SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન કાંઈ કરવું પડે તે કરવા આ દંપતી તૈયાર હતાં. ધર્મપસાથે એક રાત્રે શ્રીદેવીને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેમના કુળદેવી દેખાણા. દેવીએ કહ્યું : આવતા ભાદરવા સુદ ૧૪ ના રોજ અડાલજ ગામના મારા સ્થાનકે બન્ને આવજો. અને બરાબર મધ્યરાત્રીએ ૭ નારિયેલ વધેરી જે જોઈએ તે માંગી લેજો. તે માટે હું વરદાન આપીશ. તમારી જે કોઈ કામના હશે તે પૂરી થશે. આ વાત મુજબ બરાબર ભાદરવા સુદ ૧૪ના બને અડાલજ ગામે સાંજે પહોંચ્યાં. રાત્રીની રાહ જતા બન્ને દેવીની દહેરી પાસે એક ઝાડ નીચે બેઠા હતા. પાણીની તરસ લાગી હોવાથી એક લોટો લઈ વિમળશાહ બાજુની વાવ ઉપર પાણી લેવા ગયા. વાવના પગથિયાં ચડતા હતા ત્યાં કોકે બૂમ મારી “સબૂર.” વિમળશાહે એક ભાઈ જેને આ બૂમ મારી હતી તેને પૂછ્યું “શું છે ભાઈ?' ઊભો હતો તે ભાઈએ કહ્યું “મારા દાદાએ આ વાવ બંધાવી છે. વાંચો આ તખતી. પાણીને પૈસા આપી પછી પાણી લ્યો.' વિમળશાહ કહે, “અરે ભાઈ! પાણીના તે કાંઈ પૈસા હોય?” પેલાએ જવાબ આપ્યો, મારા દાદાએ આ વાવ બંધાવી છે. એટલે તે મારી માલિકીની છે. તેમાંથી પાણી જોઈએ તો તેનો કર તમારે આપવો જ પડે. ન છૂટકે પૈસા આપી વિમળશાહે પાણીનો લોટો શ્રીદેવી માટે ભરી લીધો. પણ મન અશાંત થઈ ગયું. શ્રીદેવીને પાણી આપી બધી વાત કરી. કોઈ પુણ્યશાળીએ વાવ બંધાવી. તેમના વારસો આના પૈસા ઉઘરાવે છે. આવા કપૂતો પણ પાકે છે. બન્ને વિચારે છે : આપણે સંતાન તો ઇચ્છીએ છીએ, પણ સંતાન આવા કપૂત પાકે તો? બન્નેએ ત્વરિત નિર્ણય કર્યો. માતાજી પાસે નિઃસંતાન રહેવાની જ માંગણી કરવી. ૧૨ માં ૨ મિનિટ બાકી છે. બન્ને જણ માતાજીની મૂર્તિ સન્મુખ ઊભા રહ્યાં. બાર વાગતાં સાત નારિયેલ વધેર્યા. અને ચુંદડી માતાજીની મૂર્તિને ઓઢાડી. માતાજી સાક્ષાત પ્રગટ થયા અને શ્રીદેવીને કહ્યું : માંગી લે દીકરી, માંગી લે વરદાન. શ્રીદેવીએ ધીમેથી કહ્યું : “માતાજી આટલું જ માંગું છું, ન દેજો સંતાન અમોને.'' માતાજી બોલ્યા, “અરે! ભાન છે કે નહીં? શું માંગવા આવ્યા છો અને શું માંગો છો?' શ્રીદેવી કહે : “હા માતાજી, બરાબર સમજપૂર્વકની માંગણી છે.” માતાજીએ વિમળશાહ સામે જોયું. વિમળશાહ કહે : માતાજી એટલું જ માંગુ છું, મને વાંઝીયો રાખજો. ( અંદાલપુર ) પોલાસપુર નામના નગરમાં ગંદાલપુત્ર નામે એક કુંભાર રહેતો હતો. તે ગોશાળાનો ઉપાસક હતો. તે ખૂબ જ ધનાઢ્ય હતો. ગાયોનું મોટું ધણ પણ તેની પાસે હતું. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. માટીના વાસણો વેચવાની તેની પાંચસો દુકાનો હતી. એક રાત્રે કોઈ એક દેવતાએ આવી તેને કહ્યું કે આવતી કાલે મહાબહ્મ અને ત્રિલોકપૂજિત સર્વજ્ઞ પ્રભુ અહીં આવશે, તેની તું સેવા કરજે. એવી રીતે ત્રણવાર કહી દેવ અંતર્ધાન થઈ ગયા. શંદાલપુત્રે મનથી વિચાર્યું કે જરૂર મારા ધર્મગુરુ સર્વજ્ઞ એવા ગોશાળા જ પ્રાત:કાળે આવશે. તેવા વિચારે તે તેમની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં પ્રાત:કાળે શ્રી વીપ્રભુ સહસ્રાવન નામના ઉદ્યાનમાં આવી સમવસર્યા. તે સાંભળી કુંભકારે ત્યાં જઈ પ્રભુને વંદના કરી. પ્રભુએ દેશના આપીને ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy