SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ / [ જૈન પ્રતિભાદર્શન ક ડોશીનું દિલ તો ઘણું દુભાણું પણ તેનું વાણિયા આગળ કંઈ ચાલ્યું નહીં. ઘેર જઈ બહેન ભાણેજોને રસોઈ કરી નિરાંતે જમાડ્યાં. અહીં દુકાનમાં નૈગમને આજે સારો હાથ પડી ગયો છે. ન ધારેલી રોકડ રકમ હાથમાં આવી છે– એટલે તે વિચારે ચડ્યો. અડધી જિંદગી પૂરી થઈ પણ કોઈ દિવસ ઘેબર ખાવા નથી મળ્યો. ઘણા દિવસથી ઘેબર ખાવાનો વિચાર છે, પણ જોગ નથી થતો. આજે ઠીક પૈસા હાથમાં આવ્યા છે તો ઘરે ઘેબર બનાવરાવી નિરાંતે જગ્યું. તેણે એક માણસને પોતાના ઘરે મોકલી કહેવરાવ્યું કે આજે રસોઈમાં ઘેબર બનાવજે. - ઘરે સ્ત્રીએ ઘેબર તો બનાવ્યો. બે જણ ખાઈ શકે એટલો ઘેબર બન્યો. બરાબર એ જ દિવસે અચાનક જ તેમનો જમાઈ તેના નાના ભાઈને લઈને એ ગામમાં કોઈ કામ માટે આવ્યો. તે આ નૈગમના ઘરે આવ્યો. નૈગમની પત્ની ઘણી રાજી થઈ. સાસુ ઘણા વખતે જમાઈને જુએ તો સાધારણ રીતે હરખાય એમ તે હરખાણી. બન્નેને ભાવપૂર્વક જમવા બેસાડવા અને બે જણ માટે બનાવેલો ઘેબર તેમને જમાડી દીધો. નિરાંતે જમી જમાઈ તો પોતાના ગામ જવા ઘરેથી વિદાય થઈ ગયા. હવે સાંજે વાળ માટે રસોઈ તો કરવી જ રહી. એટલે નૈગમની સ્ત્રી રોટલા ઘડવા બેઠી. સાંજે દુકાન વધાવી નૈગમ રાજી થતો આજે તો ઘેબર ખાઈશું એવો વિચાર કરતો ઘરે આવ્યો. ઘરમાં પેસતાં જ તેને બૂમ મારી પોતાની સ્ત્રીને કહ્યું : કેમ! આજે રોટલા બનાવે છે? તને તો ઘેબર બનાવવા કહેલ. તેની સ્ત્રીએ જે હકીકત બની તે કહી. ઘેબર તો બનાવેલ પણ જમાઈરાજ તેમના ભાઈ સાથે આવેલ, જેમને જમાડી દીધા. ઘેબર તો ખલાસ થઈ ગયો, એટલે ખાવા માટે રોટલા ઘડું છું. અરેરે! નૈગમના મોંએથી ઉદ્ગાર સરી પડ્યા. ઘેબર ખલાસ. થોડીવાર અફસોસ કરતાં કરતાં તે વિચારવા લાગ્યો : કર્મમાં જે હોય નહીં તે ક્યાંથી મળે? કિસ્મતમાં રોટલા જ લખ્યા હોય તો ઘેબર ક્યાંથી મળે? મેં આંબલી વાવી આંબાની આશા રાખી તે ક્યાંથી ફળે? એક ડોશીને ધૂતી લીધી. હરામના પૈસાથી ઘેબર ખાવાની આશા રાખી. અરે જીવ! આ તે શું કર્યું? કેવું કર્મ બાંધ્યું? હવે આ કર્મ બાંધ્યા છે તે ભોગવ્યા વિના છૂટકો નથી. એમ ખરા દિલથી પ્રાયશ્ચિત્ત કરવા લાગ્યો. આમ પસ્તાવો કરી મરી સંગતિમાં ગયો. આ વિમળશાહ વિમલમંત્રી અંબિકા વર વરી, માંગ્યો આરસ પણ વારસ નહી વિમલવસહી ટૂક આબુ તીર્થો રચી રચ્યો આદર્શ જગ મહીં. વિમળશાહનાં માતાજીનું નામ વીરમતી તથા પિતાજીનું નામ વીર હતું. સુંદર મુખાકૃતિ તથા સુંદર વાન અને હસતો ચહેરો એ વિમળશાહને જન્મથી મળેલા હતા. તીક્ષ્ણ બુદ્ધિ હોવાથી વિદ્યાભ્યાસ તથા કળાકૌશલમાં નાની ઉંમરે પારંગત થઈ ગયા. વિમળશાહ કારભાર સારી રીતે સંભાળી શકશે એવી ખાત્રી હોવાથી પિતાજીએ બધો કારભાર વિમળશાહને સોંપી દીક્ષા અંગીકાર કરી. તે બુદ્ધિકૌશલ્ય તથા બહુ પરાક્રમી હોવાના લીધે કેટલાક વિઘ્ન સંતોષીઓ તેમની સામે ષડયંત્ર રચતા હતા. આસ્તે આસ્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy