________________
અભિવાદન ગ્રંથ ]
[ ૨૯૯
કરે? પણ તે ચતુર અને ધીર હતી. તેણે કહ્યું ‘‘તમારી એવી જ ઇચ્છા છે તો તે હું પૂરી કરીશ. મારી સહેલી હું જે કહીશ તે ટાળશે જ નહીં અને શીઘ્ર આ કામ કરી આપીશ.’’
એક દિવસ સુશીલાએ પતિને કહ્યું, જુઓ મારી સહેલી તૈયાર થઈ છે. પણ તેણે ઘણી શરમ આવે છે તેથી તે કહે છે કે તે તમારા શયનગૃહમાં આવે કે તરત તમારે દીવો ઓલવી નાખવો.'' સુભદ્રે તે કબૂલ કર્યું. સુશીલાએ કહ્યું, “તે આજે સાંજે જ આવશે.’’
સમય થતાં સુશીલાની સહેલી એવો જ વેશ પહેરીને આવી. તેને જોઈ સુભદ્રને ભરોસો થઈ ગયો કે સાચે જ આજે લાંબા કાળની અભિલાષા પૂર્ણ થશે. પલંગ પર તે સાહેલીની રાહ જોઈ બેઠો.
સુશીલા વિચારતી હતી, ખરે જ મારો પતિ ભાન ભૂલ્યો છે. તે વિષયરૂપી આવેશમાં પારકી નારીના વિચારોમાં ડૂબી ગયો છે. અનંત સુખ આપનાર વ્રતને પણ તે ગણકારતો નથી. પણ ગમે તે થાય, મારા પતિનું વ્રત તો ખંડન હું નહીં જ થવા દઉં. તેને મનથી નક્કી કરેલ ઉપાય અજમાવ્યો. આવેલ સાહેલીનાં બધાં વસ્ત્રો તેને પહેરી લોધાં અને રાત્રીનો અંધકાર થતાં તે પોતે જ રૂમઝુમ કરતી શયનગૃહમાં પ્રવેશી. તરત સુભદ્રે દીપક બુઝાવી નાખ્યો. તે પલંગ પાસે આવી કે સુભદ્રે તેને ખેંચી. બાહુપાશમાં જકડી લીધી અને ચૂંબનોથી ભીંજવી નાખી. તેની સાથે કામક્રીડા કરી પોતે અતિસંતુષ્ટ થયો. અને નિદ્રાધીન થઈ ગયો. પ્રાતઃકાળ થતા પૂર્વે સુશીલા પલંગ ઉપરથી ઊઠી શયનગૃહ બહાર નીકળી, સાહેલીના કપડા પાછા
સાહેલીને પહેરાવી વિદાય કરી.
સવાર થતા સુભદ્ર જાગ્યો. વિચારવા લાગ્યો કે આજે રાત્રે મેં મહાપાપ કર્યું. જિનેશ્વરદેવોએ પરમહિત માટે કહ્યું છે તે પરલોકના ભાતા સમાન શીલને હું હારી ગયો. તે ઘણું શરમાયો. પત્નીની સામે આંખ પણ તે મેળવી ન શકતો. પશ્ચાત્તાપમાં તે દુબળો પડતો ગયો. સુશીલા પોતાના પતિને ધર્મ પમાડવા સામાયિક લઈ પતિ સાંભળે એમ પરસ્ત્રી સેવનનું લાગતું પાપ સંભળાવતી ગઈ. વ્રત પાળવાના લાભ, વ્રતભંગની હાનિ સમજાવતી ગઈ.
આ સાંભળતાં સુભદ્ર પોતાની પત્નીની ભાવનાના વખાણ મનોમન કરતો. પણ પોતાના મનમાં વ્રત-ભંગનું દુઃખ તો તેને સાલ્યા જ કરતું.
થોડા દિવસો બાદ તેણે પત્નીને કહ્યું : હું આ ભવ હારી ગયો. વ્રત ભંગ માટે મારે પ્રાયશ્ચિત કરવું છે. ગમે તે ભોગે મારે આ પાપની આલવણ લેવી છે. આમ શુદ્ધ અંતઃકરણ અને શુભ પરિણામ જાણી અને હવે સંવેગ રંગથી રંગાયેલું હૃદય ઇંદ્રની અપ્સરાઓથી પણ હારે એવું નથી એવો વિશ્વાસ થવાથી તેણે સુભદ્રને બધી સાચી વાત જણાવી દીધી, ‘‘જેણે તમે તે રાત્રે ભોગવી તે મારી સહેલી નહીં પણ તેના વેશમાં હું જ હતી.'' આ સાંભળી સુભદ્ર હળવો થઈ ગયો. તેણે પત્નીના ભારે વખાણ કર્યા. અને મને નરક જતો પોતાની બુદ્ધિથી બચાવ્યો તે માટે તેને પત્નીનો ખરા હ્રદયે આભાર માન્યો.
રાજા યશોવર્મા
કલ્યાણ શહેરમાં યશોવર્મા નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ન્યાયનો જબ્બર પક્ષપાતી હતો. એકવાર રાજ્યની અધિષ્ઠાતા દેવીને રાજાના ન્યાયનું પારખું કરવાનું મન થયું. તેણે દૈવી માયા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org