________________
અભિવાદન ગ્રંથ /
[ ૨૮૯
શંદાલપુત્રને કહ્યું કે, ગઈ કાલે કોઈ દેવે આવી તેને કહ્યું, કે “કાલ પ્રાતઃકાળે બ્રહ્મા અને સર્વજ્ઞ એવા પ્રભુ અહીં આવશે, તેની તું સેવા કરજે.' તે કાળે તે વિચાર્યું હતું કે પ્રાતઃકાળે ગોશાળો આવશે.'' આ સાંભળી તે સમજી ગયો કે સર્વજ્ઞ એવા શ્રી મહાવીર પ્રભુ જ અત્રે પધાર્યા છે. અને તેઓ સર્વથા ઉપાસના કરવા યોગ્ય છે. - ગંદાલપુત્ર ગોશાળાના મત પ્રમાણે નિયતિમાં માનનારો હતો. તે માનતો કે નફો કે નુકશાન, માન કે અપમાન, વિકાસ કે વિનાશ બધું નિયતિ અનુસાર થાય છે. પરાક્રમ કે પુરુષાર્થ તો તેના આગળ વામણા છે. તેને પ્રભુને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપ્યું. મહાવીર પ્રભુએ ગંદાલપુત્રને સત્ય સમજાવવા માટે તેનું આમંત્રણ સ્વીકાર્યું અને એક દિવસ તેને ત્યાં પહોંચ્યા. કુંભકાર તે વખતે પોતે કંડારેલા ઘડાઓ તડકે ગોઠવી રહ્યો હતો. પ્રભુને જોતાં જ તે કામ પડતું મૂકી પ્રભુને વંદના કરવા આગળ આવ્યો. પ્રભુનું શબ્દો દ્વારા સન્માન અને વંદન કર્યું.
પ્રભુએ તેને પૂછ્યું : ભાઈ! આ ઘડા કોણે બનાવ્યા? તેને જવાબ આપ્યો “મેં પ્રભુ.” પ્રભુએ વધુ પૂછપરછ કરતા કહ્યું : ખરેખર તે જ બધા ઘડા બનાવ્યા છે? - કુંભકારે કહ્યું : “થોડા વખત પહેલા આ ઘડા ન હતા તે માટી હતી. તે હું દૂરથી જમીન ખોદીને લાવેલ. તેને પાણીમાં પલાળી મારી સ્ત્રીએ ખૂબ ખૂદી. તે માટીમાંથી મેં આ ચાકડા ઉપર બધા ઘડા બનાવ્યા છે, પ્રભુ.'
ભગવાને મંદ સ્મિત કરતાં શંદાલપુત્રે પૂછ્યું : શું મારા કહેવા ઉપર આપને ભરોસો નથી? આપનું માર્મિક સ્મિત મને નથી સમજાતું.
ભગવાને શાંત ચિત્તે કહ્યું : “ભાઈ! નિયતિવાદને માનનારાના મોંમાં આ શબ્દો કેમ ઉચિત ગણાય? તું તો માને છે કે નિયતિ સામે પુરુષાર્થ, બુદ્ધિ, બળ સઘળુ વ્યર્થ છે. તો આ ઘડા તે બનાવ્યા એમ તું કેમ કહી શકે! એ તો નિયતિના કારણે થવાનું જ હતું તે થયું?'' ગંદાલપુત્ર ચોકર્યો, પણ તેણે ફેરવી તોળ્યું. પ્રભુ, મેં ખોટો વાણી વિલાસ કર્યો. નિયતિ દ્વારા જે થવાનું હતું તે થયું. તેમાં મારો પુરુષાર્થ કાંઈ નથી. નિયતિ દ્વારા જે થવાનું હોય છે તે થાય છે તેથી અધિક કે અલ્પ કાંઈ જ થતું નથી.
ભગવાન મહાવીર પુનઃ મંદમંદ હસ્યા. કુંભકારે ફરીથી પ્રશ્ન કર્યો : “પ્રભુ! આપના આ માર્મિક હાસ્યનો શો અર્થ?” ભગવાને કહ્યું : “અત્યારે કોઈ માણસ લાકડી લઈને આવે અને આ બધા ઘડા ફોડી નાખે તો?”
કોની મગદૂર છે, મારા ઘડા ફોડે. જો કોઈ મારા ઘડા એ રીતે ફોડે તો એનું માથું જ ફોડી નાખુ. અરે! અહીં આવી ફોડે તો શું હાથ પણ ના લગાડી શકે.”
કેમ?' પ્રભુએ સામું પૂછ્યું.
મારી મહેનતને કોઈ માટીમાં મેળવી નાખે તો મને રોષ ઉપજે જ ને પ્રભુ!” “ભાઈ, પાછી તારી મહેનતની વાત આવી? તું તો માત્ર નિયતિને માને છે. થવાનું હતું તે થયું. એમાં તને રોષ શું કામ ઉપજવો જોઈએ?''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org