનું કારણ પૂર્વજન્મનું છે. સાંભળ : મણિપુર નગરમાં મદન નામનો એક સૈનિક રહેતો હતો. તેને બે પુત્રો હતા. એકનું નામ ધીર અને બીજાનું નામ વીર હતું. બન્ને વિવેકી યુવકો હતા. એક દિવસ બન્ને ભાઈઓ પોતાના ઉદ્યાનમાં ગયા. ત્યાં તેમને સંસારી મામા મુનિરાજને જમીન પર ઢળી પડેલા જોયા. બન્ને ભાઈઓ શું થયું? શું થયું? બોલતા મુનિરાજ પાસે ગયા. મુનિરાજ મૂચ્છિત થઈ ગયેલા હતા. બન્ને ભાઈઓ વ્યથિત થઈ ગયા. તેમણે ઉદ્યાનનાં માળીને પૂછ્યું. માળીએ કહ્યું કે મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા ત્યાં એક સાપે એમના પગ ઉપર ડંખ દીધો અને મુનિરાજ થોડીવારમાં જ જમીન પર પડી ગયા. માળી બોલતા બોલતા રડી પડ્યો. વરને મામા મુનિરાજ ઉપર અતિ અનુરાગ હતો. તેણે માળીને કહ્યું : અરે, તમે. ડેખ મારીને સાપ નાસી જતો હતો ત્યારે તમે એને મારી કેમ ન નાખ્યો? આ સાંભળી ધીરે કહ્યું, “ભાઈ! શા માટે જીભથી પાપ બાંધે છે? જે બનવાનું હતું તે બની ગયું છે.” વરે કહ્યું : “મુનિરાજને ડસનાર એવા સાપને મારવામાં ધર્મ છે. અને મારવો” એવા શબ્દ માત્રથી પાપ શાનું લાગે? સાધુઓની રક્ષા કરવી અને દુષ્ટોનો નાશ કરવો એ તો ક્ષત્રિય ધર્મ છે. અને જો આ વાત ખોટી હોય તો ભલે આ પાપ મારી જીભને લાગે.'' ધીરે કોઈ જવાબ ન આપ્યો. તેને મુનિરાજના શરીરમાં વ્યાપેલા ઝેરને ઉતારવા પ્રયત્નો કર્યા ગારૂડીને બોલાવી તેને ઝેર ઉતરાવ્યું. મુનિરાજ સારા થઈ ગયા. બન્ને ભાઈઓ આયુષ્ય પૂર્ણ થતા મૃત્યુ પામ્યા. ધીર મરીને સુરસેન થયો, વીર મરીને મહાસેન થયો. સાપને મારી નાખવાના વચન બોલવાથી મહાસેનને જીભનો રોગ થયો જે વૈદ્યો ન મટાડી શકયા; પણ મુનિરાજના પ્રાણ બચાવવાથી ધીરે જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવે તથા નવકાર મંત્રના સ્મરણના પ્રભાવે મહાસેનનો રોગ સુરસેન મટાડી શકયો. આ રીતે આચાર્ય મહારાજ પાસેથી બન્ને ભાઈઓએ પોતાના પૂર્વભવની વાતો સાંભળી. બન્નેને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. તેમને ભદ્રબાહુસ્વામીનાં ચરણોમાં જીવન સમર્પિત કરી દીધું. દીર્ઘ કાળપર્યત સંયમધર્મનું પાલન કરી, કર્મોનો નાશ કરી બન્નેએ મુક્તિ પ્રાપ્ત કરી. આ દષ્ટાંતથી સહુ કોઈએ સમજવું જોઈએ કે અનર્થ દંડના વચનો ન બોલવા જોઈએ. ( આનંદ શ્રાવક ) અવધિજ્ઞાની તમે વીરતણા, ગણાઓ દશ શ્રાવક મોઝાર; આનંદ આનંદ આત્મા તણો, આપો અમને શિવકાર. મગધ દેશના વાણિજ્ય ગ્રામ નામના નગરમાં આનંદ નામનો ગૃહસ્થ રહેતો હતો. તે ઘણો | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy